News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ(Congress) પાર્ટી એક્શનમાં આવી ગઈ છે.
આ જ ક્રમમાં કોંગ્રેસે મધ્ય પ્રદેશના(Madhya Pradesh) પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister) કમલનાથને(Kamal Nath) મોટી જવાબદારી સોંપી છે.
મહારાષ્ટ્રમાં હાલના રાજકીય ઘટનાક્રમને ધ્યાને રાખતા કોંગ્રેસ કમલનાથને મહારાષ્ટ્રના પાર્ટી પર્યવેક્ષક(Party Supervisor of Maharashtra) (સુપરવાઈઝર) તરીકે નિમણૂક કરી છે.
પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલા પત્રમાં લખ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષે કમલનાથને મહારાષ્ટ્રમાં હાલના રાજકીય ઘટનાક્રમને જોતા એઆઈસીસીના(AICC) પર્યવેક્ષક બનાવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. શિવસેનાના(Shivsena) વરિષ્ઠ નેતા એકનાથ શિંદે(Eknath Shinde) કથિત રીતે નારાજગીને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં(Politics of Maharashtra) વમળો ઉભા કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર સરકાર પર સંકટ – સુરત પહોંચ્યા શિવસેનાના આ બે નેતા- નારાજ ધારાસભ્યોને મનાવવાનો કરશે પ્રયાસ