Site icon News Continuous Bureau | Mumbai

વર્ષ 2022માં મુંબઈમાં હાર્ટ એટેકના કારણે એક દિવસમાં 26, કેન્સરે 25 જીવ લીધા

માહિતી અધિકાર (RTI) અધિનિયમ હેઠળ એક પ્રશ્નના જવાબ દ્વારા નાગરિક આરોગ્ય વિભાગ પાસેથી એકત્ર કરાયેલ ડેટા અનુસાર, 2022 માં હૃદયરોગના હુમલાથી દરરોજ આશરે 26 મુંબઈકરોના મોત થયા હતા. અન્ય 25 મુંબઈવાસીઓ વિવિધ કેન્સરને કારણે મૃત્યુ પામ્યા.

25 people die everyday because of heart attack while 25 die of cancer.

25 people die everyday because of heart attack while 25 die of cancer.

News Continuous Bureau | Mumbai
મુંબઈના મૃત્યુ ચાર્ટ પર ‘કોવિડ અસર’ નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. વર્ષ 2020 (10,289) અને 2021 (11,105) માં સૌથી વધુ લોકોનું મૃત્યુ કોવિડને કારણે થયું હતું, તેમજ 2022 માં 1,891 લોકો મૃત્યુ પામ્યા હતા.

બીજી તરફ વર્ષા નું વર્ષ ટીબેક્યુલોસિસ એટલે કે ટીબીને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ઘટતી જાય છે. 2022માં ટીબીને કારણે 3,281 મૃત્યુ થયા હતા જ્યારે 2018માં 4,940 મૃત્યુ થયા હતા. આ પરિબળોને કારણે એક દાયકા પહેલાની સરખામણીમાં હવે ઓછા મૃત્યુ થાય છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: જયંત પાટીલ: જયંત પાટીલ આખરે નવ કલાકની પૂછપરછ બાદ ED ઓફિસમાંથી બહાર નીકળ્યા; NCP કાર્યકરોના સૂત્રોચ્ચાર

જો કે, દક્ષિણ મુંબઈના રહેવાસી ચેતન કોઠારી, જેમણે BMC પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટમાં RTI દાખલ કરી હતી, જણાવ્યું હતું કે મૃત્યુના ડેટાને પર્યાપ્ત રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા નથી. “અમને માત્ર 30,000 મૃત્યુનું વર્ગીકરણ મળ્યું છે, અને 60,555 મૃત્યુનું કારણ ‘અન્ય રોગો’ તરીકે દર્શાવવામાં આવ્યું છે,”

મુંબઈમાં સૌથી મોટી ચિંતા એ છે કે હૃદયની સમસ્યાઓ શરૂ થવાની ઉંમર બે દાયકા પહેલાની સરખામણીમાં નાની થઈ રહી છે. આનો અર્થ એવો થાય છે કે હવે નાની ઉંમરમાં હૃદય રોગને કારણે મૃત્યુની સંખ્યા વધી રહી છે. રાઈટ ટુ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ પ્રાપ્ત થયેલા આંકડા મુજબ વર્ષ 2022 માં હૃદય રોગના હુમલાને કારણે દૈનિક ધોરણે 26 લોકોના મૃત્યુ થયા છે જ્યારે કે 25 લોકોના મૃત્યુ કેન્સરને કારણે થયા છે.

 

Best Time to Drink Black Coffee ખાલી પેટે બ્લેક કોફી પીવી એ અમૃત કે ઝેર? જાણો સાયન્સ શું કહે છે અને દિવસભરમાં કોફી પીવાનો બેસ્ટ સમય કયો છે
Kerala Health Alert West Nile Shigella કેરળમાં બે જીવલેણ બીમારીનો પંજો શું છે વેસ્ટ નાઈલ વાયરસ અને શિગેલા બેક્ટેરિયા? જાણો લક્ષણો અને બચવાના ઉપાયો
Boiled Vegetables Health Benefits આ ૫ શાકભાજીને ઉકાળીને ખાવાથી સ્વાસ્થ્યને થશે બમણો ફાયદો, પોષક તત્વોનો છે ખજાનો!
Neem Fruit Health Benefits। લીમડાના પાન કરતાં પણ વધુ પાવરફુલ છે આ નાનું ફળ! લીંબોળીના આ અદભુત ફાયદા જાણીને આજે જ ખાવાનું શરૂ કરી દેશો
Exit mobile version