Ahmedabad Railway Service: અમદાવાદ રેલવે મંડળ દ્વારા યાત્રીઓ માટે આ ચાર સ્ટેશનો પર વિનામૂલ્યે ઠંડા પાણી ની વ્યવસ્થા

Ahmedabad Railway Service: શ્રી રાઘવ સેવા સમિતિના સહયોગથી મણીનગર, સાબરમતી, વટવા અને અસારવા સ્ટેશન પર મુસાફરો માટે નવી સુવિધા

by Zalak Parikh
Ahmedabad Railway Board provides free cold water to passengers at these four stations

News Continuous Bureau | Mumbai

Ahmedabad Railway Service: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ એ મુસાફરોની સુવિધા ને ધ્યાનમાં રાખીને શ્રી રાઘવ સેવા સમિતિ ના સહયોગથી મણીનગર, સાબરમતી , વટવા અને અસારવા રેલવે સ્ટેશનો પર વિનામૂલ્યે ઠંડા પાણી ની વ્યવસ્થા શરૂ કરી.

સેવાનો વિધિવત આરંભ

આ સેવાનો શુભારંભ 30 એપ્રિલ 2025 ના રોજ મણીનગર રેલવે સ્ટેશન પર પરમપૂજ્ય આચાર્ય શ્રી રામચંદ્ર દાસ જી અને પરમપૂજ્ય ધર્માચાર્ય મહંત શ્રી અખિલેશ્વર દાસ જી મહારાજ દ્વારા કરવામાં આવ્યો. આ પ્રસંગે માનનીય ધારાસભ્ય મણીનગર શ્રી અમૂલ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા.

યાત્રીઓ માટે નવી સગવડ

આ પ્રકલ્પનો હેતુ રેલવે મુસાફરો માટે વિનામૂલ્યે ઠંડા પાણી ઉપલબ્ધ કરવો છે, ખાસ કરીને ઉનાળાની ઋતુ માં, જ્યારે ઉચ્ચ તાપમાન મુસાફરો માટે મુશ્કેલી ઉભી કરે છે.

આ સમાચાર પણ વાંચો: Ahmedabad Leads in Green Initiatives: અમદાવાદમાં ગ્રીનરી વધવા સાથે વાવાયા અધધ આટલા વૃક્ષ

ભવિષ્યમાં વધુ સેવાઓ

આ સેવાના સંચાલનમાં પેન્થર સિક્યોરિટી & એલાઈએડ સર્વિસીઝદ્વારા શ્રી રમાકાંત ચતુર્વેદી (Shri સહયોગી રહ્યાં. પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ યાત્રીઓની સુવિધા અને કલ્યાણ માટે નવા પ્રકલ્પો આગળ લાવવાની વચનબદ્ધતા જાહેર કરી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More