News Continuous Bureau | Mumbai
Gujarat Government Employees: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકારના ( Gujarat Government ) કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની ( Vande Bharat train ) મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
ગુજરાત સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી/વતન ( LTC ) પ્રવાસનો લાભ ૬૦૦૦ કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે.
ભારતીય રેલવે ( Indian Railways ) દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારનાં કર્મચારીઓ દ્વારા તેમને મળતા આવી રજા પ્રવાસ ( Holiday travel ) રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના વ્યાપક હિતમાં આ સંદર્ભમાં ઉદાર વલણ અપનાવીને એલ.ટી.સી. બ્લોક-૨૦૨૦-૨૩ની શરૂઆતથી રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે.
આ સમાચાર પણ વાંચો: Abhishek bachchan: શું ખરેખર અભિષેક બચ્ચને તેના અને ઐશ્વર્યા ના છૂટાછેડા પર કોઈ નિવેદન નથી આપ્યું? જાણો વાયરલ વિડીયો ની હકીકત
રાજ્ય સરકારનાં પાંચ લાખ કર્મચારીઓને રજા પ્રવાસ રાહત દરમ્યાન આ નિર્ણયનો લાભ મળશે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં નાણા વિભાગ દ્વારા આ અંગેના ઠરાવ પ્રસિધ્ધ કરવામાં આવશે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.