ભાજપ ના નેતા આશિષ શેલાર સામે શિવસેના આક્રમક, મુંબઈના મેયરે નોંધાવી વિયનભંગની પોલીસમાં ફરિયાદ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

ગુરુવાર.

મુંબઈના મેયર કિશોરી પેડણેકરે બુધવારે મોડી રાતે ભાજપના વિધાનસભ્ય અને નેતા આશિષ શેલાર સામે મરીન ડ્રાઈવ પોલીસમાં વિનયભંગની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ મેયરે લેખિત સ્વરૂપમાં આશિષ શેલાર સામે ફરિયાદ કરી હતી. મેયરના કહેવા મુજબ થોડા દિવસ પહેલા વરલીની બીડીડી ચાલમાં આગ લાગી હતી. તે સંદર્ભમાં આશિષ શેલારે તેમની સામે મહિલાને અણછાજે એવું વિવાદાસ્પદ નિવેદન કરીને તેમનો વિનયભંગ કર્યો હતો.

નવી મુંબઈના આ વિસ્તારમાં આવેલા BMWના શોરૂમમાં લાગી ભીષણ આગ, પાર્કિંગમાં પાર્ક કરેલી 40 કાર બળીને ખાખ, પોલીસે હાથ ધરી તપાસ; જુઓ વિડીયો

આ પ્રકરણની પોલીસે તપાસ ચાલુ કરી હતી. આ દરમિયાન આશિષ શેલારે પણ મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખીને તેમની વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદને મુદ્દે તપાસ કરવાની માગણી કરી હતી.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment