News Continuous Bureau | Mumbai
Joravarsinh Jadav Virasat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધંધુકાના આકરું ગામે નિર્મિત પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું હતું. આ સંગ્રહાલયમાં પ્રાચીન ચીજવસ્તુઓ અને ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓ નિહાળી મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે આયોજિત સન્માન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ સંસ્કૃતિના અસ્તિત્વ માટે વિરાસતનું જતન ખૂબ મહત્વનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણી વિરાસતનું ગૌરવગાન કરવાની પરંપરા ઉભી કરી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતની લોક સંસ્કૃતિ, ભાષા અને પરંપરાનું વિશ્વભરમાં અભૂતપૂર્વ ગૌરવગાન થઈ રહ્યું છે. આપણી લોકકલા અને ગુજરાતનું ( Gujarat ) ગૌરવ એવા ગરબા વિશ્વખ્યાતિ પામ્યા છે, જેનો શ્રેય વડાપ્રધાનને જાય છે એમ તેમણે ઉમેર્યું હતું.
આજના કાર્યક્રમને ( Joravarsinh Jadav Virasat ) સંસ્કૃતિના ગૌરવગાનનો અવસર ગણાવી મુખ્યમંત્રીએ સંસ્કૃતિના જતન માટેના ૬૦ વર્ષના પુરુષાર્થ તથા ‘વિરાસત’ સંગ્રહાલયના નિર્માણ બદલ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ ( Joravarsinh Jadav ) અને તેમના સમગ્ર પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાનએ આપેલા પ્રણમાંથી એક વિરાસતનું ( Virasat ) ગૌરવ છે. આ સંગ્રહલય લોક સંસ્કૃતિની ભવ્ય વિરાસતની જાળવણીમાં મહત્વનું યોગદાન આપવાની સાથે યુવા પેઢી માટે ચેતનાનું કેન્દ્ર ( Folk Art Museum ) બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
ધંધુકાના આકરું ગામે નિર્મિત પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું. આ સંગ્રહાલયમાં પ્રાચીન ચીજવસ્તુઓ અને ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓ નિહાળી ખૂબ આનંદ થયો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી વિરાસતનું ગૌરવગાન કરવાની પરંપરા ઉભી કરી છે. કોઈપણ… pic.twitter.com/MNsZMf0H0A
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 17, 2024
પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે મુખ્યમંત્રીનો ( Bhupendra Patel ) આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લોકકલાના સન્માનમાં મુખ્યમંત્રીનું આગમન અને આજનો અવસર આકરું ગામના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કાયમ માટે અંકિત થઈ ગયું છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Assembly Election: શું મુંબઈ મહારાષ્ટ્રથી અલગ થઈ જશે? ઉદ્ધવ ઠાકરે એ આ પ્રસ્તાવને રદ કરવાનું આપ્યું વચન; જાણો શું છે તે પ્રસ્તાવમાં…
સન્માન સમારોહમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ, ચંદુભાઈ શિહોરી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કાળુસિંહ ડાભી, કિરીટસિંહ ડાભી તેમજ સામાજિક- રાજકીય આગેવાનો તથા આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)