News Continuous Bureau | Mumbai
Mahatma Gandhi death anniversary : આપણા દેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા ‘મહાત્મા ગાંધી’ ( Mahatma Gandhi ) કે જેમણે અહિંસાના માર્ગે ચાલી દેશને આઝાદ અપાવવામાં અનન્ય ફાળો આપેલો. જાન્યુઆરી મહિનાની 30મી તારીખે બાપુએ દુનિયાને અલવિદા કહ્યું હતું. વર્ષ 1948માં આજના દિવસે જ નવી દિલ્હી સ્થિત બિરલા ભવનમાં નાથુરામ ગોડસેએ એક પછી એક ત્રણ ગોળી ચલાવીને બાપુની ક્રૂર હત્યા કરી નાખી હતી. ગોળી વાગતા જ બાપુ ઢળી પડ્યા હતા અને અંતિમ શ્વાસ લીધા. આ દિવસને સમગ્ર દેશમાં ‘શહીદ દિન’ ( Martyr’s Day ) તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આજે તેમના નિર્વાણદિન પર સોશિયલ મીડિયા પર તેમનું વસિયતનામું ( testament ) વાયરલ થઈ રહ્યું છે. મહત્વનું છે કે મહાત્મા ગાંધીના વસિયતનામા ને લઈને અટકળોનું બજાર ગરમ રહે છે.
‘ગાંધીજીનું છેલ્લું વસિયતનામું’
રિઝવાન કાદરી ( Rizwan kadri ) , જેમણે ગુજરાતના ( Gujarat ) રાજકીય ઈતિહાસ પર ડોક્ટરેટ કર્યું છે. તેમણે ગાંધી-તિલક અને સરદાર-તિલક સંબંધો પર પણ અગ્રણી સંશોધન કર્યું છે અને તેમના પર પુસ્તકો પ્રકાશિત કર્યા છે. દરમિયાન આજે તેમણે મહાત્મા ગાંધીના નિર્વાણદિન પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક પૃષ્ઠ શેર કર્યું છે. આ પૃષ્ઠ પુસ્તક હરિજનબંધુ, ૮ ફેબ્રુઆરી, ૧૯૪૮, પૃ. ર૯ છે. જેમાં ‘ગાંધીજીનું છેલ્લું વસિયતનામું’ નો ઉલ્લેખ છે.
તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘મહાત્મા ગાંધીનો નિર્વાણદિન છે. ૧૯૨૧માં મહાત્મા ગાંધીએ ગુજરાત પ્રાંતિક સમિતિના ( Gujarat Provincial Committee ) બંધારણની સાથે સાથે ગુજરાત સેવા સમિતિના નીતિ નિયમો પણ ઘડ્યા હતા. આઝાદીનો ધ્યેય પ્રાપ્ત થયા બાદ મહાત્મા ગાંધી હિન્દી રાષ્ટ્રીય મહાસભાનો ઉદ્દેશ પૂર્ણ થયો હોવાથી તેને વિખેરી દેવાનો સ્પષ્ટ મત ધરાવતા હતા. આ અંગે તેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
‘ગાંધીજીનું છેલ્લું વસિયતનામું’ તરીકે ઓળખાતા આ લેખ પર સંપૂર્ણ તટસ્થતા અને નિષ્પક્ષતાથી ચર્ચા થાય તે માટે વડીલો અને મિત્રો સમક્ષ મુકું છું.’
આ સમાચાર પણ વાંચો : Imran Khan: પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા પૂર્વ પીએમ ઈમરાન ખાનને આ મામલે કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી..
જણાવી દઈએ કે ગાંધીજીએ મૃત્યુના આગલા દિવસે ૨૯-૧-૪૮ના રોજ સેવાગ્રામમાં મળનારા સંમેલનમાં રજૂ કરવા અંગે જે નોંધ લખી હતી તે નોંધને પ્યારેલાલે ‘છેલ્લું વસિયતનામું’ કહ્યું હતું.
દેશને આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. તેમનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક મહાન નેતા હતા, જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ભારતીયોને એક કર્યા અને અહિંસાના માર્ગે ચાલીને દેશને આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)