News Continuous Bureau | Mumbai
Sunil pal: સુનિલ પાલ ની પત્ની એ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન માં તેના પતિ ના ગાયબ થવાની ફરિયાદ નોંધાવી હતી તેવામાં સુનિલ વિશે એવા સમાચાર સામે આવ્યા હતા કે સુનિલ ગાયબ નહોતો થયો પરંતુ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું હવે સુનિલે પોતે તેના અપહરણ વિશે વાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : Vikrant massey: વિક્રાંત મેસી એ અભિનય માંથી નિવૃત્તિ અંગે પ્રથમ વખત પ્રતિક્રિયા આપતા કહી આવી વાત
સુનિલ પાલે જણાવી અપહરણ ની વાર્તા
સુનિલ પાલે એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન જણાવ્યું કે, ‘આ ઘટના 2 ડિસેમ્બરે બની હતી. મને ઈવેન્ટ માટે કાર આપવામાં આવી હતી અને કાર અધવચ્ચે બદલાઈ ગઈ હતી. તેઓએ મને કહ્યું કે 20 લાખની જરૂર છે. ડરના માર્યા મેં કહ્યું કે 20 લાખ રૂપિયા નથી. હું 10 લાખ પ્રયાસ કરી શકું છું. મેં સવાર સુધીનો સમય માંગ્યો. તેઓએ મારા માટે ખાવા-પીવાની વસ્તુઓ માંગી. હું 10 લાખ રૂપિયા આપવા તૈયાર થયો. એ જ લોકોએ મારો ફોન પણ રાખી લીધો હતો. બીજા દિવસે તેઓ મને એકાંત સ્થળે લઈ ગયા, જ્યાં તેઓએ મારી પાસેથી 7 લાખ રૂપિયા પડાવી લીધા. હું કારની પાછળ બંધાયેલો રહ્યો. ત્યારબાદ તેણે મને ફ્લાઇટની ટિકિટ લેવા માટે 20,000 રૂપિયા આપ્યા અને મને છોડીને ત્યાંથી ચાલ્યા ગયા’.
સુનિલે વધુ માં જણાવ્યું કે, ‘હું ગાઝિયાબાદ પહોંચ્યો, ત્યાંથી કાશ્મીરી ગેટ સુધી ઓટો લઈને એરપોર્ટ પહોંચ્યો. મુંબઈ પહોંચ્યા પછી, હું પોલીસ સ્ટેશન ગયો અને પોલીસને બધું કહ્યું, પરંતુ પછી મેં કેસ દાખલ કરવાનો ઇનકાર કર્યો કારણ કે તેમની પાસે મારા સમગ્ર પરિવારની માહિતી છે. મારો પરિવાર જોખમમાં છે, મેં હમણાં વિચારવાનો સમય લીધો છે.’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)