Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ‘અંધેર નગરી અને ગંડુ રાજા’ જેવો ખેલ, રાજ ભવન કહે છે નોમિનેટેડ સભ્યોની સૂચિ મારી પાસે નથી; મુખ્ય પ્રધાનનું કાર્યાલય કહે છે કે અમે આપી ન શકીએ… જાણો વિગત શું છે ગોટાળો?

મહારાષ્ટ્રમાં 'અંધેર નગરી અને ગંડુ રાજા' જેવો ખેલ, રાજ ભવન કહે છે નોમિનેટેડ સભ્યોની સૂચિ મારી પાસે નથી; મુખ્ય પ્રધાનનું કાર્યાલય કહે છે કે અમે આપી ન શકીએ… જાણો વિગત શું છે ગોટાળો?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

Join Our WhatsApp Community

મુંબઈ, ૨૪ મે ૨૦૨૧

સોમવાર

મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની 12 સીટ અત્યારે ખાલી પડી છે. આ સીટ પર સદસ્યો નોમિનેટ કરવા સંદર્ભેની સ્પષ્ટતા હજી સુધી થઈ શકી નથી. આ સીટો છ મહિનાથી ખાલી પડી છે.

વાત એમ છે કે મહારાષ્ટ્ર સરકારે આ સીટ પર નોમિનેટ કરવા માટે એક યાદી રાજભવનને પાઠવી છે, પરંતુ જ્યારે મુંબઈના RTI ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ આ સંદર્ભે પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે રાજભવન દ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્ય સરકાર તરફથી સભ્યોને નોમિનેટ કરવા માટે અત્યાર સુધી કોઈ સૂચિ મળી નથી. બીજી તરફ RTI ફાઇલ કરવામાં આવી કે મુખ્ય પ્રધાન તરફથી રાજભવનને કઈ સૂચિ પાઠવવામાં આવી છે? આના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું કે આ ગુપ્ત હોવાને કારણે અમે જાહેર કરી શકીએ એમ નથી.

આમ મહારાષ્ટ્ર સરકારમાં રાજ્યપાલ કે મુખ્ય પ્રધાનના કાર્યાલય બંનેમાંથી કોઈ પણ ઑફિસ ૧૨ સભ્યોની સૂચિ આપવા તૈયાર નથી, જેઓ આવનાર સમયમાં વિધાનપરિષદમાં નિયુક્ત સભ્યો બનવાના છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version