Site icon

શું રાજનીતિમાં પ્રવેશ કરશે બોલિવૂડની પંગા ક્વીન કંગના રનૌત- અભિનેત્રીએ આપ્યો આ જવાબ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની પંગા ક્વીન કંગના રનૌત(Kangana Ranaut) પોતાની વાત બિન્દાસ પણે રાખવા માટે જાણીતી છે. જોકે તેને ઘણી વખત પોતાના નિવેદનોના કારણે ટ્રોલ(Trolls) પણ થવું પડે છે. કંગના રાજનીતિક મામલે પણ અવારનવાર પોતાની વાત રાખે છે. આ જ કારણ છે કે ઘણા લોકોને લાગે છે કે તે રાજનીતિ(Politics) ના મેદાનમાં ઉતરી શકે છે. દરમિયાન એક ખાનગી ટીવી ચેનલ સાથે કંગનાએ ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન અભિનેત્રીને રાજનીતિમાં એન્ટ્રી કરવાને લઇને સવાલ કર્યો હતો.

Join Our WhatsApp Community

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે હવે તેના દિલની વાત કહી દીધી છે. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં તેણે જે કંઈ પણ કહ્યું તેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે કે રાજનીતિમાં આવવા તૈયાર છે અને ભાજપ(BJP)ની ટિકિટ પર હિમાચલ વિધાનસભા(HImachal Pradesh Assembly polls) ની ચૂંટણી પણ લડવા માંગે છે. 

આ સમાચાર પણ વાંચો : ગજબ કેવાય- અહીં કોર્ટની અંદર જ બાખડી પડ્યા બે મહિલા વકીલ- છુટા હાથે મારામારી- ખેંચ્યા એકબીજાના વાળ- જુઓ વીડિયો

ચેનલના કાર્યક્રમમાં પહોંચેલી કંગનાએ વાતચીતમાં વડાપ્રધાન મોદી(PM Modi) ના વખાણ કર્યા તો તેમણે રાહુલ ગાંધી(Rahul Gnandhi) અને અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી જેવા મહાન વ્યક્તિ ઇતિહાસમાં એક જ વાર આવે છે. રાજકારણમાં જોડાવાના સવાલ પર અભિનેત્રીએ કહ્યું, જે પ્રકારની પરિસ્થિતિ છે, સરકાર ઇચ્છે છે કે હું તેમાં ભાગ લઉં, હું તે કરીશ અને હું મારી ભાગીદારી માટે તૈયાર છું. કંગનાએ વધુમાં કહ્યું કે મેં કહ્યું તેમ, હિમાચલ પ્રદેશના લોકો મને સેવા કરવાની તક આપે તો તે મારુ સૌભાગ્ય ગણાશે. 

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version