News Continuous Bureau | Mumbai
Sleep Cycle Mistake| આજના સમયમાં ઓફિસના કામ કે બદલાતી જીવનશૈલીને કારણે લોકો પોતાની ઊંઘ સાથે બાંધછોડ કરે છે. કોઈ મોડી રાત સુધી જાગે છે તો કોઈ વહેલા ઉઠવાનો પ્રયત્ન કરે છે. પરંતુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના રિપોર્ટ અનુસાર, ઊંઘનો સીધો સંબંધ ઘડિયાળના કાંટા સાથે નહીં પણ તમારા મગજમાં રહેલી માસ્ટર ક્લોક એટલે કે સર્કેડિયન રિધમ સાથે છે.
શું છે સર્કેડિયન રિધમ અને તેનું કામ?
સર્કેડિયન રિધમ એ શરીરની કુદરતી પ્રક્રિયા છે જે પ્રકાશ અને અંધારાના આધારે સંકેત આપે છે કે ક્યારે જાગવું અને ક્યારે સુવું. આ રિધમ શરીરમાં મેલાટોનિન અને કોર્ટિસોલ જેવા હોર્મોન્સને નિયંત્રિત કરે છે. જ્યારે આપણે આ કુદરતી ચક્રની વિરુદ્ધ જઈને સુઈએ છીએ, ત્યારે 8 કલાકની ઊંઘ લીધા પછી પણ શરીર અંદરથી થાકેલું રહે છે. સૂર્યનો પ્રકાશ શરીરને રિચાર્જ કરે છે, તેથી વહેલા ઉઠવું સારું છે, પણ તેની સામે રાતની ઊંઘ પૂરી થવી પણ એટલી જ જરૂરી છે.
ફેફસાં અને સ્નાયુઓ પર અસર
પલ્મોનોલોજિસ્ટ્સના મતે, જે લોકો મોડી રાત સુધી જાગે છે અને સવારે વહેલા ઉઠી જાય છે, તેમને ‘ડીપ સ્લીપ’ (ગ્રીન ઊંઘ) મળતી નથી. આ તે સમય છે જ્યારે આપણા સ્નાયુઓની રિકવરી થાય છે અને શરીરમાં ઓક્સિજન લેવલ જળવાઈ રહે છે. ઊંઘની અછતને કારણે શરીરમાં સોજો (Inflammation) વધે છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. ખાસ કરીને અસ્થમા કે ફેફસાંની બીમારી ધરાવતા દર્દીઓ માટે આ સ્થિતિ જોખમી બની શકે છે.
ઊંઘવાની સાચી રીત કઈ?
નિષ્ણાતોનું માનવું છે કે મોડા સુવું કે વહેલા જાગવું એ મુખ્ય મુદ્દો નથી, પરંતુ ‘નિયમિતતા’ (Consistency) સૌથી વધુ જરૂરી છે. જો તમે રોજ રાત્રે 12 વાગ્યે સુઈને સવારે 8 વાગ્યે ઉઠતા હોવ, તો તે એવા રૂટિન કરતા વધુ સારું છે જેમાં તમે ક્યારેક વહેલા તો ક્યારેક ખૂબ મોડા સુતા હોવ. શરીરને એક ફિક્સ રૂટિન ગમે છે. તેથી 7 થી 9 કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લેવા માટે તમારા સુવા અને જાગવાનો સમય દરરોજ એક સરખો રાખવાનો પ્રયત્ન કરો.
👉 આ સમાચાર વાચો:
Mumbai Airport Runway| મુસાફરો માટે મોટા સમાચાર મુંબઈ એરપોર્ટના બંને રનવે આવતીકાલે ૬ કલાક બંધ રહેશે, તમારી ફ્લાઈટનું સ્ટેટસ તપાસી લેજો
