Site icon

Mahayuti Oath Ceremony: મહાયુતિના મુખ્યમંત્રી શપથ ગ્રહણ સમારોહને હવે 24 કલાક બાકી, હજુ પણ નવી સરકારના ગઠનમાં અહીં ફસાયો પેચ, જાણો

Mahayuti Oath Ceremony:મહારાષ્ટ્રમાં મહાયુતિએ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક સફળતા મેળવી છે. આથી મહાયુતિ આ વખતે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહને ખૂબ જ ભવ્ય બનાવવાની તૈયારી કરી રહી છે. આગામી 5મી ડિસેમ્બરે એટલે કે આગામી બે દિવસમાં નવી સરકારનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. આ માટે ભાજપ દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શપથ ગ્રહણ સમારોહને પગલે ભાજપમાં પણ ઝડપી ગતિવિધિઓ ચાલી રહી છે.

 News Continuous Bureau | Mumbai

Mahayuti Oath Ceremony:હાલ બધાના મનમાં એક જ પશ્ન છે કે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ હશે?. દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી મોખરે છે. પરંતુ બજપ સરપ્રાઈઝ આપવામાં માહેર છે તે છેલ્લી ઘડીએ લોકોને ચોંકાવી દે છે આવી સ્થિતિમાં ભાજપ કોઈ અલગ નિર્ણય લે છે કે કેમ તેના પર સૌનું ધ્યાન કેન્દ્રિત છે. 

Join Our WhatsApp Community

Mahayuti Oath Ceremony:આજે યોજાશે ધારાસભ્ય દળની બેઠક 

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી સત્તાની મડાગાંઠ ઉકેલવા માટે પાર્ટીએ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને કેન્દ્રીય નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે.  4 ડિસેમ્બરે એટલે કે આજે ધારાસભ્ય દળની બેઠક યોજાશે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શપથ ગ્રહણને હવે 48 કલાક બાકી છે અને ગૃહ ખાતા પર પેચ હજુ ફસાયો છે. દરમિયાન ગુલાબરાવ પાટીલે કહ્યું કે એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રીની સાથે ગૃહમંત્રી પદ મળવું જોઈએ.

ગુલાબરાવ પાટીલના નિવેદનથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પરંતુ છેલ્લી મહાગઠબંધન સરકારમાં જ્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હતા ત્યારે ગૃહ પ્રધાન ફડણવીસ હતા. શિવસેના પણ હવે એ જ તર્ક આપી રહી છે… હવે જ્યારે નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે બની રહ્યા છે ત્યારે શિંદે નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ગૃહની બાબતો તેમની પાસે હોવી જોઈએ. પરંતુ ભાજપ ગૃહ ખાતું છોડવા તૈયાર નથી…ઈમેજ એવી છે કે ગૃહ ખાતું ફડણવીસ પાસે જ રહેશે…પરંતુ ગૃહ ખાતાના કારણે ઉભી થયેલી મડાગાંઠ હવે આવાસ ખાતા સુધી પહોંચી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો: Maharashtra politics : મહાયુતિમાં સત્તા વહેંચણીની ફોર્મ્યુલા નક્કી? ભાજપ રાખશે 22 મંત્રાલય, જાણો શું હશે શિંદે અને અજિત પવારના હિસ્સામાં..

Mahayuti Oath Ceremony:શિવસેના અને એનસીપી અડ્યા જીદ પર 

તો બીજી તરફ અહેવાલ છે કે અજિત પવારની એનસીપીએ આવાસ ખાતું માંગ્યું છે. મહાગઠબંધન સરકારમાં આવાસ ખાતું ભાજપ પાસે હતું અને હવે ફરી ભાજપ આવાસ ખાતું પોતાની પાસે રાખવા માંગે છે. શિવસેના અને એનસીપી હવે ચોક્કસ મંત્રાલય સહિત ​​મંત્રી પદ પર એકબીજાને સ્ટ્રાઈક સ્ટ્રાઈક રેટને ટાંકીને  સમકક્ષ સ્થાનની કરી રહ્યા છે. અહેવાલો અનુસાર ભાજપ 23-25 ​​મંત્રી પદ જાળવી શકે છે. શિવસેનાને 9-10 અને એનસીપીને 8-9 મંત્રાલયો મળી શકે છે.

એનસીપી નું કહેવું છે કે વિધાનસભા ચૂંટણીમાં અમારો સ્ટ્રાઈક રેટ શિંદેની શિવસેના કરતા વધારે છે… તેથી અમને શિવસેનાને સમાન સંખ્યામાં મંત્રી પદ મળવા જોઈએ તેવી માંગ કરી છે. શિંદેની શિવસેનાએ 81 બેઠકો પર ચૂંટણી લડી હતી… જેમાંથી 57 ધારાસભ્યો આવ્યા હતા… સ્ટ્રાઈક રેટ 70 છે. એનસીપીએ 59 બેઠકોમાંથી 41 બેઠકો જીતી હતી…તેમનો સ્ટ્રાઈક રેટ 69% છે..  સ્ટ્રાઈક રેટમાં એનસીપી શિંદે કરતા એક ટકા આગળ છે

LPG Crisis Relief: યુદ્ધના મેદાન વચ્ચે ભારતની જીત! હોર્મુઝના જોખમી રૂટ પરથી ભારતના ૨ જહાજોનો સુરક્ષિત માર્ગ, ગેસ સંકટ હળવું થવાના એંધાણ
Fuel Crisis 2026: ગેસ-તેલની અછતને પહોંચી વળવા સરકારની નવી વ્યૂહરચના; હોટલો-રેસ્ટોરાંમાં વૈકલ્પિક ઈંધણની મંજૂરી, જાણો રેશનિંગમાં કેરોસીનનું શું છે ગણિત.
Iran’s BRICS Condition: પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાને ભારત સામે કઈ શરત મૂકી? જાણો પીએમ મોદી અને વિદેશ મંત્રાલય માટે કેમ વધી ચિંતા
US Israel Iran War 2026: ઈરાની નેતાઓ પર કરોડોનું ઈનામ! અમેરિકાએ મુજ્તબા ખામેનીની માહિતી માટે જાહેર કરી અધધ આટલા કરોડની ઓફર; વધ્યો વૈશ્વિક તણાવ
Exit mobile version