• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - change - Page 2
Tag:

change

dharmendra changes his on screen name at the age of 88
મનોરંજન

Dharmendra: 88 વર્ષ ની ઉંમર માં ધર્મેન્દ્ર એ બદલ્યું પોતાનું નામ, જાણો ઇન્ડસ્ટ્રીના ‘હી-મેન’ ના નવા ઓનસ્ક્રીન નામ વિશે

by Zalak Parikh February 10, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Dharmendra: બોલિવૂડ માં હીમેન તરીકે ઓળખાતા દિગ્ગ્જ અભિનેતા ને લોકો ધર્મેન્દ્ર ના નામથી જાણે છે. ધર્મેન્દ્ર એ વર્ષ 1960 માં બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. ધર્મેન્દ્ર એ ઇન્ડસ્ટ્રી માં આવતા પહેલા પોતાનું નામ બાળકી નાખ્યું હતું. હવે ધર્મેન્દ્ર ને ઇન્ડસ્ટ્રી માં આવે 64 વર્ષ થઇ ગયા છે. અને હાલ અભિએન્ટ ની ઉંમર 88 વર્ષ છે. હવે ફરીએકવાર ધર્મેન્દ્ર એ પોતાનું ઓનસ્ક્રીન નામ બદલ્યું છે. જે શાહિદ કપૂર ની રિલીઝ થયેલી ફિલ્મ  ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ દ્વારા ખબર પડી છે. 

આ સમાચાર પણ વાંચો :  Arbaaz khan: અરબાઝ ખાને તેના અને જ્યોર્જિયા ના બ્રેકઅપ પર તોડ્યું મૌન, જ્યોર્જિયા ની આ વાત ને ગણાવી ખોટી

ધર્મેન્દ્ર એ બદલ્યું ઓનસ્ક્રીન નામ 

88 વર્ષ ની ઉંમર માં ધર્મેન્દ્ર એ પોતાનું ઓનસ્ક્રીન નામ બદલી નાખ્યું છે. શાહિદ કપૂર ની રિલીઝ થયેલી ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં ધર્મેન્દ્ર એ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ માં ધર્મેન્દ્ર ને ધર્મેન્દ્ર તરીકે નહીં પરંતુ ધર્મેન્દ્ર સિંહ દેઓલ ના નામે ક્રેડિટ આપવામાં આવી છે. તમને જાણી ને નવાઈ લાગશે કે ધર્મેન્દ્ર ના બાળપણ નું નામ ધરમ સિંહ દેઓલ હતું જે તેમને ઇન્ડસ્ટ્રી માં આવતા પહેલા ધર્મેન્દ્ર કર્યું હતું. હવે ફરી એકવાર તેમને તેમનું ઓનસ્ક્રીન નામ બદલ્યું છે. 

 

February 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rajasthan election polling date pushed to November 25 due to large scale weddings
રાજ્ય

Rajasthan Election 2023 : રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, હવે 23 નવેમ્બરે નહીં પણ આ તારીખે થશે મતદાન..

by kalpana Verat October 11, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Rajasthan Election 2023 : રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 23 નવેમ્બરે એક તબક્કામાં ચૂંટણી યોજાવાની હતી. હવે તેને બદલીને 25 નવેમ્બર કરવામાં આવી છે. જોકે, મતદાન એક જ તબક્કામાં થશે. ચૂંટણીના પરિણામો 03 ડિસેમ્બરે આવશે.

મહત્વનું છે કે કેન્દ્રીય ચૂંટણી પંચે રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. રાજસ્થાનમાં એક તબક્કામાં મતદાનની તારીખ 23 નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. પરંતુ, તારીખની જાહેરાત થયા પછી, વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ અને વિવિધ મીડિયા પ્લેટફોર્મે ચૂંટણીની તારીખ અંગે ભારતના ચૂંટણી પંચ સમક્ષ તેમના મંતવ્યો રજૂ કર્યા.

23 નવેમ્બરે છે દેવઊઠી એકાદશી

એવું કહેવામાં આવ્યું હતું કે દેવોત્થાન એટલે કે દેવઊઠી એકાદશી 23 નવેમ્બરે છે. જેના કારણે મોટી સંખ્યામાં લગ્ન સમારંભો અને શુભ અને ધાર્મિક તહેવારો થાય છે. આવી સ્થિતિમાં લોકોને અસુવિધાનો સામનો કરવો પડશે. વાહનોની અછત રહેશે અને મતદાનને પણ અસર થઈ શકે છે. આ કારણોસર, રાજ્યના ઘણા સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક સંગઠનોએ, તેમની રજૂઆત દ્વારા, આ તારીખે મતદાન મોકૂફ રાખવા માટે પંચને વિનંતી કરી હતી. પંચે તેના પર વિચાર કર્યો અને મતદાનની તારીખ બદલીને 23 નવેમ્બરને બદલે 25 નવેમ્બર (શનિવાર) કરી છે.

રાજસ્થાનમાં 5.25 કરોડ મતદારો છે

ચૂંટણી પંચ તરફથી મળેલી માહિતી મુજબ રાજસ્થાનમાં 5.25 કરોડ મતદારો પોતાની સરકાર પસંદ કરવા માટે મતદાન કરશે. રાજ્યમાં 2.73 કરોડ પુરુષ અને 2.52 કરોડ મહિલા મતદારો છે. રાજસ્થાનમાં સરકાર કોણ બનાવશે તે નક્કી કરવામાં 22.04 લાખ મતદારોની ભૂમિકા પણ મહત્વની રહેશે જેઓ પ્રથમ વખત મતદાન કરશે.

આ સમાચાર પણ વાંચો : iQOO Neo 8 Series: આ દિવસે લોન્ચ થશે iQOO Neo 8 સિરીઝ, જાણો ફોનના ખાસ ફિચર્સ અને કિંમત.

પાંચ રાજ્યોમાં યોજાવાની છે ચૂંટણી 

પાંચ રાજ્યોની 679 વિધાનસભા બેઠકો માટે 9 ઓક્ટોબરે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમ એવા રાજ્યો છે જ્યાં વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે. ચૂંટણી પંચ (EC)ની પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી શંખના અવાજ સાથે મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થયું. મધ્યપ્રદેશમાં 230, રાજસ્થાનમાં 200, તેલંગાણામાં 119, છત્તીસગઢમાં 90 અને મિઝોરમમાં 40 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે.

કયા રાજ્યમાં ક્યારે મતદાન થશે?

– છત્તીસગઢમાં 07 અને 17 નવેમ્બરે મતદાન થશે.

મિઝોરમમાં 07 નવેમ્બરે મતદાન થશે.

તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થશે.

– રાજસ્થાનમાં 23 નવેમ્બરે મતદાન થવાનું હતું, પરંતુ હવે બદલાયેલી તારીખ 25 નવેમ્બરે મતદાન થશે.

– મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે એક તબક્કામાં ચૂંટણી યોજાશે.

તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાઓનો કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરીમાં અલગ-અલગ તારીખે સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં નવેમ્બર-ડિસેમ્બર સુધી વિવિધ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે 17 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. મિઝો નેશનલ ફ્રન્ટ ત્યાં સત્તામાં છે. જ્યારે તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)નું શાસન છે અને મધ્ય પ્રદેશમાં ભાજપ સત્તામાં છે. તે જ સમયે, કોંગ્રેસ છત્તીસગઢ અને રાજસ્થાન બંને રાજ્યોમાં સત્તામાં છે.

વર્ષ 2018માં કોંગ્રેસે 99 બેઠકો જીતી હતી

વર્ષ 2018માં, 200 સભ્યોની રાજસ્થાન વિધાનસભાની 199 બેઠકો માટેની ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે મેદાનમાં હતી. કોંગ્રેસ 39.8 ટકા વોટ શેર સાથે 99 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી પરંતુ બહુમતી માટે જરૂરી 100 બેઠકોના જાદુઈ આંકડાથી માત્ર એક સીટથી ઓછી પડી હતી. ભાજપ, જે તે સમયે શાસક પક્ષ તરીકે મેદાનમાં ઉતર્યો હતો, તે વોટ શેરની દ્રષ્ટિએ નાના માર્જિનથી પાછળ હતો. કોંગ્રેસના 39.8 ટકા વોટ શેરની સરખામણીમાં ભાજપનો વોટ શેર 39.3 ટકા હતો. ભાજપને 73 બેઠકો મળી હતી.

 

October 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Yeh rishta kya kehlata hai: YRKKH 20 years generation leap and change of star cast rajan shahi tell the truth
મનોરંજન

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નહીં જોવા મળે પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા! શું લીપ પછી બદલાઈ જશે આખી સ્ટારકાસ્ટ?જાણો રાજન શાહી એ શું કહ્યું

by Zalak Parikh September 1, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: લોકપ્રિય ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’એ TRP લિસ્ટમાં તેમજ લોકોના દિલમાં જગ્યા બનાવવામાં કોઈ કસર છોડી નથી. આ શોને લઈને ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે હર્ષદ ચોપરા તેને અલવિદા કહેવા જઈ રહ્યા છે. હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિરાના ટ્રેક પર પૂર્ણવિરામ લાગશે અને હર્ષદ ચોપડાની સાથે પ્રણાલી રાઠોડ પણ શોને બાય-બાય કહેશે.

 

રાજન શાહી એ તોડ્યું મૌન 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અભિનવનું મૃત્યુ થયું ત્યારથી જ હર્ષદ ચોપરાની છુટ્ટી વિશે અટકળો ચાલી રહી હતી. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં 20 વર્ષનો લીપ જોવા મળશે, ત્યારબાદ હર્ષદ ચોપરા શો છોડીને કેનેડામાં રજાઓ ગાળવા જશે. હવે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના નિર્માતા એટલે કે રાજન શાહીએ આ બધી બાબતો પર મૌન તોડ્યું છે. તેણે હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોડના શો છોડવાની વાતને અફવા ગણાવી.યે રિશ્તા ક્યા કહેલાતા હૈના નિર્માતા રાજન શાહીએ હર્ષદ ચોપડાના શો છોડવાના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું અને કહ્યું, “હર્ષદ અને પ્રણલી સહિત કોઈ અભિનેતા શો છોડી રહ્યો નથી. અને તે સત્ય છે.” પરંતુ હજુ સુધી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં 20 વર્ષ ના લિપ ની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ સમાચાર પણ વાંચો : Rakhi Sawant: રાખી સાવંત ના આરોપ-પ્રત્યારોપ અભિનેત્રી ની બેસ્ટ ફ્રેન્ડ રાજશ્રી અને શર્લિન ચોપરા એ આદિલ ને બનાવ્યો પોતાનો ભાઈ! વિડીયો થયો વાયરલ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો કરંટ ટ્રેક 

નોંધનીય છે કે તાજેતરમાં જ જય સોની એટલે કે અભિનવ શોમાંથી બહાર થઈ ગયો છે. વાર્તામાં, અભિનવનું અવસાન થઈ ગયું છે, જેના પછી અક્ષરા અને અભીર ને ઊંડો આઘાત લાગ્યો છે અને અક્ષરા તેના પુત્રને આ આઘાતમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં અભિમન્યુ તેને પૂરો સાથ આપી રહ્યો છે. તે જ સમયે, અક્ષરા અને અભિનવ ફરી એકવાર સાથે હોઈ શકે છે અને અભીર પણ ડિપ્રેશનમાંથી બહાર આવવા લાગ્યો છે.

September 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Railway News :Change in 26 train timings at Ahmedabad division by western Railway, Check details
અમદાવાદ

Railway News : રેલ યાત્રી ધ્યાન દે.. અમદાવાદ મંડળમાંથી પસાર થતી આ 26 ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર, જુઓ સંપૂર્ણ યાદી…

by Dr. Mayur Parikh August 11, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 
Railway News : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સગવડતા અને ટ્રેનોની સમયની પાબંદીમાં વધુ સુધારો કરવા માટે, અમદાવાદ મંડળમાંથી પસાર થતી 26 ટ્રેનોમાં મંડળનાં અમદાવાદ, સાબરમતી,ચાંદલોડિયા, આંબલી રોડ અને વિરમગામ સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંડળ રેલ પ્રવક્તા અમદાવાદના અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર

1. તારીખ 18.08.2023 થી, ટ્રેન નંબર 22989 બાંદ્રા ટર્મિનસ-મહુવા સુપરફાસ્ટ એક્સપ્રેસ ના અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 00.30/00.45 કલાક ના બદલે 00.25/00.35 કલાકનો રહેશે.
2. તારીખ 23.08.2023 થી ટ્રેન નં. 22993 બાંદ્રા ટર્મિનસ-મહુવા સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 00.30/00.45 કલાક ના બદલે 00.25/00.35 કલાકનો રહેશે.
3. તારીખ 20.08.2023 થી ટ્રેન નં. 20819 પુરી-ઓખા એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 00.45/01.00 કલાક ના બદલે 00.35/00.45 કલાકનો રહેશે.
4. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 20955 સુરત – મહુવા સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 02.00/02.15 કલાક ના બદલે 01.45/01.55 કલાકનો રહેશે.
5. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 12971 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 02.45/02.55 કલાક ના બદલે 02.35/02.45 કલાકનો રહેશે.
6. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 04.50/05.05 કલાક ના બદલે 04.40/04.50 કલાકનો રહેશે.
7. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 05.20/05.30 કલાક ના બદલે 05.10/05.20 કલાકનો રહેશે.
8. તારીખ 21.08.2023 થી ટ્રેન નં. 22923 બાંદ્રા ટર્મિનસ – જામનગર હમસફર એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 07.55/08.05 કલાકના બદલે 07.45/07.55 કલાકનો રહેશે.
9. તારીખ 21.08.2023 થી ટ્રેન નં. 12476 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – હાપા સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 12.20/12.35 કલાક ના બદલે 12.10/12.20 કલાકનો રહેશે.
10. તારીખ 20.08.2023 થી ટ્રેન નં. 12478 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – જામનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 12.20/12.35 કલાક ના બદલે 12.10/12.20 કલાકનો રહેશે.
11. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 17.30/17.40 કલાક ના બદલે 17.25/17.35 કલાકનો રહેશે.
12. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 17.45/18.00 કલાકના બદલે 17.40/17.50 કલાકનો રહેશે.
13. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 01.05/01.15 કલાકના બદલે 00.55/01.05 કલાકનો રહેશે.
14. તારીખ 19.08.2023 થી ટ્રેન નં. 22990 મહુવા – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 01.55/02.05 કલાક ના બદલે 01.50/02.00 કલાકનો રહેશે.
15. તારીખ 18.08.2023 થી ટ્રેન નં. 22924 જામનગર – બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 01.55/02.05 કલાક ના બદલે 01.50/02.00 કલાકનો રહેશે.
16. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 22994 મહુવા – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાન નો સમય 01.55/02.05 કલાક ના બદલે 01.50/02.00 કલાકનો રહેશે.
17. તારીખ 20.08.2023 થી ટ્રેન નં. 16588 બિકાનેર-યસવંતપુર એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 06.55/07.10 કલાક ના બદલે 06.55/07.05 કલાકનો રહેશે.
18. તારીખ 21.08.2023 થી ટ્રેન નં. 19028 જમ્મુ તવી – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 07.10/07.20 કલાક ના બદલે 06.55/07.05 કલાકનો રહેશે.
19. તારીખ 19.08.2023 થી ટ્રેન નં. 22932 જૈસલમેર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 07.10/07.20 કલાક ના બદલે 06.55/07.05 કલાકનો રહેશે.
20. તારીખ 22.08.2023 થી ટ્રેન નં. 16311 શ્રી ગંગાનગર જંક્શન – કોચ્ચુવેલી એક્સપ્રેસ ના અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 07.20/07.35 કલાક ના બદલે 07.35/07.45 કલાકનો રહેશે.
21. તારીખ 23.08.2023 થી ટ્રેન નં. 22475 હિસાર – કોઈમ્બત્તુર સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 07.35/07.50 કલાક ના બદલે 07.35/07.45 કલાકનો રહેશે.
22. તારીખ 20.08.2023 થી ટ્રેન નં. 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 08.20/08.30 કલાક ના બદલે 08.15/08.25 કલાકનો રહેશે.
23. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 20.15/20.30 કલાક ના બદલે 20.15/20.25 કલાકનો રહેશે.
24. તારીખ 22.08.2023 થી ટ્રેન નં. 12941 ભાવનગર ટર્મિનસ – આસનસોલ સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 23.00/23.15 કલાક ના બદલે 23.00/23.10 કલાકનો રહેશે.
25. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 12972 ભાવનગર ટર્મિનસ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 23.40/23.50 કલાક ના બદલે 23.35/23.45 કલાકનો રહેશે.
26. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 10.35/10.45 કલાક ના બદલે 10.30/10.40 કલાકનો રહેશે.

આ સમાચાર પણ વાંચો : Surat: સેવાનો અનોખો સંકલ્પ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલે ક્ષયગ્રસ્ત દર્દીઓ સાથે કરી જન્મદિવસની ઉજવણી, 100 ન્યુટ્રીશન કીટ આપી ભેટ..

સાબરમતી, ચાંદલોડિયા, આંબલી રોડ અને વિરમગામ સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર

1.
તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા એક્સપ્રેસ નો ચાંદલોડિયા સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 05.24/05.26 કલાક ના બદલે 05.18/05.20 કલાકનો રહેશે અને વિરમગામ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 06.18/06.20 કલાક ના બદલે 06.06/06.08 કલાકનો રહેશે.
2.
તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ નો સાબરમતી સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 17.53/17.55 કલાક ના બદલે 17.52/17.54 કલાકે, ચાંદલોડિયા સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 18.05/18.07 કલાક ના બદલે 18.00/18.02 કલાકે, આંબલી રોડ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 18.12/18.14 કલાક ના બદલે 18.07/18.09 કલાકે અને વિરમગામ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 18.56/18.58 કલાક ના બદલે 18.48/18.50 કલાકનો રહેશે.
3.
તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ નો ચાંદલોડિયા સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 18.14/18.16 કલાક ના બદલે 18.08/18.10 કલાકનો રહેશે અને વિરમગામ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 19.05/19.07 કલાક ના બદલે 18.58/19.00 કલાકનો રહેશે.
રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

August 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
anupamaa show to take leap of 5 to 6 years anu will become a grown
મનોરંજન

બિઝનેસ વુમન તરીકે પરત ફરશે ‘અનુપમા’, લિપ બાદ બદલાઈ જશે જીવન, જાણો વિગત

by Zalak Parikh April 15, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર શો ‘અનુપમા’ આ દિવસોમાં TRP લિસ્ટમાં નંબર વન પર છે. આ દિવસોમાં શોમાં ઘણો હંગામો જોવા મળી રહ્યો છે. જ્યાં એક તરફ અનુપમા અને અનુજ અલગ થઈ ગયા છે, તો બીજી તરફ અનુપમા ફરી એકવાર પોતાનું નવું જીવન શરૂ કરી રહી છે. અનુપમાએ તેની નવી ડાન્સ એકેડમી ખોલી છે અને અનુજથી દૂર તેના જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. આ તક નો ફાયદો ઉઠાવી ને  વનરાજ ફરી એકવાર અનુપમાને તેના જીવનમાં પાછો લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

 

અનુપમામાં આવશે લિપ  

અનુપમાના શોમાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. વાસ્તવમાં, મીડિયા માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, અનુપમા શો 5 થી 6 વર્ષનો લિપ લેવા જઈ રહ્યો છે, જ્યાં છોટી અનુ હવે મોટી થશે અને શોમાં નવા પાત્રોની એન્ટ્રી થશે. આવી સ્થિતિમાં રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર શોમાં એક નવો ટ્વિસ્ટ જોવા મળશે.જો રિપોર્ટ્સ ની માનીએ તો અનુપમા માં લીપ પછી ઘણા બધા બદલાવ જોશે . અનુપમા હવે પહેલા કરતા વધુ આત્મવિશ્વાસ ધરાવશે અને તે જે પણ શરૂ કરશે તેમાં સફળ થશે. આ દરમિયાન અનુજ પણ તેના જીવનમાં ખુશ હશે પરંતુ તે અનુપમા વિના અધૂરો મહેસુસ કરશે. આવનારા સમયમાં તેની સાથે છોટી અનુ અને માયા પણ હશે.

 

અનુપમા નો વર્તમાન ટ્રેક 

‘અનુપમા’નો વર્તમાન ટ્રેક બતાવે છે કે હાલમાં બરખા, અંકુશ અને અધિક અનુજ નો બિઝનેસ સંભાળી રહ્યા છે. બીજી તરફ બરખા પ્રોપર્ટી તેમજ બિઝનેસ હડપ કરવાનો પ્રયાસ કરશે.’અનુપમા’ માં આગળ જોવા મળશે કે સમર અને ડિમ્પલ લગ્ન કરવાનું નક્કી કરે છે પરંતુ તેમની જવાબદારી લેવા માટે કોઈ આગળ આવતું નથી. તેથી સમર ઘર છોડવાનું નક્કી કરે છે. બીજી બાજુ, બરખા અનુપમા તમામ સામાન સાથે અનુપમાના ઘરે પહોંચે છે અને કહે છે કે અનુજે  આ સામાન મોકલાવ્યો છે.

April 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
anupamaa social media reaction anupamaa anuj maan fans asked for change of track
મનોરંજન

દર્શકોને નથી પસંદ આવી રહી અનુપમા ની લેટેસ્ટ સ્ટોરી, યુઝર્સે કહ્યું- ‘શાંતિ જોઈતી હોય તો આ શો ન જુઓ’

by Zalak Parikh March 22, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

ટીવી સિરિયલ ‘અનુપમા’માં હાલમાં અનુજ અને અનુપમાની આસપાસ વાર્તા વણાઈ રહી છે. વાસ્તવમાં, અનુજ અને અનુપમા છોટી અનુના જવાથી દુઃખી છે. પરંતુ, અનુપમા અનુજને સંભાળવા માટે સામાન્ય વર્તન કરવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં અનુજ અને અનુપમા વચ્ચે ગેરસમજ વધવા લાગી. એક તરફ, અનુપમા તેના અનુજ ને આ હાલતમાં જોઈ શકતી નથી. બીજી તરફ અનુજને લાગવા માંડે છે કે અનુપમા છોટી અનુ વગર પણ ખુશ છે. આ ગેરસમજને કારણે અનુજ-અનુપમા વાત કરતા નથી અને બંને વચ્ચે અંતર વધતું જાય છે. પરંતુ, દર્શકોને અનુજ અને અનુપમાનું અલગ થવું પસંદ નથી. તે સોશિયલ મીડિયા પર સિરિયલની વાર્તા બદલવાની માંગ કરી રહ્યા છે. અને કેટલાક સિરિયલ ન જોવાની વાત પણ કરી રહ્યા છે.

 

જનતા શું કહે છે?

એક યુઝરે લખ્યું, ‘હું અનુજને આટલી ખરાબ હાલતમાં જોઈ શકતો નથી.. હું ડિપ્રેશનમાં આવી રહ્યો છું’. અન્ય એક યુઝરે લખ્યું, ‘જો તમે તમારા માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખતા હો તો કૃપા કરીને આ શો ન જુઓ.’ તે જ સમયે, કેટલાક વપરાશકર્તાઓ અનુપમાનો પક્ષ લઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘અનુપમાને દરેક વ્યક્તિને છૂટાછેડા આપીને તેણે એવી જગ્યાએ જવું જોઈએ જ્યાં કોઈ તેનો સંપર્ક ન કરી શકે. તે સ્ત્રીને વિરામ આપો, ભાઈ. પહેલા વનરાજ અને હવે અનુજ.’બીજાએ લખ્યું, ‘ઓકે અમે સંમત છીએ કે અનુજ સર્વશ્રેષ્ઠ છે પરંતુ, તે હવે શું કરી રહ્યો છે? શું તે અનુપમા વિશે એટલું જ જાણે છે?’

#Anupamaa i cant see Anuj in such a bad state.. seriously making me more depressed😔

— shettygirl🇮🇳 (@shruthi_shettys) March 21, 2023

If you care about your mental health please don't watch this show💔😐
#anupamaa

— ℳ𝒪𝒩𝒜✨ (@fangirl2696) March 21, 2023

#anupamaa should gave divorce to every single person from her life and left for somewhere, where no one can reach her😐😐 give that woman some break Dkp🤬 first vanraj now Anuj too🤦🤦

— ℳ𝒪𝒩𝒜✨ (@fangirl2696) March 21, 2023

આગામી એપિસોડમાં અનુજ અનુપમા પર ગુસ્સે થશે.

આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે અનુજ તેના મિત્ર ધીરજ સાથે હોળીની ઉજવણી કરવા શાહ હાઉસ  પહોંચે છે. તે જુએ છે કે અનુપમા તેના પરિવાર અને ત્રણેય બાળકો સાથે કેટલી ખુશ છે. તે અનુપમાના સ્મિતને તેના સ્મિત પાછળ છુપાયેલું દર્દ ન જોઈને તેને જુએ છે અને સમજે છે કે અનુપમા છોટી અનુના જવાથી પરેશાન નથી. આ ગુસ્સામાં તે બધાની સામે અનુપમા નું અપમાન કરે છે.

March 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai: Western Railway announces change in platform for some trains at Borivali station from Feb 11, check details
મુંબઈ

લોકલ યાત્રી કૃપયા ધ્યાન દે.. પશ્ચિમ રેલવેએ બોરીવલી સ્ટેશન પર આ ટ્રેનોના પ્લેટફોર્મમાં કર્યો ફેરફાર, જુઓ ટ્રેનની યાદી અહીં..

by kalpana Verat February 11, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

મુંબઈવાસીઓ માટે લોકલ ટ્રેન તેમની લાઈફલાઈન છે… મુંબઈવાસીઓ સસ્તી અને ઝડપી રીતે ગમે ત્યાં પહોંચવા માટે લોકલ દ્વારા મુસાફરી કરે છે. દરમિયાન મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ બોરીવલી સ્ટેશન પર કેટલીક ટ્રેનોના શેડ્યૂલ પ્લેટફોર્મ બદલવાનો નિર્ણય લીધો છે.

સત્તાવાર નિવેદનમાં, WR એ જણાવ્યું હતું કે, બોરીવલી સ્ટેશન પર મુસાફરોની સરળતા અને સગવડતા માટે, 11 ફેબ્રુઆરી, 2023 થી બોરીવલી ખાતે કેટલીક ટ્રેનોના શેડ્યૂલ પ્લેટફોર્મ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. WR ના મુખ્ય જનસંપર્ક અધિકારી – સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1. ચર્ચગેટ – 08.22 કલાકે બોરીવલી પહોંચતી બોરીવલી એસી લોકલ ટ્રેન હવે પ્લેટફોર્મ નંબર 2ને બદલે પ્લેટફોર્મ નંબર 3 પર આવશે.

2. ચર્ચગેટ – બોરીવલી 08.25 કલાકે બોરીવલી પહોંચનારી લોકલ ટ્રેન હવે પ્લેટફોર્મ નંબર 3ને બદલે પ્લેટફોર્મ નંબર 2 પર આવશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈઃ વંદે ભારત એક્સપ્રેસમાં વિધાર્થિનીએ ગાયું દેશભક્તિ ગીત, સાંભળીને તાળીઓ પાડી ઉઠ્યાં PM મોદી, જુઓ વિડિયો..  

3. બોરીવલી-ચર્ચગેટ એસી લોકલ ટ્રેન 08.26 વાગ્યે બોરીવલી સ્ટેશનથી ઉપડનારી લોકલ ટ્રેન હવે પ્લેટફોર્મ નંબર 2 ને બદલે પ્લેટફોર્મ નંબર 3 પરથી ઉપડશે.

4. બોરીવલી-ચર્ચગેટ લોકલ ટ્રેન જે બોરીવલી સ્ટેશનથી 08.30 વાગ્યે ઉપડનારી લોકલ ટ્રેન હવે પ્લેટફોર્મ નંબર 3ને બદલે પ્લેટફોર્મ નંબર 2 પરથી ઉપડશે.

મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોની નોંધ લે..

February 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Saudi Arabia makes major change in citizenship rules
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાએ નાગરિકતાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, ભારતીયો પર શું થશે અસર?

by Dr. Mayur Parikh January 13, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સાઉદી અરેબિયાએ પોતાના દેશમાં નાગરિકતાના નિયમને લઈને મોટો ફેરફાર કર્યો છે. આ ફેરફાર ભારતીયોને પણ અસર કરશે. જો કે, આ ફેરફાર કોઈની નાગરિકતા છીનવી લેવા માટે નહીં પરંતુ તેને આપવા માટે કરવામાં આવ્યો છે. જાણો સાઉદી અરેબિયામાં નાગરિકતાનો નવો નિયમ શું કહે છે?

સાઉદી અરેબિયામાં જે નવો નિયમ બનાવવામાં આવ્યો છે. જેના અનુસાર, હવે સાઉદી મૂળની મહિલાઓના બાળકો નાગરિકતા માટે અરજી કરી શકે છે, જેઓએ વિદેશીઓ સાથે લગ્ન કર્યા છે. પરંતુ બાળકોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને તેઓ નાગરિકતા મેળવવા માટેના તમામ માપદંડોને પૂર્ણ કરવા જોઈએ.

નાગરિકતા અંગેનો આ નવો નિયમ

આ સમાચાર ભારતના પ્રવાસીઓ માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે સાઉદી અરેબિયામાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે જેમણે સાઉદી મૂળની મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. સાઉદી મીડિયા અનુસાર, વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાને સાઉદી અરેબિયન નેશનાલિટી સિસ્ટમની કલમ 8માં ફેરફારને મંજૂરી આપી દીધી છે.

સાઉદીની આ કલમમાં ફેરફાર બાદ, ‘જે વ્યક્તિનો જન્મ સાઉદી અરેબિયામાં થયો છે અને તેના પિતા વિદેશી નાગરિક છે, પરંતુ માતા સાઉદી મૂળની છે, તો તે વ્યક્તિને સાઉદી અરેબિયાની નાગરિકતા મળી શકે છે. જો કે, નાગરિકતા મેળવતા પહેલા, ઘણી શરતો પૂરી કરવી ખૂબ જ જરૂરી છે. સાઉદી અરેબિયાની નાગરિકતા માટે અરજી કરનાર વ્યક્તિ પાસે અરબી ભાષાનું સારું જ્ઞાન હોવું જોઈએ. તેનું પાત્ર સારું હોવું જોઈએ. તેની સામે કોઈ કાનૂની કાર્યવાહી ચાલી રહી ન હોય અથવા તે ભૂતકાળમાં 6 મહિનાથી વધુ જેલની સજા ન કાપી હોય.

આ સમાચાર પણ વાંચો :  દક્ષિણ આફ્રિકા T20 માં દર્શક બન્યો ફિલ્ડર, એક હાથે પકડ્યો જબરદસ્ત કેચ, હવે મળશે 48.25 લાખનું ઇનામ

સાઉદી અરેબિયામાં રહે છે લાખો ભારતીયો

સાઉદી અરેબિયામાં લગભગ 25 લાખ ભારતીયો રહે છે. આમાંના મોટાભાગના લોકો એવા લોકો છે જેઓ ત્યાં વેતન અથવા નાની કંપનીઓમાં કામ કરે છે. સાઉદી અરેબિયામાં એવા લોકો પણ મોટી સંખ્યામાં છે જેમણે પોતાનો બિઝનેસ સ્થાપિત કર્યો છે.

ભારતમાંથી આવેલા પ્રવાસીઓએ પણ સાઉદી મૂળની મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. જો કે, સાઉદી મૂળની મહિલા લગ્ન તો કરી લેતી, પરંતુ તેમના બાળકોને નાગરિકતા મેળવવી મુશ્કેલ બની ગઈ હતી. હવે સરકારના આ નિર્ણય બાદ મોટી સંખ્યામાં એવા લોકો નાગરિકતા માટે અરજી કરી શકશે, જેમના પિતા ભારતીય મૂળના છે, પરંતુ તેમની માતા સાઉદી મૂળની છે.

હજ અંગેના નિર્ણયથી પણ ભારતીયોને લાભ

તાજેતરમાં, સાઉદી અરેબિયાની સરકારે હજ યાત્રાને લઈને પણ આવો નિર્ણય લીધો છે, જેનાથી લાખો ભારતીય મુસ્લિમોને ફાયદો થયો છે. હકીકતમાં, સાઉદી અરેબિયા દ્વારા વર્ષ 2023 માટે ભારતમાંથી હજ યાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  બજારોમાં ઊંધિયાની ડિમાન્ડ વધતા શક્કરિયાની માંગ વધી : શક્કરિયા વિટામિન-સી અને મેગ્નેશિયમથી ભરપૂર

 

January 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

વાસ્તુ ટિપ્સ- તમારું સૂતેલું નસીબ પણ ચમકાવે છે એક ચંપલ-જાણો જૂતા સાથે જોડાયેલા વસ્તુ નિયમ

by Dr. Mayur Parikh September 29, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ હોય છે. આવી સ્થિતિમાં તમામ વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખવી ખૂબ જ જરૂરી છે. પગમાં પહેરવામાં આવતા ચપ્પલ(footwear) પણ વ્યક્તિના નસીબને ચમકાવવામાં મદદ કરે છે. ચપ્પલ સાથે જોડાયેલી આવી ઘણી વસ્તુઓ છે, જો તમે તેમાં તપાસ કરશો તો તમારી આર્થિક સ્થિતિમાં(financial position) અચાનક સુધારો થશે. ચપ્પલ  પણ તમને અમીર બનાવી શકે છે. બીજી તરફ જો કેટલીક બાબતોની અવગણના કરવામાં આવે તો તે ઘર માં ગરીબી આવતા વાર નથી લાગતી. વાસ્તુ અનુસાર હંમેશા ઉપયોગમાં લેવાતા જૂતા અને ચપ્પલને વ્યવસ્થિત રીતે પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. ચાલો જાણીએ ચપ્પલ સાથે જોડાયેલા કેટલાક જ્યોતિષીય ઉપાયો.

– ઘણી વખત ચપ્પલ ઉતારતી વખતે ચપ્પલ ચપ્પલની ઉપર જ રહે છે. આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે આ રીતે ચપ્પલ જોવા અશુભ છે. જો વ્યક્તિના ચપ્પલ પર ચપ્પલ હોય અથવા ચપ્પલ ઉંધી થઈ હોય તો તેને તરત જ તેને હટાવો  જો તમે આવું ન કરો તો જે વ્યક્તિ ની તે ચપ્પલ હોય છે તેના પર રોગોની(diseases) છાયા પડે છે.

– તમે ઘણીવાર જોયું હશે કે લોકોના ઘરમાં તૂટેલા અથવા ખરાબ ચપ્પલ રાખવામાં આવે છે. લોકો તેને ઠીક કરીને રાખશે એવું વિચારીને ઘરમાં રાખે છે. પરંતુ તૂટેલા ચપ્પલ(broken shoes) ઘરમાં અશાંતિ પેદા કરે છે. ઘરમાંથી તૂટેલા ચપ્પલને તાત્કાલિક દૂર કરવાનો પ્રયાસ કરો.

– ચપ્પલને ક્યારેય પણ ઘરમાં ઉંબરા પર ઉભા ન રાખવા જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો(positive vibes) વાસ નથી થતો.

– પગરખાં અને ચપ્પલ પહેરીને ક્યારેય ખોરાક(food) ન ખાવો. આમ કરવાથી દુર્ભાગ્ય વધે છે. રસોડામાં ખુલ્લા પગે પ્રવેશ કરવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જૂતા અને ચપ્પલ ખોવાઈ જવા શુભ માનવામાં આવે છે. જ્યારે આવું થાય છે, ત્યારે અશુભ ગ્રહો શુભ ફળ આપવા લાગે છે.

– ઘરના દરવાજા પર ચપ્પલ ઉતારવાથી ઘરમાં ક્યારેય બરકત નથી આવતી. ક્યારેય કોઈની પાસેથી ગિફ્ટ(gift) તરીકે શૂઝ ન લો. આવી સ્થિતિમાં તેનું દુર્ભાગ્ય તમારા ભાગ્યનો નાશ કરશે. ઉપરાંત, તૂટેલા ચંપલ અને ખરાબ ચપ્પલ પહેરવાનું ટાળવું જોઈએ. તેઓ ખરાબ નસીબને આમંત્રણ આપે છે. એવું માનવામાં આવે છે કે સ્વચ્છ અને સુંદર શૂઝ અને ચપ્પલ પહેરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

– શનિવારે(saturday) જૂતા અને ચપ્પલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને શનિવારે સાંજે ચામડાના ચંપલ અને જૂતા નું દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

– જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવાર અને શુક્રવારે (friday)નવા જૂતા અને ચપ્પલ પહેરવા શુભ માનવામાં આવે છે. તે તમારા ભાગ્યને જાગૃત કરવામાં મદદ કરે છે.

– અન્ય વ્યક્તિના ચપ્પલ ક્યારેય ન પહેરો. આવું કરવાથી તમારા પર ગરીબીનો પડછાયો આવે છે. જો તમે કોઈના ચપ્પલ પહેરો છો, તો તમે કોઈનો સંઘર્ષ(struggle) તમારા પર લઈ લો છો.

નોંધ – અમે એવો દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. તેમને અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો

આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ- ઘરમાં કબૂતરનો માળો હોવો શુભ છે કે અશુભ- જાણો તેના સંબંધિત સંકેતો વિશે

September 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

સોનાક્ષી સિન્હાએ બદલ્યો પોતાનો લુક-નવા અવતારમાં ઓળખવી થઈ મુશ્કેલ- જુઓ ફોટોગ્રાફ્સ

by Dr. Mayur Parikh July 9, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ફિલ્મો કરતા વધારે પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક તેના બાલિશ નિવેદનની ચર્ચા થાય છે તો ક્યારેક તેના બોયફ્રેન્ડના નામની. હવે તેણે સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ શેર કરી છે, જેમાં તેને ઓળખવી મુશ્કેલ છે. સોનાક્ષી સિન્હા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. તેણે થોડા સમય પહેલા જ તેના કેટલાક ફોટો શેર કર્યા હતા, જેમાં તે બ્લોન્ડ લુકમાં જોવા મળી રહી છે. તેના ડ્રેસની જેમ તેના વાળ પણ ગોલ્ડન કલરમાં દેખાઈ રહ્યા છે. હવે આ લુકને જોઈને લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

સોનાક્ષી બ્લોન્ડ હેર લુકમાં એકદમ અલગ લાગી રહી છે. આટલું જ નહીં, તેણે તેના હેર કલર સાથે મેળ ખાતો હેવી એમ્બ્રોઇડરી ગાઉન પહેર્યો છે.તસવીરોમાં સોનાક્ષીનો ડ્રેસ અને તેના વાળનો રંગ બરાબર મેચ થઈ રહ્યો છે. અભિનેત્રીએ હેવી બેઝ, સ્મોકી આઈ મેકઅપ અને ન્યુડ લિપસ્ટિક સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

સોનાક્ષી સિન્હાનો આ લુક ચાહકોથી લઈને મનોરંજન જગતના સ્ટાર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે અને તેના કોમેન્ટ બોક્સ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. તે જ સમયે, સોનાક્ષીના ફોટા પર હુમા કુરેશીની ટિપ્પણી સૌથી વધુ લાઈમ લાઈટમાં આવી છે.તેણે કોમેન્ટમાં ડરામણું લખ્યું છે, જ્યારે તેની બીજી કોમેન્ટમાં તેણે ઘણાં હાર્ટ ઇમોજી શેર કર્યા છે. ચાહકોને પણ તેનો આ લુક પસંદ આવી રહ્યો છે અને તેઓ કોમેન્ટ બોક્સમાં તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સોનાક્ષીનો સમાવેશ થાય છે. તેણે પોતાના કરિયરની શરૂઆત સલમાન ખાન સાથે ફિલ્મ 'દબંગ'થી કરી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનાક્ષી સિંહા ડબલ એક્સએલ, કાકુડા, હરી હરા વીરા મલ્લુ, સર્કસ સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : બ્લેક કલર ના ટ્રાન્સપરન્ટ ડ્રેસ માં સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ અવનિત કૌર-જોવા મળ્યો અભિનેત્રી નો ગ્લેમરસ અવતાર-જુઓ ફોટોગ્રાફ્સ

July 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક