Site icon News Continuous Bureau | Mumbai

સરકારે કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત વધારી; જાણો શું છે નવા દિશાનિર્દેશ

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે ૨૦૨૧
બુધવાર
દેશમાં રસીકરણ પૂરજોશમાં ચાલુ હોવાથી ઘણી જગ્યાએ વેકસીનની અછત સર્જાય રહી છે. તેવામાં આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોવિનએપમાં સીરમ ઇન્સ્ટીટયુટ વેક્સીનની કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવા સંબંધી બદલાવ કર્યા છે.
હવે કોવિશિલ્ડનો બીજો ડોઝ ૪૨ દિવસ એટલે કે ૬ અઠવાડિયા પછી જ આપવામાં આવશે. પહેલાં આ મુદત ૨૮ દિવસ એટલે કે ૪ અઠવાડિયાની હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ અંગેની માહિતી તમામ કલેકટર, મહાનગર પાલિકાઅ ને રાજ્યના ચીફ ડિસ્ટ્રિકટ મેડીકલ અને પબ્લિક હેલ્થ ઓફિસરને આપી છે. હવે ૪૨ દિવસ પહેલા કોવિશિલ્ડના બીજા ડોઝ માટે રજિસ્ટ્રેશન કરી શકાશે નહિ.

બ્રેકિંગ ન્યુઝ : મહારાષ્ટ્રમાં લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવામાં આવ્યું.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે નીમેલી તજજ્ઞોની સમિતિ કોવિશિલ્ડના બીજા ડોઝની મુદત બાબતે સંશોધન કરી રહી હતી. સમિતિનું તારણ હતું કે ૬ અઠવાડિયા બાદ જો બીજો ડોઝ આપવામાં આવે તો તેની અસરકારતા ૫૫.૧% અને જો ૧૨ અઠવાડિયા બાદ આપવામાં આવે તો તેની અસરકારતા ૮૧.3% થઈ જાય છે.

Supreme Court Ruling on Disinheriting Son હવે તમે તમારા પુત્રને સંપત્તિમાંથી કરી શકશો બેદખલ, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય
India Rejects Claims of Chinese Intrusion શું ચીન અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિમી અંદર ઘૂસ્યું? હવે આવ્યો ભારત સરકારનો સ્પષ્ટ જવાબ
Cabinet Approves MultiTracking Railway Projects કેબિનેટે ચાર રાજ્યોમાં રેલવેના ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ૯,૪૫૦ કરોડનો થશે ખર્ચ
NEET Exam Reform Supreme Court Report નીટ પરીક્ષા સુધારણા… રાધાકૃષ્ણન કમિટીના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટ કડક, NTA પાસેથી માંગ્યો જવાબ
Exit mobile version