• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - leader - Page 3
Tag:

leader

રાજ્ય

હવે મહારાષ્ટ્ર કોંગ્રેસના આ દિગ્ગજ નેતા આવ્યા કોરોનાની ચપેટમાં, રિપોર્ટ પોઝિટિવ આવતા મંત્રીમંડળની ચાલુ બેઠક અડધેથી છોડી ઘરે દોડયા.

by Dr. Mayur Parikh January 28, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,28 જાન્યુઆરી 2022

 શુક્રવાર.

કોરોનાના ત્રીજા લહેરમાં મહારાષ્ટ્રના અનેક નેતાઓ અને પ્રધાનો કોરોના પોઝિટિવ આવ્યા છે. ગયા મહિને રાજ્યમાં 20 મંત્રીઓ અને 40 થી વધુ ધારાસભ્યો કોરોનાથી પ્રભાવિત થયા હતા. હવે કોંગ્રેસના નેતા અને પ્રધાન અશોક ચવ્હાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુરુવારે અશોક ચવ્હાણ કેબિનેટની બેઠકમાં હતા ત્યારે તેમને કોરોનાનો રિપોર્ટ મળતા બેઠક છોડીને તેઓ ઘરે દોડયા હતા. તેઓને બીજી વખત કોરોના થયો છે.

અશોક ચવ્હાણ છેલ્લા ચાર દિવસથી નાંદેડમાં હતા, આ દરમિયાન તેમણે વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગણતંત્ર દિવસ પર ધ્વજ પણ ફરકાવ્યો હતો, ત્યારબાદ તેઓ બપોરે મુંબઈ જવા રવાના થયા હતા. ગોવા રાજ્યની વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે તેઓ ગુરુવારે રાત્રે પણજી જવાના હતા. જો કે, તેમને હળવા તાવની ફરિયાદ આવી હતી. તેથી તેમણે કોરોનાનો ટેસ્ટ કર્યો. આ દરમિયાન તેઓએ કેબિનેટની બેઠકમાં હાજરી આપી રહ્યા હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણ થતાં તેઓ બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા. અશોક ચવ્હાણે તેમના સંપર્કમાં આવનાર તમામ લોકોને ટેસ્ટ કરાવવા અને  તેમના આરોગ્યનું ધ્યાન રાખવાની તથા કોરોનાને લગતા નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. 

કંટાળેલા થાણેના વેપારીઓએ આ કારણથી પોલીસ સ્ટેશનમાં કર્યું આંદોલન; જાણો વિગત

અહી ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના સર્વેસર્વા શરદ પવાર પણ કોરોના સંક્રમિત થયા છે. 24 જાન્યુઆરીએ પવારે પોતે માહિતી આપી હતી કે તેમને કોરોના થયો છે. તેમજ ડોક્ટરની સલાહ મુજબ સારવાર લઈ રહ્યા છે.  છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં અનેક મંત્રીઓ અને વિવિધ પક્ષોના નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. મહેસૂલ મંત્રી બાલાસાહેબ થોરાટ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી યશોમતી ઠાકુર, શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ, ઉર્જા રાજ્ય મંત્રી પ્રાજક્તા તાનપુરે અને આદિજાતિ વિકાસ મંત્રી કેસી પાડવી કોરોનાથી સંક્રમિત થયા હતા.

January 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રમાં કોરોના એલર્ટ! મંત્રી બાલાસાહેબ થોરાટ બાદ હવે NCP આ ધારાસભ્ય સહિત આદિત્ય ઠાકરેના પિતરાઈ ભાઈ પણ થયા સંક્રમિત

by Dr. Mayur Parikh January 4, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 જાન્યુઆરી 2022

મંગળવાર

મહારાષ્ટ્રમાં હવે એક પછી એક રાજ્યના મંત્રીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ હવે NCP ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત પવાર પણ કોરોનાગ્રસ્ત થઈ ગયા છે. 

સાથે જ યુવા સેનાના નેતા અને આદિત્ય ઠાકરેના પિતરાઈ ભાઈ વરુણ સરદેસાઈ પણ સંક્રમિત થયા છે.

આ પહેલા મંત્રી બાલાસાહેબ થોરાટ, રાજ્ય મંત્રી પ્રાજક્ત તાનપુરે, મંત્રી યશોમતી ઠાકુર, પ્રવાસ વિકાસ મંત્રી કેસી પાડવી અને શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ પણ સંક્રમિત જોવા મળ્યા હતા. 

ઉત્તર મુંબઈના ભાજપના આ ધારાસભ્યને મોટો ઝટકો, જીત્યા પછી પણ મુંબઈ બેંક બે હાથ દૂર; જાણો વિગતે 

January 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

હેં! કોંગ્રેસના આ નેતાએ માંગ્યુ ઈચ્છા મૃત્યુ, સોનિયા ગાંધીને પત્ર લખી કર્યા આ નેતાઓ સામે ગંભીર આરોપ જાણો વિગત

by Dr. Mayur Parikh December 22, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 22 ડિસેમ્બર 2021

બુધવાર.

રાજસ્થાનના હરદોઈના એક નેતાએ કોંગ્રેસના એક્ઝીક્યુટીવ પ્રેસીડન્ટ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે, જેને કારણે રાજસ્થાન કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના આ નેતાએ પત્ર લખીને પતિ, પત્ની અને પૌત્રને ઈચ્છા મૃત્યુ માટે રાજસ્થાન સરકાર પાસે મંજૂરી લઈ આપવાની માગણી કરી છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને આ નેતાએ કહ્યું છે કે તેમના પુત્ર, પુત્રવધુને ખોટા કેસમાં ફસાવીને જેલમાં નાખી દેવામાં આવ્યા છે અને આ બધુ ત્યારે થયું જયારે રાહુલ ગાંધી અને સચિન પાયલટે ત્યાં આત્મહત્યાને હત્યાનું સ્વરૂપ આપ્યું હતું.

મૂળ હરદોઈના નિવાસી શ્યામપ્રકાશ શુકલા કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી અને પ્રવક્તા રહી ચૂક્યા છે. પક્ષમાં તેમણે અનેક પદ પર જવાબદારી સંભાળી હતી. તેમણે આરોપ કર્યો છે કે રાજસ્થાન સરકાર તેમના પુત્ર પ્રજ્ઞા પ્રતિક શુકલા અને પુત્રવધુ વહુ  પ્રિયાની જામીન થવા દેતી નથી. શ્યામપ્રસાદે વિધાનભવનમાં જઈને આત્મહત્યા કરવાની ધમકી પણ ઉચ્ચારી છે.

મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર પર સંકટના વાદળ ઘેરાયા, 8 પોલીસ કર્મચારી સહિત આટલા લોકોના રિપોર્ટ પોઝિટિવ; જાણો વિગતે

કોંગ્રેસના આ નેતાના કહેવા મુજબ તેમનો પુત્ર પ્રજ્ઞાપ્રતિક બિકાનેરમાં કોલેજમાં પ્રિન્સીપાલ હતો અને પુત્રવધુ પ્રોફેસર હતી. આ કોલેજમાં એક યુવતીએ 27 માર્ચ 2016માં આત્મહત્યા કરી હતી, તેની માટે તેમના પુત્ર અને પુત્રવધુને જવાબદાર ગણીને જેલમાં સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. 

December 22, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ED's 12-hour raid at the house of famous industrialists Parekh brothers, the main reason for the raid came to light...
રાજ્ય

મહાવિકાસ આઘાડી સરકારના વધુ એક નેતા હવે ED ના રડાર પરઃ આટલા કલાક પૂછતાછ થઈ; જાણો વિગત

by Dr. Mayur Parikh December 8, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

બુધવાર.

મહાવિકાસ આઘાડી સરકારના વધુ એક  નેતા એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ED)ના રડાર પર આવી ગયા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા પ્રાજ્કત તનપૂરેની EDએ લગભગ સાત કલાક પૂછપરછ કરી હતી.

મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક કૌંભાડ પ્રકરણમાં આ તપાસ કરવામા આવી રહી છે. મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કની નીલામીમાં પ્રાજકત તનપુરેએ એક સાકર કારખાનુ તદન ઓછી કિંમતમાં ખરીદ્યું  હોવાનો આરોપ છે. તેથી આ તપાસ ED દ્વારા કરવામાં આવી રહી છે. પ્રાજ્કત તનપુરેને EDએ સમન્સ મોકલ્યા હતા અને મંગળવારે હાજર થવાનું ફરમાન કરવામા આવ્યું હતું.

 

ગોવામાં કોંગ્રેસને વધુ એક ફટકો : પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકે આપ્યું રાજીનામું; આ પાર્ટીમાં જોડાય તેવી શક્યતા 

મહારાષ્ટ્ર સહકારી બેન્કે અનેક સાકર કારખાનાઓને લોન આપી છે. લોન આપવામાં મોટા પાયા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. તેમાં પ્રાજ્કત તનપુરએ અહમદનગરામં રામ ગણેશ ગડકરી સાકર કારખાનું જેની મૂળ કિંમત 26 કરોડ રૂપિયા હતી, તેને 12 કરોડ રૂપિયાનાં ખરીદયું હતુ. આ કારખાનાને મહારાષ્ટ્ર બેન્કે મોટી લોન આપી હતી. તેના વ્યવહારમાં મોટા પ્રમાણમાં કૌભાંડ થયું હોવાનો EDને આશંકા છે. તેથી પ્રાજ્કત તનપૂરની તપાસ કરી રહી છે.

December 8, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

કોસ્ટલ રોડના કામમાં શિવસેનાએ કર્યું કરોડોનું કૌભાંડઃ ભાજપના આ નેતાએ શિવસેના પર મુક્યો આરોપ: જાણો વિગત

by Dr. Mayur Parikh December 7, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

મંગળવાર.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવવાની સાથે જ ભાજપ અને શિવસેના ફરી એક વખત સામ-સામે થઈ ગયા છે. આ વખતે જોકે કોસ્ટલ રોડના કામમાં થયેલા ખર્ચાને લઈને ભાજપે શિવસેનાને પિંજરામા ઊભો કરી દીધો છે.

કેગના અહેવાલને ટાંકીને ભાજપના નેતા વિધાનસભ્ય આશિષ શેલારે પાલિકાના કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં મોટા નાણાકીય કૌભાંડ થયું હોવાનો આરોપ કર્યો છે.  તેમણે પાલિકા પ્રશાસન,  સત્તાધારી પાર્ટી શિવસેના અને રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે પર આકરા શબ્દોમાં પ્રહારો કર્યા છે.  ઉલ્લેખનીય છે કે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટને શિવસેનાનો 'ડ્રીમ પ્રોજેક્ટ' માનવામાં આવે છે.

આશિષ શેલારે આજે પત્રકાર પરિષદમાં પાલિકાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર સવાલ ઉભા કર્યા હતા. પ્રોજેક્ટ કન્સલ્ટન્ટોને ગેરકાયદેસર રીતે આર્થિક મદદ કરવામાં આવી રહી છે. મુંબઈગરાના પસીનાની કમાણી જે તેઓ ટેક્સ મારફત મ્યુનિસિપલ કોર્પોરેશનને આપે છે, તે પૈસાથી કોન્ટ્ર્કેટરોના ખિસ્સા ભરવાનું કામ ચાલી રહ્યું છે. તેમને ખોટા બિલના પૈસા ચૂકવવામાં આવી રહ્યા છે.

 

મુંબઈ માથે કોરોનાનું સંકટ, વાયરસના સક્ર્મણને વધુ ફેલાતા રોકવા માટે BMCએ લીધું આ પગલું. જાણો વિગત

પત્રકાર પરિષદમાં આશિષ શેલારે કહ્યું હતું કે CAG એ એપ્રિલ 1, 2016 અને 2020 વચ્ચે કોસ્ટલ રોડના થયેલા કામને લઈને પાલિકાને ઠપકો આપ્યો. કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર પેસી ગયો છે. 

કોસ્ટલ રોડ પ્રોજેક્ટ 90 હેક્ટર ખુલ્લી જગ્યામાં બની રહ્યો છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગે એવી ખાતરી માંગી હતી કે ખાલી જગ્યામાં કોઈ રહેણાંક કે કોમર્શિયલ બાંધકામ નહીં થાય. તેને 28 મહિના વીતી ગયા, છતાં પાલિકાએ હજુ તે માટે બાંહેધરી આપી નથી. પાલિકાનો તે પાછળ કોઈ છુપો એજન્ડા છે કે એવો સવાલ પણ આશિષ શેલારે કર્યો હતો. 

December 7, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિકની આ કેસમાં થઈ ધરપકડ, જામીન પર થયો છૂટકારો; જાણો વિગત

by Dr. Mayur Parikh November 30, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 30 નવેમ્બર  2021    
મંગળવાર.

NCP પ્રવક્તા નવાબ મલિકની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં જોકે 15,000 રૂપિયાના બોન્ડ પર તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. ક્રૂઝ પાર્ટી વિરુદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB) દ્વારા કરવામાં  આવેલી કાર્યવાહી દરમિયાન નવાબ મલિકે ભારતીય યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ મોહિત ભારતી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેની સામે મોહિત ભારતીએ નવાબ મલિક સામે માનહાનિનો દાવો કર્યો હતો. તેથી આ કેસના સંબંધમાં સોમવારે મલિકની ધરપકડ કરવામાં આવી હતી. 

 

નવા કોરોના વેરિએન્ટની એન્ટ્રી પછી મુંબઈ મહાનગરપાલિકા એક્શન મોડમાં. મેયર અચાનક ઍરપોર્ટ પહોંચ્યા. જુઓ વિડિયો

9 ઓક્ટોબરના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા નવાબ મલિકે કહ્યું હતું કે, "મોહિત ભારતીના સાળા ઋષભ સચદેવ અને અન્ય બેને NCBએ મુંબઈમાં ક્રૂઝ પાર્ટી સામે કાર્યવાહી કરી ત્યારે તેમને છોડી મુકવામાં આવ્યા હતા." મોહિત ભારતીએ કહ્યું કે, આ ઓપરેશનમાં શાહરૂખ ખાનના પુત્ર સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં જાણીજોઈને તેના સાળાના નામનો ઉલ્લેખ કરીને તેની બદનામી કરવામા આવી હતી. 
 તેથી તેના સંદર્ભમાં બીજી નોટિસ 11 ઓક્ટોબરે મોકલવામાં આવી હતી. છતાં નવાબ મલિક બદનામી ભરી ટિપ્પણી કરી હતી. તેથી ભારતીએ આખરે મેજિસ્ટ્રેટ કોર્ટમાં મલિક સામે માનહાનિનો દાવો કર્યો. કોર્ટે મલિકને 8મી નવેમ્બરે કોર્ટમાં હાજર થવા માટે નોટિસ મોકલી હતી. કોર્ટે શરૂઆતમાં મલિકનું નિવેદન માનહાનિકારક લાગ્યું. મલિક સોમવારે કોર્ટમાં હાજર થયા હતા .કોર્ટે તેમને 15,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા.આ કેસની આગામી સુનાવણી 

November 30, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ભાજપના આ નેતાએ મોદી સરકારને તમામ મોર્ચે નિષ્ફળ ગણાવી, જાણો વિગત

by Dr. Mayur Parikh November 26, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 26 નવેમ્બર  2021    
શુક્રવાર.

બટકબોલા ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણીયમ સ્વામી પોતાની તીખી જબાન માટે જાણીતા છે. કોઈ પણ શેહ શરમ રાખ્યા વગર મોઢા પર બોલી નાખનારા સુબ્રમણ્યમે 25 નવેમ્બરના એક ટ્વિટમાં મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ જાહેર કર્યું હતું અને મોદી સરકારને તમામ મોરચે નિષ્ફળ ગણાવી હતી.

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, આ કેન્દ્રીય મંત્રીએ ર્ક્યો નવો દાવો કહ્યું- મહા વિકાસ અઘાડી સરકાર ટૂંક સમયમાં પડી જશે

દેશની આંતરિક સુરક્ષા, અર્થતંત્ર, સીમા સુરક્ષા, અફઘાનિસ્તાનમાં  નિષ્ફળ ગયેલી વિદેશ નિતી, પેગાસસ જેવા મુદ્દા પર કેન્દ્ર સરકાર સરકારને તેમણે નિષ્ફળ ગણાવી હતી, સાથે જ તેમણે મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આ બધા માટે સુબ્રમણીયમ જવાબદાર છે.
 સુબ્રમણ્યમ અનેક વખત ટ્વિટર પર મોદી સરકારની નિતીઓ પર ટીકા કરતા હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે હજી 24 નવેમ્બરના જ તેઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ તૃણમુલ કોંગ્રેસમાં જોડાવાના હોવાની અફવાએ જોર પકડયું છે.

November 26, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ મનપામાં વીરપ્પન ગૅંગ સક્રિય હોવાનો મનસેના આ નેતાએ કર્યો આરોપઃ નગરસેવકો ભ્રષ્ટાચારના પૈસા પણ ચેકમાં વસૂલતા હોવાનો કર્યો દાવો; જાણો વિગત

by Dr. Mayur Parikh November 8, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 નવેમ્બર  2021

સોમવાર.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજકીય પાર્ટીઓએ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવાનું ચાલુ કરી દીધું છે. જેમાં હાલ મુંબઈ મહાનગરપાલિકામાં ફકત એક જ નગરસેવક ધરાવતી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)પણ ચૂંટણી નજીક આવવાની સાથે જ સક્રિય થઈ ગઈ છે. મનસેના નેતા સંદીપ દેશપાંડેએ મુંબઈ મનપામાં વીરપ્પન ગેંગ સક્રિય હોઈ તે મુંબઈગરાને લૂંટવાનું કામ કરી રહી છે અને ભ્રષ્ટાચારના પૈસા પણ ચેકમાં વસૂલી રહી હોવાનો આરોપ કર્યો છે.

મનસેના જનરલ સેક્રેટરી સંદીપ દેશપાંડેએ તાજેતરમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. વિડિયોમાં તેઓ ચેકમાં પૈસા લઈને ભ્રષ્ટાચાર કરનારા નગરસેવકોનો પર્દાફાશ કરવાના હોવાનો દાવો કર્યો છે.

હલો!! કોણ બોલે છે? તમારી બીજી વેક્સિન બાકી છે હો.. જરા લઇ લ્યો ને.. : આવો ફોન આવે તો ચોંકી નહીં જતા. જાણો વિગત

ચંદનચોર વિરપ્પને લોકોને લૂંટયા નહીં હોય તેનાથી વધુ સત્તાધારીઓએ મહાનગરપાલિકાને લૂંટી છે. મુંબઈ મહાનગરપાલિકામાં વિરપ્પન ગેંગ છે, જેણે પાલિકામાં લૂંટ ચલાવી છે.  અનેક કૌભાંડ કરવામાં આવે છે. સ્થાયી સમિતિના કામ પણ આ ગેંગને આપવામાં આવે છે. આવી ગેંગનું એન્કાઉન્ટર કરવું પડશે. રસ્તાના કામમાં કૌભાંડ, નાળાસફાઈના કામમાં કૌભાંડ હવે કોરોના કાળમાં પણ કૌભાંડ કરવામાં આવ્યા છે. સત્તાધારી પાર્ટીએ લૂંટવાનું કંઈ બાકી રહ્યું નથી એવા આરોપ પણ સંદીપ દેશપાંડેએ કર્યા છે.

November 8, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

બદનક્ષીના બે કેસમાં ભાજપના આ નેતાને શિવડી કોર્ટે આપ્યા જામીનઃ જામીન આપતા સમયે કોર્ટે રાખી આ આકરી શરતો; જાણો વિગત.

by Dr. Mayur Parikh October 5, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઓક્ટોબર,  2021

મંગળવાર.

બદનક્ષીના બે કેસમાં ભાજપના નેતા કિરીટ સોમૈયા આજે શિવડીમાં મેજિસ્ટ્રેટમાં હાજર થયા હતા. પોતે દોષી ન હોવાની રજૂઆત  સોમૈયાએ કોર્ટમાં કરી હતી. પ્રત્યેક કેસમાં કોર્ટે તેમને 15,000ના રૂપિયાના અંગત જામીન પર છોડયા હતા. આવો ગુનો ફરી ન કરવાની આકરી શરત સાથે  આ જામીન  આપવામાં આવ્યા હતા. શરતોનું ઉલ્લંઘન કર્યું તો જામીન રદ કરવામાં આવશે એવું કોર્ટે તેમને ચોખ્ખા શબ્દોમાં સંભળાવ્યું હતું.

ચૂંટણી પરિણામ: 10 વર્ષ બાદ ગાંધીનગર મહાપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત,કોંગ્રેસ-આપનું પત્તું કપાયું 

સોશિયલ વર્કર પ્રવીણ કાલમે અને ગૃહનિર્માણ પ્રધાન જીતેન્દ્ર આવ્હાડના વિરુદ્ધમાં કિરીટ સોમૈયાએ કથિત રીતે બદનામી કરનારી ટ્વિટર પોસ્ટ અને અહેવાલ આપ્યા હતા. એવી ફરિયાદ પ્રવીણ કાલમે અને અર્થ એનજીઓ દ્વારા કરવામાં આવી હતી  અને તેમના વિરુદ્ધ બદનક્ષીનો કેસ કર્યો હતો.  કાલમેના દાવા મુજબ પોતે જીતેન્દ્ર આવ્હાડના ખાસ માણસ હોવાનું તથા તેમના ગેરકાયદે કામ કાલમે કરતા હોવાના ખોટા આરોપ સોમૈયાએ કર્યા હતા. આ આરોપ બિનપાયાના હોવાનો દાવો પણ કાલમેએ કર્યો હતો.

October 5, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

લો બોલો! હવે આ રાષ્ટ્રીય નેતાને મળશે ડૉક્ટરેટની પદવી, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી લેશે નિર્ણય; જાણો વિગત

by Dr. Mayur Parikh September 30, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021

ગુરુવાર

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા શરદ પવારને બહુ જલદી ડૉક્ટરેટની પદવીથી સન્માનવામાં આવવાના છે. શરદ પવારને સામાજિક, કૃષિ, શૈક્ષણિક અને રમતગમત સિવાય અન્ય ક્ષેત્રોમાં તેમણે આપેલા યોગદાનને ધ્યાનમાં રાખીને આ ડિગ્રી આપવામાં આવવાની છે. સેનેટના સભ્ય પ્રોફેસર સચિન ગાયકવાડે તેમને સોલાપુરની દેવી અહિલ્યા દેવી હોલકર યુનિવર્સિટી તરફથી ડૉક્ટરેટની પદવી આપવાનો પ્રસ્તાવ રાખ્યો છે.

જબરદસ્ત! લોકલ ટ્રેનમાં થનારા આતંકી હુમલાથી પણ મળશે સુરક્ષા : તૈયાર થઈ રહી છે આ નવી ઇન્ટિગ્રેટેડ સિક્યૉરિટી સિસ્ટમ, શંકાસ્પદ લોકોને જોતાં જ વાગશે એલાર્મ; જાણો વિગત

જોકે આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય લેવાનો અધિકાર રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને છે. એથી આ પ્રસ્તાવ તેમની પાસે મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યો છે.

September 30, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક