• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - garba - Page 2
Tag:

garba

Gujarat 11 people died of heart attack in Gujarat in last 24 hours during Navratri ..
રાજ્ય

Gujarat: અસહ્યઃ નવરાત્રી દરમિયાન છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 11 જણના હાર્ટ એટેકથી મોત .. જાણો શું છે આ સમગ્ર મામલો..વાંચો વિગતે અહીં..

by Hiral Meria October 22, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Gujarat: ગુજરાતમાં યમરાજાએ જાણે આતંક મચાવ્યો હોય તેમ એક પછી એક એમ 11 જણને હૃદયરોગનો ( Heart disease ) હુમલો ( Attack )  આવતા તેમના મોત થયા છે. . જેમાં ગરબા ( Garba ) રમતા ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે, તો બે લોકોના ફરજ દરમિયાન મૃત્યુ ( Death )  થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ, અમદાવાદ, કપડવંજ, હાલાર, સુરતમાં ( Surat ) હાર્ટએટેકથી ( heart attack ) મોતના કિસ્સા બન્યા છે.

સુરતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. લગભગ 15 દિવસમાં 10 હાર્ટ એટેકથી મોતની ઘટના નોંધાઈ છે. સુરત શહેરમાં સતત બીજા દિવસે બે યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા છે. આ આંકડા ફક્ત સિવિલ હોસ્પિટલના (  Civil Hospital ) છે. ખાનગી હોસ્પિટલના આંકડા ખૂબ જ ચોંકાવનારા હોઈ શકે છે.

ખેડાના કપડવંજમાં ગરબા રમતા 17 વર્ષીય કિશોરનું ગરબા રમતા હાર્ટએટેક આવતા મોત થયું છે. નવરાત્રિના છઠ્ઠા નોરતાએ કપડવંજમાં વીર શાહ નામનો કિશોર ગરબા રમી રહ્યો હતો, ત્યારે એકાએક તેના નાકમાંથી લોહી પડવા લાગ્યું હતું. ત્યારબાદ કિશોરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ હાજર ડૉક્ટરે કિશોરને મૃત જાહેર કર્યો હતો. શારીરીક રીતે સ્વસ્થ 17 વર્ષીય કિશોરને ગરબા રમતા હાર્ટએટેકથી મોત થતા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો છે.

આ સમાચાર પણ વાંચો : Cyclone Tej : ચક્રવાત તેજ 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે, જાણો શું છે હવામાન વિભાગની આગાહી..વાંચો વિગતે અહીં..

 આરોગ્ય નિષ્ણાંતોની ચિંતા વધી

ડભોઇમાં પણ હાર્ટ એટેકની ઘટના બની છે. 13 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત થયું છે. વૈભવ સોની નામના 13 વર્ષના બાળકને ઉલટી આવ્યા બાદ હાર્ટ બંધ થયુ હતું. વૈભવ ધોરણ 6માં અભ્યાસ કરતો હતો. તે બે દિવસ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમ્યો હતો.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 28 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. ભાદર 2 ડેમના પાટિયામાં સમારકામ કરતાં 28 વર્ષીય મજૂરનું હાર્ટએટેકથી મોત થયું છે. રાજકોટ-હાર્ટ એકેટના કારણે ૪૪ વર્ષીય બિલ્ડરનું મોત નિપજ્યું છે. રૈયા રોડ પર આવેલા અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા જયેશ ઝાલાવડિયાને તેમના ઘરમાં જ હાર્ટએટેક આવ્યો હતો. સવારે ૭ વાગ્યે ઘરે બેભાન હાલતમાં પડી ગયા હતા અને બાદમાં હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કર્યા હતા.

અમદાવાદમાં શહેરમાં ગરબા દરમિયાન મોત નિપજ્યાનો પહેલો બનાવ બન્યો છે. ગરબા રમવા દરમિયાન હાર્ટ એટેક આવતા યુવાનનું મોત નિપજ્યું છે. વટવામાં રહેતો રવિ પંચાલ હાથીજણમાં વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયો હતો. ગુરુવારના રોજ ગરબા દરમિયાન 12 વાગ્યાની આસપાસ રવિ પંચાલને અચાનક છાતીમાં દુખાવો થતાં એમ્બ્યુલન્સમાં લઈ જાય તે પહેલાં જ તેનું મોત નિપજ્યુ હતુ. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મોતનો ગુનો દાખલ કરાયો છે.

October 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Garba: Senior citizens enthusiastically take part in Garba inside the local train in Mumbai.
મુંબઈ

Garba: વાહ…જિંદગી જીવવી તો આવી જીવવી… ના DJ ના ઢોલ, પણ ટ્રેનમાં ગરબાની રમઝટ. જુઓ વિડીયો..

by Hiral Meria October 21, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Garba : ગુજરાત હોય કે મહારાષ્ટ્ર કે અન્ય કોઈ રાજ્ય, શારદીય નવરાત્રિમાં ( Navratri ) બધા સાથે મળીને ગરબા અને દાંડિયા રમે છે. બીજી તરફ મુંબઈની ( Mumbai ) વ્યસ્ત લાઈફમાં રોજ ઓફિસ જતા લોકો પાસે રોજેરોજ આવી ઈવેન્ટ્સમાં ભાગ લેવા માટે પૂરતો સમય નથી હોતો, પરંતુ અહીં પુરુષોના એક જૂથે ચાલતી લોકલ ટ્રેનમાં ( Local Trains ) ગરબા ડાન્સ કરવા માટે સમય કાઢી લીધો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જુઓ વિડીયો ( Viral Video ) 

Garba in Mumbai Local pic.twitter.com/Xd4MtiQsGu

— Mumbai Heritage (@mumbaiheritage) October 18, 2023

વાયરલ વીડિયો માં જોઈ શકાય છે કે, લોકલ ટ્રેનમાં વેપારીઓ (Businessman) નું એક જૂથ ગરબા રમી રહ્યું છે. ત્યારે એકબાજુ તેઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે અને ત્યાં બેઠેલા અન્ય લોકો પણ તેમને જોઈને મજા માણી રહ્યા છે. વીડિયોમાં કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ… ગીત વાગી રહ્યું છે..

આ સમાચાર પણ વાંચો : WhatsApp feature : વ્હોટ્સએપ લાવ્યું પ્રાઈવસીનું વધુ એક ફીચર, જુઓ કેવી રીતે કરશે કામ…

હાલ આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે અને વીડિયો પર ઘણા યૂઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

October 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

Murjibhai Patel : લોક-લાગણીને સન્માન આપનાર મહારાષ્ટ્ર સરકારનો આભાર: શ્રી મૂરજીભાઈ પટેલ

by Akash Rajbhar October 21, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Murjibhai Patel : ‘કુમ કુમનાં પગલાં પડ્યાં, માડીનાં હેત ઢળ્યાં…’ એક નહીં, બે નહીં, પણ છેલ્લા ત્રણે દિવસ મધરાત સુધી ગરબા રમવાની પરવાનગી મળતાં ગરબા(Garba) આયોજકો, ગરબા રસિકો અને ખેલૈયાઓ ખુશખુશાલ થઈ ગયા છે. નવરાત્રિ(Navratri) દરમિયાન ખેલૈયાઓનો જોમ અને ઉત્સાહ અકબંધ રાખવા માટે મહારાષ્ટ્ર સરકાર(Maharashtra Govt) દ્વારા નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસ રાત્રે 12 વાગ્યા સુધી ગરબા અને લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી(permission) આપવામાં આવી છે. શનિવાર, રવિવાર ને સોમવારે મધરાત 12 વાગ્યા સુધી ગરબાનું આયોજન કરવા મળશે.

Thanks to the Government of Maharashtra for respecting public sentiment: Mr. Murjibhai Patel

Thanks to the Government of Maharashtra for respecting public sentiment: Mr. Murjibhai Patel

Thanks to the Government of Maharashtra for respecting public sentiment: Mr. Murjibhai Patel

Thanks to the Government of Maharashtra for respecting public sentiment: Mr. Murjibhai Patel

Thanks to the Government of Maharashtra for respecting public sentiment: Mr. Murjibhai Patel

Thanks to the Government of Maharashtra for respecting public sentiment: Mr. Murjibhai Patel

Thanks to the Government of Maharashtra for respecting public sentiment: Mr. Murjibhai Patel

મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયની સરાહના કરતાં અંધેરી-પૂર્વની ‘છોગાળા રે'(Chogada Re) નવરાત્રિના આયોજક અને લોકસેવક મૂરજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, “મોજુદા સરકાર લોકોની લાગણીની તરફેણમાં કામ કરી રહી છે. સરકારના આ નિર્ણયથી સમસ્ત ગરબા પ્રેમીઓ અને ગરબા આયોજકો ખુશ છે. જ્યારથી મહારાષ્ટ્રમાં નવી સરકાર આવી છે, ત્યારથી લોકહિત ના નિર્ણયો લેવાઈ રહ્યા છે. ખરું કહીએ તો કોરોનાને કારણે જે ધાર્મિક કાર્યક્રમો પર બંદીશ લાગી હતી તેની બેડીઓ તૂટી ગઈ છે.”

આ વર્ષે પ્રથમવાર રજૂ કરાયેલી ‘છોગાળા રે’ નવરાત્રિનો ક્રેઝ લોકોમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. આશરે 10 હજારથી વધુ ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને દરરોજ અહીં ગરબે ઘૂમે છે. કચ્છી કોયલ ગીતા રબારીએ પોતાની અનોખી શૈલીમાં ગરબાની જોરદાર રમઝટ બોલાવે છે ને તેમના તાલે ગરબા રસિકો મન મૂકીને નાચે છે. પારંપરિક ગરબા સાંભળવા માટે પણ અહીં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડે છે.

આ સમાચાર પણ વાંચો : Partial Lunar Eclipse : 28-29,2023 ઓક્ટોબરના રોજ ચંદ્રનું આંશિક ચંદ્રગ્રહણ

October 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
allowed to play garba till 12 for 3 days in mumbai
મુંબઈTop Post

Mumbai: ખેલૈયાઓ માટે સારા સમાચાર! શીંદે સરકારનો સકારાત્મક અભિગમ..તો ખેલૈયાઓ હવે વધુ એક દિવસ રાત્રે ૧૨ વાગ્યા સુધી ગરબે ઝૂમશે..

by Akash Rajbhar October 20, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Mumbai: મુંબઇમાં નવરાત્રીની(Navratri) ઉલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. ખેલૈયાઓ ઉત્સાહ ભેર દરરોજ ગરબાની(garba) રમજટ બોલાવી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આ વખતે મુંબઈમાં બેને બદલે ત્રણ દિવસ 12 વાગ્યા સુધી રમવાની છૂટ સરકારે આપી છે.. તેથી આ વખતેની નવરાત્રીમાં વધુ ઉત્સાહની લાગણી છલકાઈ છે..

નવરાત્રિમાં બેને બદલે ત્રણ દિવસ સુધી વધુ સમય માટે રમવાની છૂટ મળે એ માટે ભાજપના નેતા પ્રવીણ દરેકરે ગુરુવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને(Eknath Shinde) આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે શિંદે સરકારે હકારાત્મક વલણ દાખવ્યું છે. નવરાત્રિમાં એક દિવસ વધુ રમવાની છૂટ આપવાની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો :  Israel Hamas War: હમાસ-પુતિન પર બાયડનના પ્રહાર, કહ્યું ‘બંને લોકતંત્રના દુશ્મન, US માટે યુક્રેન-ઈઝરાયલ સૌથી મહત્વના’..

ત્રણ દિવસ 12 વાગ્યા સુધી ગરબાની રમજટ જામશે…..

લાંબા સમયથી આવી માગણીઓ થતી રહી છે, મહાવિકાસ આઘાડી સરકારે આ અંગે ક્યારે પણ પહેલ નહોતી કરી, પણ જ્યારથી શિંદે સરકાર આવી છે ત્યારથી તેઓ માતાજીના ભક્તો માટે હકારાત્મક વલણ અપનાવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. ગયા વર્ષે પણ બે દિવસની છૂટને ચાર દિવસની કરવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી, પણ સરકારે ત્રણ દિવસની છૂટ આપી હતી..

આ વર્ષે પણ ખેલૈયાઓ ત્રણ દિવસ વધુ સમય માટે ગરબા રમી શકે એ માટે ભાજપના(BJP) પ્રવીણ દરેકરે મુખ્ય પ્રધાનને ગુરુવારે આવેદન પત્ર આપ્યું હતું. એકનાથ શિંદેએ આ બાબતને ધ્યાનમાં લીધી હતી અને વધુ એક દિવસ વધુ સમય માટે રમવાની પરવાનગી આપવાની જાહેરાત કરતા ખૈલયાઓમાં ઉત્સાહની લાગણી છવાઈ ગઈ છે.

તેથી મુંબઈમાં હવે માત્ર રવિવાર અને સોમવારને બદલે શનિવાર, રવિવાર અને સોમવાર એમ ત્રણ દિવસ 12 વાગ્યા સુધી ગરબાની રમજટ જામશે.. આ સમાચારથી ખેલૈયાઓમાં વધુ ઉત્સાહ અને ઉમંગોની લાગણી છવાશે..

October 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Navratri celebration in different indian states
ફોટો-સ્ટોરી

Photos: દેશના અલગ-અલગ રાજ્યોમાં વિવિધ રીતે ઉજવાય છે નવરાત્રીનો તહેવાર, ક્યાંક રામલીલા – દશેરા તો ક્યાંક બથુકમ્મા પાંડુગા..!

by NewsContinuous Bureau October 17, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai

Navratri In Different Indian States: શક્તિની આરાધનાના મહા પર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દેશના જુદા જુદા ભાગોમાં નવરાત્રી(Navratri celebration) ઉજવવાની રીત અલગ-અલગ છે. આ પ્રસંગે કોલકાતામાં દુર્ગા પૂજા, મૈસુરમાં દશેરા, ઉત્તર ભારતમાં રામલીલા, ગુજરાતમાં ગરબા જેવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રીના શુભ અવસર પર, આવો જાણીએ કે ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારતમાં નવરાત્રી કેવી રીતે ઉજવવામાં આવે છે.
ગુજરાત- મહારાષ્ટ્રમાં ગરબા
Garba is not a secular festival, how hard is it to understand
ગુજરાત અને મહારાષ્ટ્રમાં નવરાત્રી દરમિયાન ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જો કે, આ શારદીય નવરાત્રિના પ્રસંગે કરવામાં આવે છે. ગરબામાં, પરંપરાગત ગુજરાતી ડ્રેસમાં સજ્જ છોકરાઓ અને છોકરીઓ ગરબા પંડાલમાં ગીતો અને સંગીતની ધૂન પર ગરબા(Garba) કરે છે. ગરબા પંડાલોને ખાસ શણગારવામાં આવે છે. આ તહેવાર દરમિયાન અંબાજી માતાની પૂજા કરવામાં આવે છે. 
બંગાળમાં દુર્ગા પૂજા
Durga Puja 2022 Date: बंगाल में इस दिन शुरू होगी दुर्गा पूजा की धूम, जानें तिथि और शुभ मुहूर्त
નવરાત્રી પૂર્વ ભારતીય રાજ્ય બંગાળમાં દુર્ગા પૂજા તરીકે ઉજવવામાં આવે છે. નવરાત્રિના છેલ્લા ચાર દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. સમગ્ર પશ્ચિમ બંગાળ રંગો અને રોશનીથી શણગારવામાં આવે છે. માનવામાં આવે છે કે દેવી દુર્ગા સ્વર્ગમાંથી પૃથ્વી પર પોતાના પિયરમાં આવે છે, તેમનુ ખૂબ જ હૂંફ અને પ્રેમથી સ્વાગત કરવામાં આવે છે. દુર્ગા પૂજા(Durga puja) દરમિયાન, વિશાળ પંડાલો શણગારવામાં આવે છે અને દુર્ગામાની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો દસમો દિવસ અનિષ્ટ પર દુર્ગાના વિજય તરીકે ઉજવવામાં આવે છે.
હિમાચલમાં કુલ્લુ દશેરા
Kullu Dussehra: रामलीला नहीं, यहां होता है देवमहाकुंभ, मोदी भी बनेंगे जिसके गवाह, आप भी जान लीजिए 5 खास बातें - Kullu International Dussehra Festival Famous for Different ...
હિંદુ નવરાત્રી પણ હિમાચલમાં ખૂબ જ ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. નવરાત્રી ઉત્સવના દસમાં દિવસને હિમાચલમાં કુલ્લુ દશેરા(Kullu Dashera) તરીકે ઓળખવામાં આવે છે. તે ભગવાન રામના અયોધ્યા પરત ફરવાને ચિહ્નિત કરે છે. હિમાચલ અને ભારતના અન્ય રાજ્યોના લોકો દેવી દુર્ગાની પૂજા કરવા માટે વિવિધ મંદિરોની મુલાકાત લે છે. પ્રખ્યાત કુલ્લુ દશેરાનો ભાગ બનવા માટે, તમારે આ સમય દરમિયાન હિમાચલ પ્રદેશની મુલાકાત લેવી જોઈએ. 
ઉત્તર ભારત- રામલીલા અને કન્યા પૂજન
Ayodhya Ramleela 2022 Darshan 3 BJP MP to play major role 5000 people can see live | Ayodhya Ki Ramleela: 3 BJP सांसद निभाएंगे अहम भूमिका! 5 हजार लोगों को लाइव रामलीला
ઉત્તર ભારતમાં મોટાભાગના સ્થળોએ, નવરાત્રીના અવસરે રામલીલા(Ramleela)ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. હિંદુ મહાકાવ્ય રામાયણમાંથી ભગવાન રામના જીવનને નાટકીય સ્વરુપે થિયેટરો, મંદિરો, પંડાલો અને સ્ટેડિયમોમાં બતાવવામાં આવે છે. આ સિવાય ઉત્તર ભારતમાં નવરાત્રીના 9 દિવસ પૂરા થયા બાદ 9 દેવી-દેવતાઓની કન્યા સ્વરૂપે પૂજા-અર્ચના કરવાનો રિવાજ છે.
રાજસ્થાન- દશેરાનો મેળો
Dussehra Mela 2022:बच्चों को दिखाना है दशहरा का मेला, तो इन जगहों पर जा सकते हैं आप - Dussehra Mela 2022 Famous Places In India To Enjoy Dussehra Celebration With Kids -
દશેરા રાજસ્થાનમાં તહેવારોની મોસમની શરૂઆત દર્શાવે છે. આ પ્રસંગે રાજસ્થાનમાં અનેક સ્થળોએ પશુ મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં પ્રાણીઓનો વેપાર થાય છે અને રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય કોટાનો દશેરા સૌથી પ્રખ્યાત છે. અહીં સૌથી ઉંચુ, 72 ફૂટનો રાવણનુ પૂતળુ સ્થાપિત કરવામાં આવે છે અને દશેરાના દિવસે તેનું દહન કરવામાં આવે છે. રાજસ્થાનના વિવિધ શહેરોમાં દશેરાથી ધનતેરસ સુધીના 20 દિવસના મેળાઓનું આયોજન કરવામાં આવે છે, જે ભારતમાં અન્ય ધાર્મિક તહેવાર દિવાળીની શરૂઆત કરે છે.
આંધ્ર પ્રદેશમાં બથુકમ્મા પાંડુગા
బంధాల బతుకమ్మ!-Namasthe Telangana
આંધ્રપ્રદેશમાં નવરાત્રીને “બથુકમ્મા પાંડુગા”(bathukamma panduga) તરીકે ઉજવવામાં આવે છે, જેનો અર્થ થાય છે ‘આવો, જીવંત માતા દેવી’. નવરાત્રીઉત્સવ દેવી ગૌરીને સમર્પિત છે, અને દેવીની મૂર્તિને બથુકમ્મા નામના ફૂલના ઢગલામાં સ્થાપિત કરવામાં આવે છે. તે આંધ્ર પ્રદેશમાં ખાસ કરીને તેલંગાણા ક્ષેત્રમાં સૌથી મહત્વપૂર્ણ પૈકીનો એક જ નહીં પણ સૌથી મોટો તહેવાર પણ છે. સિલ્કની સાડીઓ અને સોનાના આભૂષણોમાં સજ્જ મહિલાઓ દેવી ગૌરીના આશીર્વાદ મેળવવા બથુકમ્માની આસપાસ એકત્ર થાય છે.
કેરળ-સરસ્વતી પૂજા
Festival of Navratri Different Ways How India Celebrates
નવરાત્રી દરમિયાન કેરળમાં સરસ્વતી પૂજા(Sarasvati puja)નું આયોજન કરવામાં આવે છે. આ દિવસ દરમિયાન, વિજયાદશમી નિમિત્તે, ખેતીના ઓજારો, તમામ પ્રકારના સાધનો, પુસ્તકો, સંગીતનાં સાધનો, ઓજારો, મશીનરી અને વાહનને શણગારવામાં આવે છે અને દેવી સરસ્વતીની પૂજા સાથે પૂજા કરવામાં આવે છે. 10મો દિવસ ‘વિજય દશમી’ તરીકે ઉજવવામાં આવે છે. તે કેરળમાં “વિદ્યારમ્બમ” નો દિવસ છે, જ્યાં નાના બાળકોને વિદ્યાની દીક્ષા આપવામાં આવે છે.
કર્ણાટક – મૈસૂર દશેરા
Top 10 Major Attractions and Facts of the Mysore Dasara Festival - The Strong Traveller
મૈસૂર દશેરા એ કર્ણાટકનો નદહબ્બા અથવા રાજ્ય-તહેવાર છે, જે સમગ્ર કર્ણાટકમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. તે શારદીય નવરાત્રીથી શરૂ થાય છે અને વિજયાદશમીના અવસરે આયુધ પૂજા સાથે સમાપ્ત થાય છે. આ અવસરે ઘરમાં રાખવામાં આવેલા ઓજારો, શસ્ત્રો, પુસ્તકો, સંગીતનાં સાધનો, સાધનો, મશીનરી અને વાહનને શણગારીને પૂજા કરવામાં આવે છે. મૈસુરમાં દશેરા દેવી ચામુંડીને લઈને શેરીઓમાં ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવવામાં આવે છે. આખા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે.
તમિલનાડુ- બોમ્માઈ કોલુ
Childhood memories of Navarathri | Buzzing!
તમિલનાડુમાં નવરાત્રી દરમિયાન માત્ર દુર્ગા જ નહીં પરંતુ લક્ષ્મી અને સરસ્વતી જેવા અન્ય હિંદુ દેવ-દેવતાઓની પણ પૂજા કરવામાં આવે છે. આ તહેવાર(bommai kolu) માત્ર મહિલાઓ જ ઉજવે છે. દંતકથાઓ અનુસાર, ત્રણ અલગ-અલગ દિવસોમાં ત્રણ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને લોકો એકબીજા સાથે કપડાં, મીઠાઈઓ અને નારિયેળ જેવી ભેટોની આપ-લે કરે છે. તમિલનાડુમાં નવરાત્રીની ઉજવણીનો બીજો રિવાજ કોલુ (ઢીંગલીની મૂર્તિઓ)નું પ્રદર્શન છે. ઢીંગલીઓને કલા અને દિવ્યતાના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચોઃ Shardiya Navratri Rules: આ શારદીય નવરાત્રીમાં શું કરવું અને શું ન કરવું? જાણો પૂજાના નિયમો
October 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Geeta Rabari in Murjibhai Patel's Chogada Re Navratri, a new super hit Navratri in Mumbai.
મુંબઈ

Chogada Re Navratri: મુંબઈમાં આવી એક નવી સુપરહીટ નવરાત્રી, મુરજીભાઈ પટેલની છોગાળા રે નવરાત્રી માં ગીતા રબારી…

by Hiral Meria October 17, 2023
written by Hiral Meria

  News Continuous Bureau | Mumbai

Chogada Re Navratri: વર્ષોથી અંધેરી-પૂર્વનો ( Andheri ) વિસ્તાર ઑફિસ સ્પેસ તરીકે જાણીતો છે, પણ ગઈકાલે મુરજીભાઈ પટેલ ( Murjibhai Patel )  આયોજિત ‘છોગાળા રે નવરાત્રિ ઉત્સવ-2023’ની શાનદાર શરૂઆત થતાં જ જાણે આ ક્ષેત્રમાં પ્રાણ ફૂંકાયો ને આખો વિસ્તાર કચ્છી કોયલ તરીકે પ્રખ્યાત લોકગાયિકા ગીતા રબારીના ( Geeta Rabari ) પારંપરિક ગરબાના ( Garba ) તાલે થનગની ઊઠયો હતો. હોલી ફેમિલી ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ નવરાત્રિમાં (Navratri ) સામેલ થવા મુંબઈના ખૂણે-ખૂણેથી લોકો ઊમટી પડ્યા હતા. ઘાટકોપર, વિક્રોલી, મુલુંડ જેવાં પૂર્વીય ઉપનગર ને બાંદ્રા, સાંતાક્રુઝ, વિલેપાર્લા, અંધેરી અને જોગેશ્વરી જેવાં પશ્ચિમી ઉપનગરના હજારો લોકો આ નવરાત્રિમાં સામેલ થયા હતા.    

  પહેલીવાર મુંબઈગરાઓને થીમ આધારિત નવરાત્રિનો લહાવો માણવા મળ્યો. લોકલાડીલા લોકસેવક ને ભારતીય જનતા પાર્ટીના નેતા મુરજીભાઈ પટેલ આયોજિત ‘છોગાળા રે’ નવરાત્રિમાં અયોધ્યાના રામમંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સમાન 3D ડાઇમેન્શન સ્ટેજ ડેકોરેશનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. માત્ર ગુજરાતીઓમાં જ નહીં, તમામ હિંદુ સમુદાયમાં આ નવરાત્રિને લઈને અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો. આખું ગ્રાઉન્ડ જય અંબે અને જય શ્રીરામના જયજયકારથી ગુંજી ઊઠયું હતું.  

Geeta Rabari in Murjibhai Patel's Chogada Re Navratri, a new super hit Navratri in Mumbai.

Geeta Rabari in Murjibhai Patel’s Chogada Re Navratri, a new super hit Navratri in Mumbai.

  રામમંદિરના સાંનિધ્યમાં ને ગીતા રબારીના લોકગીતોના સૂર અને તાલની સંગતમાં દસ હજાર  ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. સિટિંગ એરિયામાં પણ હજારથી વધુ લોકોએ બેસીને કાર્યક્રમની મોજ માણી હતી. લોકગાયિકા ગીતા રબારીની હાજરી ને રામ મંદિરની થીમના ડેકોરેશનને કારણે આખું વાતાવરણ દૈવીય ભાસતું હતું. સ્ટેજ પર ગીતાબેન સાથે…. કલાકારો એ પણ લોકો ને પોતાના ગીતોથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. મુરજીભાઈ પટેલના પરિવારજનોએ પહેલાં નોરતાની આરતી ઉતારી હતી. ચીફ ગેસ્ટ તરીકે——- કિરીટ સોમૈયા અને રામદાસ આઠવલે સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપીને નવરાત્રિની શોભા વધારી દીધી હતી.  

Geeta Rabari in Murjibhai Patel's Chogada Re Navratri, a new super hit Navratri in Mumbai.

Geeta Rabari in Murjibhai Patel’s Chogada Re Navratri, a new super hit Navratri in Mumbai.

આ સમાચાર પણ વાંચો :  Navratri: મૂરજીભાઈ પટેલની ચમકદાર નવરાત્રિને ખેલૈયાઓનો જબરદસ્ત પ્રતિસાદ, ગ્રાઉન્ડ ફૂલ

  ટૂંકમાં કહીએ તો આબાલ-વૃદ્ધ સૌ એ મળીને અંધેરી પૂર્વની આ પહેલી નવરાત્રિને ઉમળકાભેર વધાવી લેતાં આ પરંપરાગત અને ભાતીગળ સંસ્કૃતિ આધારિત નવરાત્રિનું આયોજન પહેલાં દિવસે જ હાઉસફૂલ રહ્યું હતું.

 

October 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Navratri : Only Hindus should be allowed at Garba venues, says Maharashtra BJP MLA Nitesh Rane
રાજ્યMain Post

Navratri : ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ માત્ર હિન્દુઓને જ ગરબા કાર્યક્રમમાં એન્ટ્રી આપવાની કરી માંગ… લવ જેહાદ જેવી ઘટનાઓથી બચવા કરો આ કામ..

by Hiral Meria October 10, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai  

Navratri : નવરાત્રી એ માતા શક્તિની આરાધનાનો તહેવાર છે. ધાર્મિક માન્યતા અનુસાર, ગરબા ( Garba ) પણ માતા શક્તિની ભક્તિનો એક માર્ગ છે. જેમાં દેવી સમાન કન્યાઓ વતી ગરબા કરીને માતાની આરાધના કરવામાં આવે છે.

15 ઓક્ટોબરથી શહેરમાં ગરબા ના કાર્યક્રમો યોજાશે. ત્યારે નવરાત્રીને લઈને નવો વિવાદ ( controversy ) ઉભો થવાની સંભાવના છે. કારણ કે વિશ્વ હિન્દુ પરિષદે ( Vishwa Hindu Parishad ) માંગ કરી છે કે ગરબા કાર્યક્રમમાં માત્ર હિન્દુઓને ( Hindus ) જ પ્રવેશ આપવામાં આવે. પ્રવેશ આપતી વખતે દરેકના આધાર કાર્ડ ( aadhar card ) ચેક કરવાની પણ અપીલ કરવામાં આવી છે. દરમિયાન ભાજપના નેતા ( BJP leader ) નિતેશ રાણેએ ( Nitesh Rane ) આ માંગને સમર્થન આપ્યું છે.

ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ નવરાત્રી પર્વને હવે થોડા દિવસો બાકી છે ત્યારે આજે પત્રકાર પરિષદમાં ગરબા આયોજકોને આવી એક અપીલ કરી છે. નિતેશ રાણેએ કહ્યું, માત્ર હિન્દુઓને જ ગરબા કાર્યક્રમમાં એન્ટ્રી આપો. લવ જેહાદ જેવી ઘટનાઓથી બચવા માટે ગરબા રમવા આવતા લોકોના પહેલા આધાર કાર્ડ ચેક કરો. અને પછી જ તેમને એન્ટ્રી આપો. તેમણે કહ્યું કે જે લોકો દાંડિયા રમવા આવે છે તે હિન્દુ છે કે નહીં તે તપાસો. શિંદે જૂથે ( Shinde group ) પણ નિતેશ રાણેની માંગને સમર્થન આપ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Ramp Walk : જીવંત માછલી સાથે રેમ્પ પર ચાલી મોડલ, પોતાને સમજવા લાગી જલપરી, લોકો થયા ગુસ્સે. જુઓ વિડીયો

દરમિયાન સાંસદ સંજય રાઉતે ( Sanjay Raut ) આ નિર્ણય બાદ ભાજપની ટીકા કરી છે. મોદી હવે મુસ્લિમ દેશોની મુલાકાત લેશે નહીં? એવો તેમણે પ્રશ્ન પૂછ્યો.

October 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Navratri Utsav Mr. Murjibhai Patel Presents 'Chogada Re Navratri Utsav', For the first time in Mumbai Gita Rabari will sing garba.
મુંબઈ

Navratri Utsav: ‘શ્રી મૂરજીભાઇ પટેલ પ્રસ્તુત કરે છે ‘છોગાળા રે નવરાત્રી ઉત્સવ’, મુંબઈમાં પહેલી વાર કચ્છની કોયલ, ‘ગીતા રબારી’ મચાવશે ગરબાની ધૂમ

by Hiral Meria October 7, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Navratri Utsav: ગુજરાતીઓ માટે નવલી નવરાત્રી ( Navratri  ) એટલે કે માતાજીનું પર્વ અને તેની સાથે જ ગરબા ( Garba ) ની રમઝટ. જો આ રમઝટ કચ્છી કોયલનાં સુર પર હોય તો બીજુ શું જોઈએ? વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવમાં ( dance festival ) કચ્છી કોયલના ટહુકે પહેલીવાર મુંબઈ વાસીઓ ગરબે ઘૂમશે. મુંબઈના ભાજપના ( BJP ) નેતા મૂળજીભાઈ પટેલ ( Murjibhai Patel ) પહેલી વખત અંધેરી ( Andheri ) વિસ્તારમાં મોટાપાયે નવરાત્રીનું આયોજન કરી રહ્યા છે. આ આયોજનમાં ગીતા રબારી ( Geeta Rabari ) પરફોર્મન્સ આપશે. 

ગત અનેક વર્ષોથી જોગેશ્વરીથી બાંદ્રા વચ્ચે રહેતા ગુજરાતીઓને ( Gujaratis ) સારી નવરાત્રી દરમિયાન ગરબા રમવા માટે દૂર સુધી જવું પડતું હતું. લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ વર્ષે ભારતીય જનતા પક્ષનાં નેતા મુરજી ભાઈ પટેલ  મુંબઈ શહેરની સૌથી મોટી નવરાત્રી અંધેરીનાં આંગણે લઈને આવ્યા છે. આ નવરાત્રી આયોજનને કારણે દક્ષિણ મધ્ય મુંબઈના વિસ્તારમાં લોકોને એક પ્રોફેશનલ તેમજ પરંપરાગત નવરાત્રી નો લાભ થશે. અંધેરી પૂર્વમાં હોલી-ફેમીલી ગ્રાઉન્ડ પર  એક સાથે 10,000 થી વધુ ખેલૈયાઓ ગરબા રમી શકશે. સામાજિક હેતુથી પ્રેરાયેલો આ કાર્યક્રમ પૂરી રીતે પ્રોફેશનલી હેન્ડલ કરવામાં આવી રહ્યો છે. આ આયોજનને નામ આપવામાં આવ્યું છે, ‘છોગાળા રે નવરાત્રી ઉત્સવ 2023’

મૂરજી ભાઈ પટેલનું હિંદુઓ માટેનું વિશેષ આયોજન

મૂરજીભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના  નેતા છે.  તેઓ મુંબઈ મહાનગર પાલિકાના નગરસેવક પણ રહી ચૂક્યા છે.  લોક સેવામાં સહદેવ તત્પર રહેનાર મૂરજીભાઈએ આ નવરાત્રી માટે વિશેષ વ્યવસ્થા કરી છે. હિન્દુઓની આસ્થા નું પ્રતીક એવું ભવ્ય રામ મંદિર અંધેરી ખાતે આયોજિત થઈ રહેલી નવરાત્રીમાં આકાર લેશે. આ માટે વિશેષ તૈયારીઓ ચાલી રહી છે. પર્ફોર્મન્સ માટે બની રહેલા સ્ટેજ પર અયોધ્યા ખાતે બની રહેલા રામ મંદિરની મોટા કદની પ્રતિકૃતિ દેખાશે. એટલે કે ખેલૈયાઓ ગરબે ઘૂમતી વખતે અયોધ્યાના રામ મંદિરની ઝાંખી કરી શકશે.  આ સંદર્ભે વધુ વિગત આપતા મૂરજી ભાઈએ કહ્યું હતું કે નવરાત્રી એ માત્ર ગુજરાતીઓનો નહીં પરંતુ તમામ હિન્દુ  ભાઈ બહેનોનો તહેવાર છે.  આ કારણથી અમે નવલી નવરાત્રી ને એક એવું સ્વરૂપ આપી રહ્યા છીએ જે ગરબે ઘૂમનાર ખેલૈયાઓના હૃદયમાં અંકિત રહે. જ્યારે ગીતા રબારીના સુર રેલાતા હશે ત્યારે તેમાં અસલી ગુજરાતી દેશી ગરબાઓનો રણકો હશે  અને નજરોની સામે શ્રીરામ ભગવાનનું મંદિર હશે ત્યારે વિશેષ આનંદ આવશે. અમે આયોજન સમયે એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે કે આ નવરાત્રી બોલીવુડ સ્ટાઇલથી નહીં પરંતુ એક પરંપરાગત ગરબા સંસ્કૃતિનું નિરૂપણ કરે.  આ માટે અમે પૂરતી તૈયારી કરી લીધી છે. 

આ સમાચાર પણ વાંચો : Asian Games 2023 : ભારત માટે યાદગાર ક્ષણ, ભારતે બેડમિન્ટન સહિત આ બે રમતોમાં જીત્યા ઐતિહાસિક ગોલ્ડ મેડલ..

 ગીતા રબારીનું મુંબઈ ખાતે નું પહેલું નવરાત્રી પરફોર્મન્સ…

કચ્છી કોયલ ગીતા રબારી દેશ-વિદેશમાં અનેક ઠેકાણે નવરાત્રીના પરફોર્મન્સ આપી ચૂકી છે.  જો કે અત્યાર સુધી માયા નગરી મુંબઈ શહેરમાં તેમના નવરાત્રી  દરમિયાન સૂર રેલાયા નહોતા.  આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે મુંબઈ શહેરને દેશી રણકો મળી રહેશે.  આ શહેરમાં માત્ર ગુજરાતી નહીં પરંતુ અનેક ભાષાકીય લોકો રહે છે અને તે તમામ ગરબાના તાલે ઘૂમે છે.  હું પોતે અહીં પર્ફોર્મન્સ કરવા માટે એક્સાઇટેડ છું. 

ખેલૈયાઓ માટે ટોપ ક્લાસ સુવિધાઓ.. 

ગરબે ઘૂમનારાઓની સુખ સુવિધાઓનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે.  અહીં  એક સાથે 10,000 લોકો ગરબે ઘૂમી શકશે  આ ઉપરાંત વિશાળ કાર પાર્કિંગ સાથે ખાણી પીણીની વ્યવસ્થા, ખેલૈયાઓની સુરક્ષિતતા માટે સીસીટીવી તેમજ બાઉન્સર્સ,  એમબ્યુલન્સ અને પ્રાથમીક ઉપચારની ફેસેલિટી  પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.   નવરાત્ર દરમિયાન નવે-નવ દિવસ અહીં માનવંતા નેતાઓ, બોલિવુડનાં અભિનેતાઓ, અને રંગમંચના સીતારાઓની હાજરી રહેશે.  

‘છોગાળા રે નવરાત્રી ઉત્સવ 2023’ ના પ્રેરણા સ્થાન ઉપમુખ્યમંત્રી શ્રી દેવેન્દ્રભાઈ ફડણવીસજી છે.  તો પછી રાહ શેની જોઈ રહ્યા છો આજે જ નવરાત્રીનાં પાસિસ બુક માય શો પર બુક કરાવો.

October 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sixth year of scintillating success, 'Garba Queen' Falguni Pathak's Garba Ramzat once again at Mumbai's Borivali
મુંબઈ

Falguni Pathak : ઝળહળતી સફળતાનું છઠ્ઠું વર્ષ, ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટ વધુ એક વખત મુંબઈના બોરીવલીમાં …..

by Hiral Meria October 6, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Falguni Pathak :અભૂતપૂર્વ સફળતા કોને કહેવાય? જો કોઈ એવું પૂછે તો તેનો સહજ જવાબ છે બોરીવલી ( Borivali ) મા યોજાનાર “શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023’’( Show Glitz Navratri Festival – 2023 ) . સફળતાનું આ સતત છઠુ વર્ષ છે, લોકોના પ્રેમ અને ઉત્સાહ ને કારણે ફાલ્ગુની પાઠક વધુ એક વખત બોરીવલીમાં ખેલૈયાઓને ઝુમાવવા આવી રહી છે. ‘ગરબા ક્વીન’ ( Garba Queen ) ના બિરુદ થી વિભૂષિત ફાલ્ગુ પાઠક સતત છઠ્ઠી વાર બોરીવલીમાં ‘શો ગ્લિટ્સ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ’ ( Show Glitz Events and Entertainment ) દ્વારા આયોજિત નવરાત્રોત્સવમાં ( Navaratrotsava ) ગરબાની ( Garba ) રમઝટ બોલાવશે.

બોરીવલી વેસ્ટનાં સ્વર્ગસ્થ શ્રી પ્રમોદ મહાજન ગ્રાઉન્ડમાં ( Pramod Mahajan Ground ) અત્યાધુનિક સગવડતાઓથી સજ્જ કરવામાં આવી રહ્યુ છે. એ માટે ઉત્તર મુંબઈના સાંસદ સભ્ય ગોપાલ શેટ્ટીના ( Gopal Shetty ) હસ્તે નું ભુમીપુજન થઈ ગયુ છે એટલે હવે ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે સજી રહ્યુ છે. વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવને વધાવવા માટે “શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023’ માં મોટી સંખ્યામાં બોલિવૂડના સુપરસ્ટાર પહોંચવાના છે. જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ગત વર્ષે અહીં રુત્વિક રોશન, રશ્મિકા માંદાના, રુપાલી ગાંગુલી સહિત અનેક સુપરસ્ટારો હાજર રહ્યાં હતા. અને આ વર્ષે પણ ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે ખુબ મોટા સરપ્રાઈઝિસ છે.

ફાલ્ગુની પાઠક ની એન્ટ્રી કેવી હશે?

મુંબઈ શહેરની દરેક દિશામાં નવરાત્રી તો થાય જ છે પણ ખેલૈયાઓ માટે અસ્સલ નવરાત્રી એટલે ગરબા ક્વિન ફાગ્લુની પાઠકની નવરાત્રી – “શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023’’. પ્રતિવર્ષ ફાલ્ગુની પાઠક નવરાત્રીમાં સ્ટેજ પર એન્ટ્રી કઈ રીતે કરશે તે એક સરપ્રાઈઝ હોય છે. આ દ્રશ્યને નિહાળવા માટે ગરબા રસીકો મોટી સંખ્યામાં સ્ટેજની આસપાસ એકઠા થઈ જાય છે. ત્યારે આ વર્ષે ફાલ્ગુની પાઠકની એન્ટ્રી કેવી હશે? તે સંદર્ભે લોકોમાં ઘણી ઉત્સુકતા છે. નવરાત્રી દરમ્યાન રાત્રે 10 ના ટકોરે ફાલ્ગુની પાઠક દ્વારા “વિઠ્ઠલ વિઠ્ઠલ” ની ધૂન ખેલૈયાઓ આખુ વર્ષ યાદ રાખે છે. પ્રતિવર્ષ “ રાધે રાધે” ના સંગીતમય પારંપારીક ગરબા વચ્ચે બોલીવુડ ના ગીતો, ડાકલાનાં તાલે લેવાતા માતાજીનાં ગરબા અને મરાઠી ભજન એવા લય તાલ અને સૂરમાં પરોવાયેલા હોય છે. ત્યારે આ વર્ષે ફાલ્ગુની પાઠક કયા નવા ગરબા અને ગીતો લઈને આવી રહી છે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Sixth year of scintillating success, 'Garba Queen' Falguni Pathak's Garba Ramzat once again at Mumbai's Borivali

Sixth year of scintillating success, ‘Garba Queen’ Falguni Pathak’s Garba Ramzat once again at Mumbai’s Borivali

 

ખેલૈયાઓ માટે વીઆઈપી સુવિધાઓ ઉપલબ્ધ છે

મુંબઈની સૌથી મોટી નવરાત્રી ની તડામાર તૈયારીઓ ચાલુ છે. આ નવરાત્રી મુંબઈના સૌથી મોટા એટલે કે 13 એકરના વિશાળ મેદાનમાં થશે. ખેલૈયાઓ માટે 2 લાખ સ્ક્વેર ફૂટનું વુડન પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું છે. આ મેદાનમાં એક સાથે 40000 ખેલૈયાઓ ગરબા રમી શકશે. આશરે 1000 કાર-પાર્કિંગ ની ક્ષમતા તૈયાર કરવામાં આવી છે. કડક સુરક્ષા વ્યવસ્થા માટે ૨૦૦ થી વધુ બાઉન્સર્સ, 100 થી વધુ સીસીટીવી કેમેરા, 100થી વધુ વોલિન્ટિયર્સ, 30 ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરર્સ, અગ્નિશમન દળના 10 જવાનોની ટૂકડીવાળી એક ટ્રક તેમજ ડૉક્ટર સહિત ઍમ્બ્યુલન્સની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Syria Attack: સીરિયામાં મિલિટરી એકેડમી પર ડ્રોનથી ભયંકર હુમલો, 100થી વધુના મોત, આટલા લોકો ઈજાગ્રસ્ત.. જાણો હાલ કેવી છે સ્થિતિ..વાંચો વિગતે અહીં…

શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023 સાથે સંકળાયેલા આયોજકો અને સ્પોન્સર્સ.

શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023 ની આયોજન સમિતીમાં સંતોષ સિંગ, શિવા શેટ્ટી, હર્ષિલ લાલાજી, જીગ્નેશ હિરાની, રુષભ વસા, સંજય જૈન, રાજુ દેસાઈ, વિનય જૈન જેવા નામવંતા મહાનુભાવો શામેલ છે, આ ઉપરાંત “શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023’ ને સફળ બનાવવા માટે અનેક કંપનીઓ સાથે આવી છે. ચાલુ વર્ષે નવરાત્રી ના પ્રેઝેન્ટિંગ પાર્ટનર જેએનવી ઈન્ફા, પાવર્ડ બાય ટ્રાન્સકોન, બ્રોડકાસ્ટ પાર્ટનર કલર્સ ગુજરાતી, ટિકિટ પાર્ટનર bookmyshow, આઉટડોર પાર્ટનર બ્રાઈટ એડવર્ટાઈઝિંગ છે.

પાસ ક્યાંથી મેળવશો

“શો ગ્લીટ્ઝ નવરાત્રી ઉત્સવ – 2023’ ના પાસ બુક માય શો પર ઉપલબ્ધ છે. અહીં લોગીન કરીને સરળતાથી પાસ મેળવી શકાય છે. આ ઉપરાંત નવરાત્રી દરમિયાન જે સ્થળે નવરાત્રીનું આયોજન છે ત્યાંથી પણ પાસ મેળવી શકાય છે. જોકે મર્યાદિત માત્રામાં પાસે અવેલેબલ હોવાને કારણે વહેલામાં વહેલી તકે ઓનલાઇન પાસ ખરીદવા યોગ્ય રહેશે. અત્રે નોંધનીય છે કે પાસીસ માત્ર ઓનલાઈન અથવા ગરબાના સ્થળ પર જ ઉપલબ્ધ છે. આથી યોગ્ય સ્થાનેથી ખરીદશો.

નવરાત્રીના માધ્યમથી ચેરિટી નું કામ

આ નવરાત્રી ઉત્સવના આયોજક શો ગ્લિટ્સ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ છે. કંપનીના ડાયરેક્ટર સંતોષ સિંહે જાહેરાત કરી છે કે પ્રતિવર્ષ અમે આ પ્રકારે એક અથવા બીજા કારણોથી ડોનેશન કરીએ છીએ. આ વર્ષે અમે ફરી એક વખત ચેરીટીનું કામ કરશું, તેમજ અમે ચેરીટીમાં કેન્સર પિડીતો માટે 21 લાખ રુપીયાનું ડોનેશન આપવાનો સંકલ્પ કર્યો છે. .

આ સમાચાર પણ વાંચો :  Mumbai : ફરી થશે હેરાનગતિ.. ઘાટકોપર પૂર્વથી નવી મુંબઈ અથવા ઈસ્ટર્ન ફ્રીવે જવા માટેનો રોડ બંધ, વાહનચાલકો આ વૈકલ્પિક માર્ગોનો કરી શકશે ઉપયોગ..

October 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
jamnagar police action on garba reels garba on jamnagar road
રાજ્ય

Jamnagar: રીલ નહીં જીવન કિંમતી છે! રીલ બનાવવા રસ્તાની વચ્ચે ગરબે ઘૂમ્યા યુવક-યુવતીઓ, પોલીસે કરી કડક કાર્યવાહી, જુઓ વિડિયો..

by Dr. Mayur Parikh July 25, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai  
Jamnagar: આજકાલ યુવાનો સોશિયલ મીડિયા (Social Media)પર ફેમસ થવા માટે રીલ (reel)બનાવે છે. તેઓ રીલ બનાવવા માટે ઘણી વખત જીવને જોખમ(LIfe at risk) માં મૂકી દેતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો કે આ દિવસોમાં લોકો પર રીલનું ભૂત કેવી રીતે ચડી ગયું છે. વીડિયો ગુજરાતના જામનગર(Jamnagar) ના બેડી-બંદરનો છે. જ્યાં કેટલાક લોકો રસ્તા વચ્ચે ગરબા(Garba) કરવા લાગ્યા હતા.

જુઓ વિડીયો

जामनगर :
बेड़ी बंदरगाह को जोड़ती सड़क पर गरबा खेलने की रील बनानी पड़ी भारी,

सोशल मीडिया में रील वायरल होने के बाद जामनगर पुलिस ने की कारवाही,

जामनगर पुलिस ने गरबा क्लास के संचालकों को रोड सेफ़्टी के नियमों के उल्लंघन में गिरफ़्तार किया. pic.twitter.com/HNvCWfhD0m

— Janak Dave (@dave_janak) July 25, 2023

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે 12-13 લોકોનું ગ્રુપ એક બીજાની પાછળ ઊભું છે અને એક લાઈનમાં ગરબા ડાન્સ કરી રહ્યું છે. તેનું સંપૂર્ણ ધ્યાન રસ્તાની વચ્ચે ડાન્સ કરવા પર છે. આ સમયે જો કોઈ વાહન વધુ સ્પીડમાં આવે તો તેમનું શું થશે તેની તેમને પરવા નથી.

આ સમાચાર પણ વાંચો : Income Tax Notice: ઈન્કમ ટેક્સ વિભાગે આ કારણસર 1 લાખ લોકોને પાઠવી નોટીસ… નાણામંત્રીએ આપી માહિતી.. જાણો IRT ફાઈલ કરવાની અંતિમ તારીખ શું છે.. 

વાયરલ વીડિયોના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી

આ વિડીયો વાયરલ થયા બાદ જામનગર પોલીસે “રાસ રસીયા ગરબા કલાસીસ”ના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસે પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે જામનગર બેડી બંદરના મધ્ય રોડ પર યુવક મંડળની ગરબા પ્રેક્ટિસનો વિડીયો સામે આવ્યો છે અને જામનગર પોલીસ દ્વારા ‘રાસરસીયા ગરબા ક્લાસીસ’ના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ લોકો અમદાવાદના ઈસ્કોન બ્રિજની ઘટનાને ભૂલી ગયા

તાજેતરમાં જ ગુજરાતના અમદાવાદમાં જ એક ઝડપી કાર રસ્તા પર ઉભેલી ભીડ પર ચડી ગઈ હતી. જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા અને અનેક લોકો ઘાયલ થયા. તેમ છતાં તે ઘટનામાંથી રીલ બનાવનારા લોકોએ કોઈ બોધપાઠ લીધો નથી. શું રીલ્સ લાર્જર ધેન લાઈફ? શું તમે તેના વિના કામ કરી શકતા નથી? જે લોકો માત્ર થોડા વ્યુ અને લાઈક્સ માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે.

July 25, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક