News Continuous Bureau | Mumbai
PM Internship Scheme : ભારત સરકાર દ્વારા યુવાનોને ટોચની કંપનીઓમાં કામ કરવાનો અનુભવ મળે તેવા ઉમદા હેતુથી પી.એમ.ઈન્ટર્નશીપ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ધો.૧૦, ધો.૧૨, આઈ.ટી., આઈ.ટી.ડિપ્લોમાં તથા ગેજયુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીઓમાં ૧૨ મહિના માટે ઈન્ટરશિપ યોજનામાં જોડાઈને વિનામુલ્યે તાલીમ મેળવી શકે છે.
જે અન્વયે ૨૧ થી ૨૪ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઈચ્છુક ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી./ એચ.એચ.સી./ આઈ.ટી.આઈ./ ડિપ્લોમા/ ગ્રેજ્યુએટની ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. ફુલટાઈમ નોકરી કે અભ્યાસ કરતા ન હોવા જોઈએ. પરિવારમાંથી કોઈ સરકારી નોકરીમાં જોડાયેલા ન હોવા જોઈએ અને કુટુંબમાં કોઈ સભ્યની નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ ની વાર્ષિક આવક રૂ.૮ લાખથી વધુ ના હોવી જોઈએ. ઉમેદવારોને મહિને રૂા.૫૦૦૦ સ્ટાઈપેન્ડ મળશે. એક ઉમેદવાર ત્રણ તક માટે અરજી કરી શકે છે. સરકારની કોઈ પણ યોજન કે અન્ય ઈન્ટર્નશીપ કરેલ ન હોવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો Saras Mela 2025 :સુરતના અડાજણ ખાતે સરસ મેળાનું આયોજન, ૧૫ માર્ચ સુધી ખૂલ્લો રહેશે મેળો
પી.એમ.ઈન્ટનર્શીપ યોજના અંતર્ગત જોડાવા માટે ઈચ્છુક ઉમેદવારોએ આગામી તા. ૧૨-૦૩-૨૦૨૫ સુધીમાં www.pminternship.mca.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી સી-બ્લોક, પાંચમો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સુરત અથવા લેન્ડ લાઈન નંબર ૦૨૬૧- ૨૪૬૦૪૧૬ પર સંપર્ક સાધી શકાશે. તેમ મદદનીશ નિયામક(રોજગાર)ની યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.