Site icon

Yeh rishta kya kehlata hai : ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આ મહત્વ ના પાત્ર નું થશે મૃત્યુ, આવશે સૌથી મોટો ટ્વિસ્ટ

હવે ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં મોટો ટ્વિસ્ટ આવવાની તૈયારીમાં છે. આ શોના ત્રણ મુખ્ય કલાકારોમાંથી એક આ શોને હંમેશ માટે છોડી દેવાનો છે.

Yeh rishta kya kehlata hai lead actor jai soni aka abhinav sharma leave the show

Yeh rishta kya kehlata hai lead actor jai soni aka abhinav sharma leave the show

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai : ટીવીની દુનિયામાં છેલ્લા 14 વર્ષથી સતત લોકોનું મનોરંજન કરી રહેલો ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટીઆરપી ના મામલે હજુ પણ મજબૂત છે. તે હંમેશા ટોપ 5માં રહે છે. તેનું કારણ એ છે કે શોના નિર્માતા રાજન શાહી શોની વાર્તામાં બદલાવ લઈને આવતા રહે છે. આ જ કારણ છે કે દર્શકોને શોમાં નવીનતા મળતી રહે છે. પરંતુ હવે અમે આ શો સાથે જોડાયેલી એવી માહિતી લઈને આવ્યા છીએ, જે તેના ફેન્સનું દિલ તોડી શકે છે. સમાચાર છે કે શોમાં લાંબા સમયથી અભિનવ શર્માનું પાત્ર ભજવી રહેલો જય સોની હવે શોને અલવિદા કહેવા જઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

રાજન શાહી એ અભિનવ ના પાત્ર વિશે કહી આ વાત

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ‘માં જય સોનીનો રોલ પૂરો થવાનો છે. આ વાતનો ખુલાસો કરતા રાજન શાહીએ કહ્યું, “દરેક પાત્રની પોતાની જર્ની હોય છે. તેને ડિઝાઇન કરતા પહેલા જ અમારા લેખક જામા હબીબે કહ્યું હતું કે આ પાત્રને મરવું પડશે અને મને ખાતરી છે કે વાર્તા ઘડવાનો આ યોગ્ય સમય છે. અમે જાણતા હતા કે તેની શરૂઆત થશે, વ્યક્તિત્વ હશે અને અંત હશે. અમારું પ્રોડક્શન હાઉસ જે પણ કેમિયો લઈને આવે છે, તે એક હેતુ માટે છે. જયના ​​અભિનયથી દર્શકો દંગ રહી ગયા અને તે પોતાના હેતુમાં સફળ પણ થયો.” યે રિશ્તા ક્યા કહેલાતા હૈ વિશે વાત કરતાં રાજન શાહીએ વધુમાં કહ્યું, “આ અક્ષરા અને અભિમન્યુની પ્રેમકથા છે. હું દર્શકોને સમજું છું, પણ વાર્તા આગળ વધવાની છે. પાત્રોમાં ઘણાં રોમાન્સ અને ઊંડાણની અપેક્ષા રાખી શકાય છે. સમય જતાં તે વધુ સારું થશે.” તમને જણાવી દઈએ કે મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં રાજન શાહીએ પણ જય સોનીના વખાણ કર્યા હતા. તેણે કહ્યું, “જય એક શાનદાર અભિનેતા છે. તેણે અભિનવના પાત્રમાં જબરદસ્ત લાગણીઓ લાવી હતી, જેને દર્શકોએ પસંદ કરી હતી. અમે તેને ખૂબ પ્રેમ કરીએ છીએ અને તેના ખૂબ આભારી છીએ. અમે ફક્ત તેનો આભાર માનવા માંગીએ છીએ.”

આ સમાચાર પણ વાંચો : London: ‘યુકેમાં આશ્રય માટે ભારતીય સ્થળાંતર કરનારાઓને ખાલિસ્તાની હોવાનો ઢોંગ કરવા માટે કોચિંગ આપતા વકીલો’.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો…

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો કરંટ ટ્રેક

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની વાર્તામાં આ દિવસોમાં પુત્ર અભિર ની કસ્ટડીના નિર્ણયથી અક્ષરા અને અભિનવના જીવનમાં તોફાન જોવા મળી રહ્યું છે. અભિમન્યુને અભિર ની કસ્ટડી મળે છે, પરંતુ અભિનવ જૈવિક પિતા ન હોવા છતાં તેના પુત્ર માટે ઝંખે છે. આ મૂંઝવણમાં, ચારેય અભિમન્યુ, અક્ષરા, અભિનવ અને અભિર ના જીવનમાં મૂંઝવણ દેખાય છે.

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version