રેલવે પોલીસની સરાહનીય કામગીરી- નાલાસોપારામાં અપહરણ થયેલા બાળકનો માતા સાથે કરાવ્યો મિલાપ- આ લોકો સામે નોંધી અપહરણની ફરિયાદ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

નાલાસોપારા સ્ટેશન(Nalasopara Station) પર કથિત રીતે અપહરણ(Kidnapping) કરાયેલા ત્રણ વર્ષના બાળકનો તેના માતા સાથે ફરી મિલાપ કરાવવામાં રેલવે પોલીસને સફળતા મળી હતી. તો બાળકને પ્લેટફોર્મ(Railway Platform) પર મદદ કરવાનો દાવો કરનાર દંપતી સામે બાળકની માતાએ અપહરણનો કેસ (Kidnapping case) નોંધાવ્યો છે.

ગર્વમેન્ટ રેલવે પોલીસ(Government Railway Police)(GRP)ના કહેવા મુજબ ભાયંદર માં રહેતી અને છૂટક કામ કરતી મહિલા કામની શોધમાં વસઈ આવી હતી ત્યારે તે એક જગ્યાએ પાણી પીવા ઊભી હતી ત્યારે તેનો બાળક ગુમ થઈ ગયો હતો.

પોલીસને તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં(CCTV footage) ગુરુવારે બપોરના 12 વાગ્યાની આસપાસ બાળકને એક યુગલ સાથે દૂર જતા જોયો હતો. ફૂટેજમાં જણાયું હતું કે મહિલા છોકરાને પોતાની તરફ બોલાવે છે અને તેને ખાવા માટે આપે છે અને ત્યાર બાદ તેઓ બાળક સાથે આગળ ચાલતા જતા જણાયા હતા.

આ સમાચાર પણ વાંચો :  ખેલૈયાઓની આતુરતાનો અંત- બોરીવલીના આંગણે સતત પાંચમી વખત-ગરબાની રમઝટ બોલાવવા આવી રહી છે દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક

વસઈ GRPના કહેવા મુજબ દંપત્તિની પૂછપરછ દરમિયાન જણાયું હતું કે તેઓ બાળકના અપહરણનો (Child abduction) કોઈ ઈરાદો રાખતા નહોતા. તેમના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા છે અને તેમને કોઈ સંતાન નથી. ગુરુવારે બપોરે તેઓ વસઈથી ટ્રેનમાં ચડ્યા હતા, જ્યાં તેઓ પ્લાસ્ટિક મેનુફેક્ચરિંગ કંપનીમાં (plastic manufacturing company) કામ કરે છે. તેઓએ છોકરાને ટ્રેનમાં ચઢતો જોયો અને ત્રણેય નાલાસોપારા ઉતરી ગયા હતા.

દંપત્તીના દાવા મુજબ તેઓ બાળક ગુમ થઈ ગયો છે એવું જાણીને તેઓ તેને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસ પાસે સીધો લઈ જવાને બદલે તેઓએ બાળકને ખાવાનું અને કપડાં આપવાનું નક્કી કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : ક્યા સે ક્યા હો ગયા- BMC પાસેથી દશેરાના સભા યોજવા મંજૂરી મેળવવા શિવસેનાને નાકે દમ
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More