Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર!! મહારાષ્ટ્રમાં આ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર ઓસરી જશેઃ આ પ્રધાને કર્યો દાવો જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર.

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના અને ઓમીક્રોનના કેસમાં ધરખમ ઘટાડો છેલ્લા થોડા દિવસથી જોવા મળી રહ્યો છે ત્યારે માર્ચ સુધીમાં મહારાષ્ટ્રમાંથી કોરોનાની ત્રીજી લહેર ઓસરી જશે એવો દાવો આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ દાવો કર્યો છે.
મુંબઈમાં કોરોનાની પ્રતિદિન સંખ્યા 500થી 800ની આસપાસ આવી ગઈ છે. તો રાજ્યમાં કેસ સતત ઓછા નોંધાઈ રહ્યો છે. છેલ્લા  થોડા દિવસથી કેસમા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે માર્ચના બીજા અઠવાડિયા સુધીમાં કોરોનાની ત્રીજી લહેર ઓસરી જશે એવું રાજેશ ટોપેએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું.

મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસનો ભીષણ એક્સિડન્ટ, આટલા લોકોના નિપજ્યા મોત, છ જખમી; જાણો વિગત

રાજ્યમાં દૈનિક કેસની સંખ્યા 48,000ની આસપાસ હતી, તે હવે દૈનિક સ્તરે 10થી 15,000ની આસપાસ આવી છે. મુંબઈ, પુણે, થાણે, રાયગઢમાં કેસમાં ધરખમ ઘટાડો થયો છે. તેથી પ્રતિબંધો હળવા કરવાનો વિચાર છે, જે હેઠળ દર અઠવાડિયામાં તબક્કાવાર પ્રતિબંધ હળવા કરવામાં આવશે એવું પણ રાજેશ ટોપેએ કહ્યું હતું  

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version