News Continuous Bureau | Mumbai
Yeh Rishta Kya Kehlata Hai: ટીવી પર સૌથી લાંબા સમય સુધી ચાલનારા શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. એવી અફવા હતી કે શોની ઘટતી ટીઆરપી ને કારણે મેકર્સ પાંચમી પેઢી એટલે કે નવો જનરેશન લીપ લાવવાની તૈયારી કરી રહ્યા છે અને અરમાન-અભીરાની વાર્તા પૂરી થશે. જોકે, શોના પ્રોડ્યુસર રાજન શાહીએ હવે આ તમામ અટકળો પર મૌન તોડ્યું છે અને સત્ય જાહેર કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : Sara Ali Khan Kedarnath: શું સારા અલી ખાન હવે કેદારનાથમાં દર્શન નહીં કરી શકે? મંદિર પ્રશાસને મૂકી આકરી શરત.
રાજન શાહીએ અફવાઓ ફેલાવનારાઓને આપ્યો જડબાતોડ જવાબ
રાજન શાહીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સ્પષ્ટ પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે શોમાં કોઈ લીપ આવવાનો નથી. તેમણે લખ્યું, “અહીં કોઈ લીપ નથી આવી રહ્યો. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અત્યારે આવું કંઈ પણ વિચારવામાં પણ નથી આવી રહ્યું. થૂ થૂ થૂ.” આ સાથે જ તેમણે લોકોને વિનંતી કરી છે કે શો વિશે કોઈપણ ખોટી માહિતી કે અફવાઓ ન ફેલાવે. આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે ચોથી પેઢીના મુખ્ય કલાકારો સમૃદ્ધિ શુક્લા (અભીરા) અને રોહિત પુરોહિત (અરમાન) હજુ લાંબા સમય સુધી શોનો હિસ્સો રહેશે.
શોના લેટેસ્ટ પ્રોમોમાં જોવા મળ્યું છે કે અરમાન અને અભીરા વચ્ચેની કેમિસ્ટ્રી હવે નવો વળાંક લેશે. પ્રોમો મુજબ, અરમાન બધાની સામે અભીરાને પોતાના નામની ચુનરી ઓઢાડે છે. ત્યારબાદ પૌદ્દાર પરિવાર ગણગૌરની પૂજા કરે છે. એક સીન દરમિયાન જ્યારે અભીરા પર અલમારી પડવાની હોય છે ત્યારે અરમાન તેને બચાવી લે છે અને ગુસ્સામાં ચીસો પાડીને કહે છે, “હું તને નફરત નથી કરતો, તને પ્રેમ કરું છું.” આ સાંભળીને અભીરા દંગ રહી જાય છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
