Site icon News Continuous Bureau | Mumbai

Pearl Ring: મોતી ની વીંટી કયા હાથ અને કઈ આંગળીમાં પહેરવી જોઈએ? જાણો શાસ્ત્રોક્ત માર્ગદર્શન

Pearl Ring: ચંદ્રમા ની શાંતિ માટે મોતી ધારણ કરવું શુભ માનવામાં આવે છે, જાણો કઈ આંગળી અને કયા દિવસે પહેરવી વધુ લાભદાયી

Pearl Ring Which Hand and Finger to Wear for Maximum Benefits

Pearl Ring Which Hand and Finger to Wear for Maximum Benefits

News Continuous Bureau | Mumbai

Pearl Ring:  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રમા મનના કારક છે અને મોતી ચંદ્રમા સાથે સંકળાયેલું રત્ન છે. મોતી ધારણ કરવાથી મન શાંત રહે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને જીવનમાં શાંતિ આવે છે. ખાસ કરીને લગ્નજીવનમાં મન મોટાવ દૂર થાય છે અને પ્રેમ સંબંધો મીઠા બને છે. વિદ્યાર્થીઓ માટે પણ મોતી લાભદાયી સાબિત થાય છે. પરંતુ મોતી પહેરતા પહેલા કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

Join Our WhatsApp Channel

 

કયા હાથમાં મોતી પહેરવું વધુ શુભ?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે હાથનો ઉપયોગ વ્યક્તિ વધુ કરે છે, તે હાથમાં મોતી પહેરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ જમણા હાથનો ઉપયોગ વધુ કરે છે તો તેને મોતીની રિંગ જમણા હાથમાં પહેરવી જોઈએ. આ રીતે ચંદ્રમા ના શુભ ફળો વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.

 

કઈ આંગળીમાં મોતી પહેરવું?

મોતી ની વીંટી હાથની કનિષ્ઠિકા (Small Finger)માં પહેરવી વધુ લાભદાયી માનવામાં આવે છે. આ રીતે ચંદ્રમા વધુ અસરકારક બને છે. મોતી ચાંદી (Silver)માં જ જડાવેલું હોવું જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Numerology: શું તમને પણ વારંવાર 111, 222, 333 જેવા નંબર દેખાય છે? તો જાણો આ એન્જેલ નંબર વિશે

કયા દિવસે અને કેવી રીતે પહેરવી?

મોતી ની વીંટી શુક્લ પક્ષના કોઈ પણ સોમવાર (Monday) કે પૂર્ણિમા (Purnima)ના દિવસે પહેરવી શુભ હોય છે. રિંગ પહેરતા પહેલા તેને ગંગાજળ અથવા ગાયના કાચા દુધમાં 10 મિનિટ સુધી ભીંજવી લેવી જોઈએ. ત્યારબાદ “ૐ ચંદ્રાય નમ:” મંત્રનો 108 વાર જાપ કરીને રિંગ ધારણ કરવી. મોતી ઓછામાં ઓછું 7-8 રત્તીનું હોવું જોઈએ.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Work From Home Vastu Tips નસીબ ખોલશે આ વાસ્તુ ટિપ્સ ઘરે કામ કરતી વખતે આ દિશામાં રાખો તમારું વર્ક ડેસ્ક, કરિયરમાં મળશે પ્રચંડ સફળતા!
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ જૂન ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Mars Transit મંગળનું કૃત્તિકા નક્ષત્રમાં મહાગોચર ૧૬ જૂનથી આ ૪ રાશિઓનું બદલાશે નસીબ, મળશે મોટી સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જૂન ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version