187
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
આવતીકાલથી એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસથી રાજ્યભરના તમામ મંદિર, પ્રાર્થના સ્થળો તેમજ ધાર્મિક સ્થળો ખોલનાર છે.
આ પગલે મુંબઈના પ્રભાદેવીમાં સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિર ભક્તો માટે ખુલશે.
મંદિરની એપ પરથી QR કોડ સ્કેન કરી પ્રિ-રજીસ્ટ્રેશન થઈ શકશે અને દર કલાકે 250 શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકાશે.
જોકે જેઓ પાસે ઓનલાઇન આરક્ષણ સાંકેતિક ચિહ્ન (કયુઆર કોડ) નથી. તેઓને પ્રવેશ આપવામાં નહીં આવે. ક્યુઆરકોડ નોન-ટ્રાન્સફરેબલ રહેશે.
બધા ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાના નિયમનું પાલન કરવું પડશે. ભક્તોને પ્રસાદ, હાર, ફૂલ અને પૂજા સામગ્રી સાથે પ્રવેશ નહીં અપાય.
ફ્લાયઓવર પર ઍક્સિડન્ટ રોકવા ટૂ-વ્હીલરને લઈને ટ્રાફિક ખાતાએ લીધો આ નિર્ણય; જાણો વિગત
You Might Be Interested In