News Continuous Bureau | Mumbai
Livestock Insurance: ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકે છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪ પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડતી પશુધન વીમા સહાય યોજના અમલી બનાવી છે.
યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો માટે વર્ષ દરમિયાન નિયત સમયે ખુલ્લું મૂકવામાં આવતા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરીને લાભ લઇ શકે છે. પોર્ટલ પર અરજી કરવાની જાહેરાત વર્તમાનપત્રોમાં પ્રસારિત થતી હોય છે. પ્રતિ પશુપાલક ૧ થી ૩ વેતરના હોય તેવા ગાય-ભેંસ વર્ગના મહત્તમ ૩ પશુઓ માટે સહાય મળવાપાત્ર છે. નોંધનીય છે કે, યોજનાને વધુ અસરકારક બનાવવા ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે MOU થયા છે.
આ સમાચાર પણ વાંચો: National Social Assistance: ચોર્યાસી તાલુકામાં યોજાઈ સામાજિક ઓડિટની ગ્રામસભા, સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ગ્રામજનોને અપાયું માર્ગદર્શન…
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed