Site icon News Continuous Bureau | Mumbai

વાસ્તુ ટિપ્સ- તમારું સૂતેલું નસીબ પણ ચમકાવે છે એક ચંપલ-જાણો જૂતા સાથે જોડાયેલા વસ્તુ નિયમ

News Continuous Bureau | Mumbai

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ હોય છે. આવી સ્થિતિમાં તમામ વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખવી ખૂબ જ જરૂરી છે. પગમાં પહેરવામાં આવતા ચપ્પલ(footwear) પણ વ્યક્તિના નસીબને ચમકાવવામાં મદદ કરે છે. ચપ્પલ સાથે જોડાયેલી આવી ઘણી વસ્તુઓ છે, જો તમે તેમાં તપાસ કરશો તો તમારી આર્થિક સ્થિતિમાં(financial position) અચાનક સુધારો થશે. ચપ્પલ  પણ તમને અમીર બનાવી શકે છે. બીજી તરફ જો કેટલીક બાબતોની અવગણના કરવામાં આવે તો તે ઘર માં ગરીબી આવતા વાર નથી લાગતી. વાસ્તુ અનુસાર હંમેશા ઉપયોગમાં લેવાતા જૂતા અને ચપ્પલને વ્યવસ્થિત રીતે પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. ચાલો જાણીએ ચપ્પલ સાથે જોડાયેલા કેટલાક જ્યોતિષીય ઉપાયો.

Join Our WhatsApp Channel

– ઘણી વખત ચપ્પલ ઉતારતી વખતે ચપ્પલ ચપ્પલની ઉપર જ રહે છે. આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે આ રીતે ચપ્પલ જોવા અશુભ છે. જો વ્યક્તિના ચપ્પલ પર ચપ્પલ હોય અથવા ચપ્પલ ઉંધી થઈ હોય તો તેને તરત જ તેને હટાવો  જો તમે આવું ન કરો તો જે વ્યક્તિ ની તે ચપ્પલ હોય છે તેના પર રોગોની(diseases) છાયા પડે છે.

– તમે ઘણીવાર જોયું હશે કે લોકોના ઘરમાં તૂટેલા અથવા ખરાબ ચપ્પલ રાખવામાં આવે છે. લોકો તેને ઠીક કરીને રાખશે એવું વિચારીને ઘરમાં રાખે છે. પરંતુ તૂટેલા ચપ્પલ(broken shoes) ઘરમાં અશાંતિ પેદા કરે છે. ઘરમાંથી તૂટેલા ચપ્પલને તાત્કાલિક દૂર કરવાનો પ્રયાસ કરો.

– ચપ્પલને ક્યારેય પણ ઘરમાં ઉંબરા પર ઉભા ન રાખવા જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો(positive vibes) વાસ નથી થતો.

– પગરખાં અને ચપ્પલ પહેરીને ક્યારેય ખોરાક(food) ન ખાવો. આમ કરવાથી દુર્ભાગ્ય વધે છે. રસોડામાં ખુલ્લા પગે પ્રવેશ કરવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જૂતા અને ચપ્પલ ખોવાઈ જવા શુભ માનવામાં આવે છે. જ્યારે આવું થાય છે, ત્યારે અશુભ ગ્રહો શુભ ફળ આપવા લાગે છે.

– ઘરના દરવાજા પર ચપ્પલ ઉતારવાથી ઘરમાં ક્યારેય બરકત નથી આવતી. ક્યારેય કોઈની પાસેથી ગિફ્ટ(gift) તરીકે શૂઝ ન લો. આવી સ્થિતિમાં તેનું દુર્ભાગ્ય તમારા ભાગ્યનો નાશ કરશે. ઉપરાંત, તૂટેલા ચંપલ અને ખરાબ ચપ્પલ પહેરવાનું ટાળવું જોઈએ. તેઓ ખરાબ નસીબને આમંત્રણ આપે છે. એવું માનવામાં આવે છે કે સ્વચ્છ અને સુંદર શૂઝ અને ચપ્પલ પહેરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

– શનિવારે(saturday) જૂતા અને ચપ્પલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારે સાંજે ચામડાના ચંપલ અને જૂતા નું દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

– જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવાર અને શુક્રવારે (friday)નવા જૂતા અને ચપ્પલ પહેરવા શુભ માનવામાં આવે છે. તે તમારા ભાગ્યને જાગૃત કરવામાં મદદ કરે છે.

– અન્ય વ્યક્તિના ચપ્પલ ક્યારેય ન પહેરો. આવું કરવાથી તમારા પર ગરીબીનો પડછાયો આવે છે. જો તમે કોઈના ચપ્પલ પહેરો છો, તો તમે કોઈનો સંઘર્ષ(struggle) તમારા પર લઈ લો છો.

નોંધ – અમે એવો દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. તેમને અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો

આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ- ઘરમાં કબૂતરનો માળો હોવો શુભ છે કે અશુભ- જાણો તેના સંબંધિત સંકેતો વિશે

Today’s Horoscope : આજનો દિવસ: ૯ જુલાઈ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૮ જુલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Budh Gochar 2026 બુદ્ધિના દાતા બુધનું કર્ક રાશિમાં આગમન, આ તારીખે થશે બુધનું ગોચર; જાણો તમારી રાશિ પર શું પડશે પ્રભાવ?
Today’s Horoscope : આજનો દિવસ:૭ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version