Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Jaipur Superfast: જયપુર-મુંબઈ સુપરફાસ્ટ ટ્રેનમાં ગન પોઈન્ટ પર મહિલાને કહ્યું- બોલો ભારત માતા કી જય…. જાણો અહીં RPF કોન્ટસ્ટેબલની તે રાતની લોહિયાળ તાંડવની સંપુર્ણ કહાની….

Mumbai Jaipur Superfast: ગયા મહિને, જયપુર-મુંબઈ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં, એક RPF કોન્સ્ટેબલ ચેતન ચૌધરીએ ચાલતી ટ્રેનમાં તેના વરિષ્ઠ સહિત એક સમુદાયના ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરી હતી.

Asked the woman at gun point - say Bharat Mata ki Jai, the story of the bloody orgy in the Jaipur-Mumbai superfast train

Asked the woman at gun point - say Bharat Mata ki Jai, the story of the bloody orgy in the Jaipur-Mumbai superfast train

News Continuous Bureau | Mumbai 

Mumbai Jaipur Superfast: ગયા મહિને જયપુર-મુંબઈ સુપરફાસ્ટ એક્સપ્રેસ (Jaipur- Mumbai Superfast Express) માં આરપીએફ (RPF) ના ચેતન ચૌધરી (Chetan Choudhary)એ ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. આ મામલે પોલીસ એફઆઈઆર નોંધીને તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કોન્સ્ટેબલે બુરખા પહેરેલી એક મહિલાને બંદૂકની અણી પર ભારત માતા કી જય કહેવા માટે દબાણ કર્યું હતું.
ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, મુંબઈ (Mumbai) ના બોરીવલી (GRP) રેલવે સ્ટેશનની પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં એક મહિલા પોલીસ સમક્ષ આવી છે. આ મહિલાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે તે દિવસે સવારે આરપીએફ જવાને પણ તેની સાથે ગેરવર્તન કર્યું હતું. પોલીસે આ કેસમાં તે મહિલાને પણ સાક્ષી બનાવી છે. આ ઉપરાંત આ સમગ્ર ઘટના ટ્રેનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ રેકોર્ડ થઈ ગઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Nehru Memorial Renamed: મોદી સરકારે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલ્યું, હવેથી આ નવા નામથી ઓળખાશે..

મહિલાએ પોલીસને આપેલા નિવેદનમાં શું કહ્યું?

મહિલાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે તે બુરખો પહેરીને B-3 કોચમાં મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન તે સૈનિક તેની પાસે આવ્યો અને કહ્યું કે ભારત માતા કી જય બોલો. આ દરમિયાન મહિલાએ તેને પૂછ્યું, તમે કોણ છો? જવાબમાં સૈનિકે બંદૂક મહિલા તરફ તાકીને કહ્યું- જોરથી બોલો ભારત માતા કી જય.
મહિલા ડરી ગઈ અને ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા. આ સાથે મહિલાએ આરોપ લગાવ્યો કે કોન્સ્ટેબલે કહ્યું- જો તે તેના હથિયારને અડશે તો તેને મારી નાખશે. તે જ ટ્રેનમાં ચૌધરીએ તેમના વરિષ્ઠ ટીકારામ મીના (Tikaram Mina) અને ત્રણ મુસાફરો – અબ્દુલ કાદર મોહમ્મદ હુસૈન ભાનપુરાવાલા, સૈયદ સૈફુદ્દીન અને અસગર અબ્બાસ શેખની ગોળી મારી હત્યા કરી હતી.

પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેને બાદમાં ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. ચૌધરી સામે આઈપીસી કલમ 153A (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણના આધારે જુદા જુદા જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 302 (હત્યા), 363 (અપહરણ), 341 (ખોટી રીતે રોકવા), 342 (ખોટી રીતે રોકવા) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

 

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version