India Namibia Relations: પ્રધાનમંત્રીને નામિબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત

India Namibia Relations: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નામિબિયાની સત્તાવાર મુલાકાતે છે.

by Akash Rajbhar
પ્રધાનમંત્રીને નામિબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત

News Continuous Bureau | Mumbai

India Namibia Relations: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નામિબિયાની સત્તાવાર મુલાકાતે છે. આ પ્રસંગે, નામિબિયાના રાષ્ટ્રપતિ, મહામહિમ નેતુમ્બો નંદી-નદૈતવાહએ પ્રધાનમંત્રીને નામિબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર – ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલ્વિટ્શિયા મિરાબિલિસ એનાયત કર્યો છે. તેઓ આ પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય નેતા છે.

પુરસ્કાર સ્વીકારીને, પ્રધાનમંત્રીએ આ સન્માન ભારતના 1.4 અબજ લોકો અને ભારત અને નામિબિયા વચ્ચેના ઐતિહાસિક અને સ્થાયી સંબંધોને સમર્પિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ સન્માન બદલ રાષ્ટ્રપતિ નંદી-નદૈતવાહ અને નામિબિયાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Vande Bharat Train Japan : વંદે ભારતે જીત્યા જાપાનીઓના દિલ, ઓસાકા એક્સ્પોમાં ભારતીય રેલવે ની ધૂમ

પ્રધાનમંત્રીને આ પુરસ્કાર એનાયત થવો એ ભારત અને નામિબિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ છે અને બંને દેશોની યુવા પેઢીઓ માટે આ ખાસ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ઊંચાઈએ લઈ જવા માટે પ્રેરણાનો સ્ત્રોત છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More