News Continuous Bureau | Mumbai
જ્ઞાનવાપી મસ્જિદના(Gyanvapi masjid) વિવાદ પર સુનાવણી(Hearing) કરતા સુપ્રીમ કોર્ટે(Supreme court) મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે.
કોર્ટે જિલ્લા પ્રશાસનને(District Administration) આદેશ આપતાં કહ્યું કે, તે જગ્યાની સુરક્ષા કરે જ્યાં શિવલિંગ(Shivling) મળ્યું છે પરંતુ તેના કારણે લોકોને નમાઝ(Namaz) અદા કરવામાં વિક્ષેપ ન આવે.
સાથે સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી માટે ગુરુવારની તારીખ નક્કી કરી છે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે(Masjid Survey) પર સ્ટે(Stay order) આપવાનો ઈન્કાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં નીચલી કોર્ટમાં(lower court) સુનાવણી ચાલી રહી છે, તેથી જિલ્લા કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી બાદ હવે મથુરાની શાહી ઈદગાહનો સર્વે કરાવવાની માંગણી ઉઠી, કોર્ટે અરજી સ્વીકારી.. આ તારીખે થશે સુનાવણી..