Iran Attack Pakistan: પાકિસ્તાનમાં ફરી એક ‘સર્જિકલ સ્ટ્રાઈક’, આ વખતે આ પાડોશી દેશે આતંકી ઠેકાણાઓ પર કર્યા હવાઈ હુમલા..

Iran Attack Pakistan: આ હવાઈ હુમલામાં મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન પહેલા આ હુમલાને સ્વીકારતું ન હતું પરંતુ થોડા કલાકો બાદ તેણે સ્વીકાર્યું હતું કે બલૂચિસ્તાનમાં ઈરાનની કાર્યવાહીમાં બે બાળકોના મોત થયા છે.

by kalpana Verat
Iran Attack Pakistan Iran attacks alleged militant bases in Pakistan; Islamabad says ‘unprovoked’ strikes kill 2 children

News Continuous Bureau | Mumbai

Iran Attack Pakistan: એક તરફ દુનિયાના બે મોટા મોરચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વ યુદ્ધનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન ઈરાનની એક કાર્યવાહીથી તણાવ વધી ગયો છે. ઈરાને પાકિસ્તાનમાં જોરદાર હુમલો કર્યો છે. ઈરાને મિસાઈલ અને ડ્રોન વડે આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. ઈરાનના હુમલાએ મોટા પાયે તબાહી મચાવી છે. ઈરાનના હુમલાથી પાકિસ્તાન નારાજ છે અને તેણે ધમકી આપી છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ શિયા પ્રભુત્વ ધરાવતા ઈરાને પાડોશી દેશ પાકિસ્તાનની અંદર હાજર આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના નિશાનો પર મિસાઈલ છોડી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હવાઈ હુમલામાં મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન પહેલા આ હુમલાને સ્વીકારતું ન હતું પરંતુ થોડા કલાકો બાદ તેણે સ્વીકાર્યું હતું કે બલૂચિસ્તાનમાં ઈરાનની કાર્યવાહીમાં બે બાળકોના મોત થયા છે.  

આ સમાચાર પણ વાંચો :  USA Election : વિવેક રામાસ્વામી નહીં બની શકે USAના રાષ્ટ્રપતિ, રેસમાંથી થયા બહાર, આ ઉમેદવારને આપ્યું સમર્થન

ઈરાની સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે આ ઓપરેશનનું કેન્દ્ર બિંદુ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં કોહ-સબઝ વિસ્તાર છે, જ્યાં જૈશ અલ-અદલ આતંકવાદીઓનો મુખ્ય અડ્ડો હતો. ઈરાની મીડિયાએ હવાઈ હુમલા અંગે વધુ માહિતી આપી નથી.

પાકિસ્તાને ઈરાનના રાજદૂતને બોલાવ્યા

પાકિસ્તાન આખી દુનિયામાં આતંકવાદીઓના જન્મસ્થળ તરીકે જાણીતું છે.  ભારત લાંબા સમયથી જે કહેતું આવ્યું છે અને કડક કાર્યવાહી પણ કરી રહ્યું છે, હવે તેના અન્ય એક પાડોશીએ પણ તે જ કાર્યવાહી કરીને પાકિસ્તાનને દુનિયાની સામે બેનકાબ કરી દીધું છે.

આવી સ્થિતિમાં પાકિસ્તાને’પીડિત કાર્ડ’ રમતા  કહ્યું છે કે બે બાળકોના મોત થયા છે. તેણે કહ્યું છે કે આ હુમલામાં ત્રણ છોકરીઓ ઘાયલ થઈ છે. ઈસ્લામાબાદે ઈરાની મિશનના પ્રભારીને સમન્સ પાઠવ્યું છે અને ઈરાનની આ કાર્યવાહીને તેના એરસ્પેસનું ઉશ્કેરણી વગરનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

ગંભીર પરિણામો ભોગવવા પડશે

ઈરાનના હુમલાનો જવાબ આપતા પાકિસ્તાને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. આજે સવારે પાકિસ્તાનના વિદેશ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ઈરાને કોઈ પણ કારણ વગર પાકિસ્તાનની એરસ્પેસમાં ઘૂસીને હુમલા કર્યા હતા, જેમાં બે બાળકો માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે પાકિસ્તાન ઈરાન દ્વારા તેના એરસ્પેસના ઉશ્કેરણીજનક ઉલ્લંઘનની સખત નિંદા કરે છે.

હુમલાનું કારણ શું હોઈ શકે?

ઈરાક અને સીરિયા પર ઈરાનના હુમલા બાદ આ હુમલો થયો છે. તમને જણાવી દઈએ કે આ મહિને સુન્ની આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ દ્વારા કરવામાં આવેલા ડબલ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદ તહેરાન ગુસ્સે છે, જેમાં 90 થી વધુ લોકો માર્યા ગયા હતા.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More