News Continuous Bureau | Mumbai
Govinda: ગોવિંદાને ગયા અઠવાડિયે એક અકસ્માત દરમિયાન તેના એક પગમાં ગોળી વાગી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 4 ઓક્ટોબરે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.ઇન્ડસ્ટ્રી ના ઘણા લોકો ગોવિંદા ના ઘરે તેની ખબર પૂછવા જઈ રહ્યા છે તેવામાં રાજ્યસભાના સાંસદ રામદાસ આઠવલે ગોવિંદા ની ખબર પૂછવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા જેની તસવીરો વાયરલ થઇ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: બિગ બોસ 18 માટે સલમાન ખાને વસૂલી અધધ આટલી મોટી રકમ! ભાઈજાન ની ફી સાંભળી તમને પણ લાગશે નવાઈ
ગોવિંદા ની ખબર પૂછવા પહોંચ્યા રામદાસ આઠવલે
રામદાસ આઠવલે ગોવિંદાને તેમના જુહુ સ્થિત નિવાસસ્થાને તેમની તબિયત વિશે પૂછપરછ કરવું પહોંચ્યા હતા. તેમને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અભિનેતા સાથેની તસવીરો પણ શેર કરી છે. આ સાથે તેમને લખ્યું, ‘આજે, હિન્દી ફિલ્મના પ્રખ્યાત અભિનેતા #ગોવિંદા જીને મુંબઈમાં તેમના જુહુ ખાતેના નિવાસસ્થાને મળ્યા, તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી.’
आज़, मुंबई में हिंदी फ़िल्मों के विख्यात अभिनेता #गोविंदा जी से जुहू स्थित उनके आवास पर भेंट कर उनकी कुशलता की जानकारी प्राप्त की एवं उनके शीघ्रातिशीघ्र स्वस्थ होने की कामना की। pic.twitter.com/6MApeQWzDE
— Dr.Ramdas Athawale (@RamdasAthawale) October 7, 2024
ગોવિંદા આકસ્મિક રીતે પગમાં ગોળી વાગી જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને 4 ઓક્ટોબરે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ગોવિંદા વિશે આવા સમાચાર સાંભળી ઇન્ડસ્ટ્રી ના લોકો અને તેના ફેન્સ ને ઝટકો લાગ્યો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)