Site icon News Continuous Bureau | Mumbai

નેપાળના પીએમ ઓલીએ ફરી આલાપ્યો ‘રામ’ રાગ.. 40 એકરમાં બનાવશે ‘અયોધ્યા પુરી ધામ’ .. જાણો વિગતો..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

01 ઓક્ટોબર 2020

સામ્યવાદી ચીનના ઇશારે નાચતા નેપાળના વડા પ્રધાન કે.પી.શર્મા ઓલીએ ફરી એકવાર અયોધ્યાનો રાગ છેડ્યો છે. નેપાળના વડા પ્રધાન ભારતના અયોધ્યા શહેરને બનાવટી ગણાવે છે અને હવે નેપાળના ચિતવન જિલ્લામાં 40 એકરમાં 'અયોધ્યાપુરી ધામ' બનાવશે. આ માટે જમીન પણ ફાળવવામાં આવી છે. આ પહેલા ઓલીએ ભારતની અયોધ્યાને બનાવટી ગણાવી હતી અને દાવો કર્યો હતો કે અસલી અયોધ્યા નેપાળના ચિતવન જિલ્લાના માડીમાં આવેલી છે.

 

ઓલીએ જણાવ્યું હતું કે ભારતે બનાવટી અયોધ્યા બનાવી હતી , અયોધ્યાપુરી ધામના નિર્માણ માટેનો વાસ્તવિક માસ્ટર પ્લાન નેપાળ માટે ઘડાયો હતો. આ અંગેનો વિગતવાર અહેવાલ જલ્દી જ તૈયાર કરવામાં આવશે. અહીં નોંધપાત્ર વાત એ છે કે ઓલીના નિવેદનનો ભારતમાં જ નહીં, નેપાળમાં પણ જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. થોડા સમય અગાઉ પણ ઓલીએ ભગવાન રામનું જન્મસ્થળ નેપાળમાં હોવાનું જણાવીને માડીમાં રામ મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું. 

તમને જણાવી દઈએ કે ગયા મહિને ઓલીએ દાવો કર્યો હતો કે ભારતે સાંસ્કૃતિક અતિક્રમણ માટે નકલી અયોધ્યા બનાવી છે. જ્યારે, અસલી અયોધ્યા નેપાળમાં છે. ઓલીએ દલીલ કરી હતી કે જો ભારતની અયોધ્યા વાસ્તવિક છે તો રાજકુમાર લગ્ન માટે જનકપુર કેવી રીતે આવી શકે…? તેમના આ નિવેદનની માત્ર ભારતમાં જ નહીં પણ નેપાળમાં પણ ભારે ટીકા થઈ હતી..

Iran Uranium Stockpile ઈરાનનું આક્રમક પગલું! યુરેનિયમ સાઈટના રસ્તાઓ બ્લોક કર્યા, આસપાસ બિછાવી સુરંગો.
Trump Iran Row Over Indian Ships ઈરાનનો સનસનાટીપૂર્ણ દાવો! ‘ભારતીય નાગરિકોની હત્યા પાછળ અમેરિકાનો હાથ’, ટ્રમ્પના આરોપો ફગાવ્યા
PM Modi Europe Visit વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજથી ૫ દિવસનો મહત્વપૂર્ણ યુરોપ પ્રવાસ શરૂ જી૭ સમિટમાં લેશે ભાગ, સ્લોવાકિયાની લેશે ઐતિહાસિક મુલાકાત
US Iran Deal Conditions તેલ સંકટ વચ્ચે ઈરાને બતાવ્યા તેવર! ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ રાખી આ ૫ મોટી શરતો, શું અમેરિકા નમતું જોખશે?
Exit mobile version