Site icon

લો બોલો, તૃણમૂલ કોંગ્રેસ ની સાંસદ સભ્ય અને અભિનેત્રી નુસરત જહાં ને સારા દિવસો છે, પણ તેના પતિને ખબર નથી!

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 જૂન 2021

Join Our WhatsApp Community

બુધવાર

અભિનેત્રી અને તૃણમૂલ કૉન્ગ્રેસની સાંસદ નુસરત જહાં ફરી એકવાર ચર્ચામાં આવી છે. લેખક તસલીમા નસરીને નુસરત વિશે ફેસબુક પોસ્ટ લખી છે. આ પોસ્ટને કારણે ભારે વિવાદ થયો છે. નૂસરત જહાં ગર્ભવતી હોવાની ચર્ચા શરૂ થઈ છે. નુસરત અને તેના પતિ નિખિલ જૈન અલગ છે અને અફવાઓ ફેલાઈ રહી છે કે તેઓ અલગ થવાનાં આરે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નુસરત અને અભિનેતા યશ દાસગુપ્તા વચ્ચેનો પ્રેમસંબંધ ગાઢ બની ગયો છે.

તસલીમા નસરીને બંગાળીમાં એક ફેસબુક પોસ્ટ લખી હતી કે “હાલમાં નુસરતના સમાચારો ચર્ચામાં છે. તે ગર્ભવતી છે. તેના પતિને આ વિશે કંઈ જ ખબર નથી. બંને છ મહિનાથી અલગ રહે છે. નુસરત યશ નામના અભિનેતા સાથે પ્રેમમાં છે.” નસરીને વધુમાં કહ્યું કે લોકોને લાગે છે કે નુસરતના બાળકનો પિતા નિખિલ નહીં, પણ યશ છે.

ઉલ્લેખનીય છે કે આ પોસ્ટ બાદ વિવિધ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. નુસરત અને નિખિલે જૂન 2019માં લગ્ન કર્યાં હતાં. તુર્કીમાં, તેઓએ વૈભવી રીતે એકબીજા સાથે રહેવાના સોગંદ લીધા હતા, પરંતુ હવે બંને વચ્ચેના સંબંધો નબળા થઈ ગયા છે. નુસરત અને યશનો પ્રેમસંબંધ વધવા માંડ્યો. યશ ભાજપના સમર્થક છે અને નુસરત TMC સમર્થક છે. બંગાળની ચૂંટણી દરમિયાન અભિનેતા યશે કહ્યું હતું કે નુસરત સાથે તેમનો સંબંધ વ્યાવસાયિક છે અને અમે બંને જુદા-જુદા પક્ષના સમર્થક છીએ.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version