News Continuous Bureau | Mumbai
Taarak Mehta Ka Ooltah Chashma : ટીવી જગતના લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને ચાહકોના દિલોમાં રાજ કરનાર ( Roshan singh sodhi aka Gurucharan Singh sodhi ) અભિનેતા ગુરુચરણ સિંહ છેલ્લા 4 દિવસથી ગુમ ( TMKOC Gurucharan Singh Missing ) છે. આ સમાચાર આવતા જ ચાહકોના મનમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે અચાનક એવું તે શું થયું કે અભિનેતા ગાયબ થઈ ગયો? મીડિયા રિપોર્ટ્સ મુજબ ગુરુચરણ સિંહના પિતાએ પોલીસને તેના ગુમ થયાની જાણ કરી છે. પોલીસ પણ ગુરુચરણને શોધી રહી છે. પરંતુ પોલીસને તપાસમાં હજુ કંઈ ખાસ જાણકારી મળી નથી. મહત્વનું છે કે જ્યારથી ગુરુચરણના ગુમ થવાના સમાચાર આવ્યા છે ત્યારથી તેમના ચાહકો અને પરિવારના સભ્યોમાં ચિંતાનો માહોલ છે.
Taarak Mehta Ka Ooltah Chashma : ગુરુચરણ સિંહે 4 દિવસ પહેલા ઉજવ્યો હતો પિતાનો જન્મદિવસ .
અહેવાલો મુજબ અભિનેતા ગુરુચરણ સિંહે 4 દિવસ પહેલા તેમના પિતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. 4 દિવસ પહેલાનો અભિનેતા ( Gurucharan Singh video viral ) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેતા તેના પિતા સાથે ખૂબ જ ખુશ જોવા મળે છે. પિતા પણ ગુરુચરણ સિંહને આશીર્વાદ આપતા જોવા મળે છે. પોસ્ટના કેપશન મુજબ પિતા સાથેનો એક ખાસ વીડિયો પોસ્ટ કરીને અભિનેતાએ તેના પિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
Taarak Mehta Ka Ooltah Chashma :જુઓ વાયરલ વિડીયો
View this post on Instagram
Taarak Mehta Ka Ooltah Chashma :સિરિયલને અલવિદા કહ્યું
અભિનેતા ગુરુચરણ સિંહની વાત કરીએ તો, અભિનેતાએ ઘણા વર્ષો સુધી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કર્યું હતું. તેનો ચાહક વર્ગ પણ ઘણો મોટો છે. પરંતુ એક દિવસ એવો આવ્યો જ્યારે અભિનેતાએ સિરિયલને અલવિદા કહ્યું Gurucharan Singh leave the show ). શો છોડ્યા બાદ તેણે એક્ટિંગની દુનિયાને પણ અલવિદા કહી દીધું હતું. તે તેના માતા-પિતા સાથે રહેવા લાગ્યો. પિતાની ખરાબ તબિયતને કારણે તેણે શો છોડવાનો નિર્ણય લીધો હતો. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતો. ઇન્સ્ટાગ્રામ પર તેની નવી પોસ્ટ્સ ઘણીવાર તેના જીવન વિશે અપડેટ્સ આપે છે.
આ સમાચાર પણ વાંચો : Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા ના સોઢી એટલે કે ગુરુચરણ ના ગમ થવાના સમાચાર સાંભળી લાગ્યો મિસિસ સોઢી ને આઘાત, જેનિફર મિસ્ત્રી એ અભિનેતા વિશે કહી આવી વાત
Taarak Mehta Ka Ooltah Chashma : અભિનેતાએ જણાવ્યું સાચું કારણ
પહેલા એવી અટકળો હતી કે ગુરુચરણ સિંહે સિરિયલમાં કામ કર્યા બાદ મોડા પૈસા મળવાને કારણે સિરિયલ છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ પોતે સિરિયલ છોડવાનું કારણ જણાવ્યું હતું. જ્યારે મેં સિરીયલ છોડી ત્યારે મારા પિતા સર્જરી કરાવવાના હતા. ગુરુચરણ સિંહે જવાબ આપ્યો કે કેટલીક બાબતો એવી છે, જેના વિશે વાત ન કરવી જોઈએ.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)