ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ , 24 એપ્રિલ 2021.
શનિવાર
દેશના ઘણા ભાગોમાં વધતા તાપમાનથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે કુદરત એપ્રિલ મહિનામાં ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ પર છેલ્લા 4 દિવસથી હિમવર્ષા કરી રહી છે. જેને લીધે વિસ્તારમાં ચારેબાજુ બરફની સફેદ ચાદર પથરાઇ ગઇ છે.
ઉત્તરાખંડમાં સતત વરસાદ અને હિમવર્ષાને કારણે વાતાવરણ એકદમ પલટાઇ ગયું છે. કેદારનાથમાં સતત હિમવર્ષા થતાં આશરે એક ફૂટ જેટલો બરફ જામી ગયો છે.

કેદારનાથ ઉપરાંત બદ્રીનાથમાં પણ ઊંચા શિખરો પર ભારે હિમવર્ષા થઇ રહી છે. 4 દિવસથી થઇ રહેલી હિમવર્ષાને કારણે વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે. ચારધામ સહિત પર્વતીય વિસ્તારોમાં બરફ પડી રહ્યો છે. જેમાં ચકરાતા, હેમકુંડ સાહિબ, ઔલી, હર્ષિલ વગેરે સ્થળોનો સમાવેશ થાય છે.

ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ ને કોરોના થયો, આજે અમિત શાહ સાથે ઉદ્ઘાટનમાં હતા
