ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧
સોમવાર
અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનારી 3 વિદેશી કંપનીઓનાંઍકાઉન્ટ નૅશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)એ ફ્રિઝ કરી દીધાં છે. આ ઘટનાની સાથે અદાણી ગ્રુપના શૅર્સના ભાવ 10થી 15 ટકા ગબડી ગયા હતા. આ વિદેશી ફંડિંગ કંપનીઓએ અદાણી જૂથની વિવિધ કંપનીઓમાં કુલ 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. NSDLની વેબસાઇટ પર આ ઍકાઉન્ટ્સ 31 મેએ કે એની પહેલાં ફ્રીઝ થયા હોવાની વાત કહેવામાં આવી છે.
આ ત્રણ કંપનીઓ એલ્બ્યુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ અને APMS ફંડનાંઍકાઉન્ટ NSDLએફ્રીઝ કર્યાં છે. હવે આ કંપનીઓ પોતાના ખાતામાં ઉપલબ્ધ શૅરનું વેચાણ અથવા નવા શૅરની ખરીદી કરી શકશે નહિ. એક મીડિયાના અહેવાલ મુજબ આ કંપનીઓની માલિકી વિશે પૂરતી જાણકારી ન આપવાને કારણે NSDL દ્વારા ઍન્ટી મની લૉન્ડરિંગ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
BMCનાં બેવડાં ધોરણને કારણે વેપારીઓને દંડ અને ફેરિયાઓને બખ્ખાં; જાણો, રવિવારે શું થયું
ઉલ્લેખનીય છે કે હજી સુધી અદાણી જૂથ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ ત્રણેય કંપનીઓનું અદાણી એન્ટરપ્રાઇઝમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા, અદાણી ટોટલ ગૅસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકાનું રોકાણ છે. આ ત્રણેય ફંડિંગ કંપનીઓ મોરેશિયસની હોવાની વાતો હવે ફરતી થઈ છે.