Site icon

 Ahmedabad Job Fair : રોજગારવાંચ્છુ યુવાનો માટે તક, રોજગાર કચેરી દ્વારા અમદાવાદમાં ‘પાંચ દિવસીય રોજગાર મેળા’નું ભવ્ય આયોજન

Ahmedabad Job Fair : રોજગાર કચેરી અમદાવાદ ખાતે તા.21 એપ્રિલથી 25 એપ્રિલ, 2025 દરમિયાન સેકટર સ્પેસિફિક ભરતી મેળાનું આયોજન કરાયું છે, જેનો લાભ યુવાનોને મળશે.

Ahmedabad Job Fair Grand organization of a 'Five-day Job Fair' in Ahmedabad by the Employment Office

Ahmedabad Job Fair Grand organization of a 'Five-day Job Fair' in Ahmedabad by the Employment Office

News Continuous Bureau | Mumbai

Ahmedabad Job Fair :

Join Our WhatsApp Community

 અમદાવાદ ખાતે મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા આગામી દિવસોમાં મોટા પાયે ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. રોજગાર કચેરી અમદાવાદ ખાતે તા.21 એપ્રિલથી 25 એપ્રિલ, 2025 દરમિયાન સેકટર સ્પેસિફિક ભરતી મેળાનું આયોજન કરાયું છે, જેનો લાભ યુવાનોને મળશે. આ ભરતી મેળામાં 100 જેટલી અગ્રગણ્ય વિવિધ કંપનીઓ યુવાનો માટે રોજગારીની તકો પ્રદાન કરશે.

તા.21 એપ્રિલથી 25 એપ્રિલ સુધી તબક્કાવાર વિવિધ કંપનીઓ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તા.21 એપ્રિલના રોજ મેન્યુફેક્ચરિંગ તેમજ ઓટોમોબાઇલ સેકટર, તા.22 એપ્રિલના રોજ ફાર્માસ્યુટિકલ તેમજ હેલ્થકેર સેકટર, તા.23 એપ્રિલના રોજ બેન્કિંગ, ફાઇનાન્સ તેમજ ઇનસ્યુરન્સ સેકટર, તા.24 એપ્રિલના રોજ માર્કેટિંગ, સેલ્સ & સર્વિસ, જેમ્સ & જ્વેલરી સેકટર અને સિક્યુરિટી સર્વિસ તથા તા.25 એપ્રિલના રોજ આઇ.ટી. તેમજ ટેક્ષટાઈલ, હોટેલ & રેસ્ટોરન્ટ સેકટર દ્વારા યુવાનો માટે વિવિધ પદો પર રોજગારીની તકો પ્રદાન કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Khichdi 3 Announced: હસવા માટે થઇ જાઓ તૈયાર, આવી રહી છે ખીચડી 3, જાણો ક્યારે જોઈ શકશો જે ડી મજેઠીયા ની ફિલ્મ

આ ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છૂક યુવાનો/ઉમેદવારોએ પોતાની લાયકાત અનુસાર ઉક્ત સેક્ટરને ધ્યાને લઈ પોતાનો બાયોડેટા અને આધારકાર્ડ સાથે રાખી તા.21 એપ્રિલથી 25 એપ્રિલ, 2025 દરમિયાન સવારે 11.00 વાગ્યે હાજર રહેવું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version