News Continuous Bureau | Mumbai
Pankaj tripathi: પંકજ ત્રિપાઠી એ પોતાના દમદાર અભિનય થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં આગવી ઓળખ ઉભી કરી છે. બે વખત નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા પંકજે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ઘણા મોટા ખુલાસા કર્યા છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે જણાવ્યું કે તે 19 વર્ષ પહેલા રીલીઝ થયેલી રિતિક રોશનની ફિલ્મ લક્ષ્ય નો પણ એક ભાગ હતો, પરંતુ અંતિમ એડિટમાં તેના સીન કાપવામાં આવ્યા હતા.
પંકજ ત્રિપાઠી એ કર્યું હતું રિતિક રોશન ની ફિલ્મ લક્ષ્ય માં કામ
હાલ માં એક મીડિયા હાઉસ સાથે વાત કરતા અભિનેતાએ કહ્યું, “જ્યારે સમાચારપત્રમાં સમાચાર પ્રકાશિત થયા કે હું લક્ષ્યમાં છું, ત્યારે મને ખરાબ લાગ્યું, કારણ કે જે લોકો અખબાર વાંચે છે અને પછી મને ફિલ્મમાં ના જોતા , તેઓએ વિચાર્યું હશે કે. હું ખોટું બોલ્યો છું.” સિનેમા એ જૂઠ છે, અમે વાર્તા બનાવીએ છીએ અને સ્ક્રીન પર બતાવીએ છીએ, પરંતુ હું વાસ્તવિક જીવનમાં ખોટું બોલવાનું ટાળું છું. અખબારમાં બિહારનો લાલ દેખાશે પણ તસવીરમાં બિહારનો લાલ નથી.”
આ સમાચાર પણ વાંચો : shahrukh khan and suhana khan: પિતા શાહરુખ ખાન સાથે મોટા પડદા પર ડેબ્યુ કરશે સુહાના ખાન, આ દિવસે થશે ફિલ્મનું શૂટિંગ શરૂ
પંકજ ત્રિપાઠી એ ફુકરે 2 વિશે પણ કરી હતી વાત
પંકજ ત્રિપાઠીએ કહ્યું કે તેણે એક વિતરકને કહેતા સાંભળ્યા છે કે હવે તમે માર્કેટેબલ ચહેરો બની ગયા છો. અભિનેતાએ એ પણ શેર કર્યું કે કેવી રીતે તેને ‘ફુકરે 2’ ના પોસ્ટરમાં શામેલ કરવામાં આવ્યો ન હતો. તેણે કહ્યું, “મને ક્યારેય લોન્ચ કરવામાં આવ્યો નથી અને મુંબઈમાં મારો કોઈ ગોડફાધર કે દુશ્મન નથી. ફુકરે 2 ના પોસ્ટર પર, તેઓએ મુખ્ય કલાકારો સાથે વાઘની તસવીર મૂકી હતી. મેં તેમને કહ્યું, ‘આ એક VFX ટાઈગર છે, તેને કરિયર નથી બનાવવાનું પણ મારે બનાવવાનું છે. તમે વાઘને બદલે મારી તસવીરનો ઉપયોગ કરી શક્યા હોત, પણ આ સફર છે. તેમાં સમય મહત્વની ભૂમિકા ભજવે છે.”