New Income Tax Rules 2026:૧ એપ્રિલથી આ મોટો ફેરફાર! LPG સિલિન્ડર, ATM અને PAN કાર્ડના બદલાયા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?

Rule Changes From 1st April 2026: Big Impact on LPG Prices, New Income Tax Act, ATM Rules, and Railway Refunds
Rule Changes From 1st April 2026: Big Impact on LPG Prices, New Income Tax Act, ATM Rules, and Railway Refunds

News Continuous Bureau | Mumbai
New Income Tax Rules 2026માર્ચ મહિનો પૂરો થવાને હવે ગણતરીના દિવસો બાકી છે અને 1 એપ્રિલ 2026 થી દેશમાં અનેક નાણાકીય ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર દરેક સામાન્ય માણસના બજેટ પર પડશે. નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ ઇન્કમ ટેક્સ, બેન્કિંગ અને પરિવહન સાથે જોડાયેલા નિયમોમાં ધરખમ ફેરફાર જોવા મળશે. પહેલો મોટો ફેરફાર એલપીજી સિલિન્ડર અને ઇંધણના ભાવમાં જોવા મળી શકે છે. દર મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીઓ નવા દર જાહેર કરે છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ઓઇલ કટોકટી ના કારણે એલપીજી, સીએનજી અને પીએનજી ના ભાવ વધી શકે છે. આ ઉપરાંત વિમાનના ઇંધણ એટલે કે એટીએફ (ATF) ના દરમાં પણ ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા છે.

નવો ઇન્કમ ટેક્સ એક્ટ અને ફોર્મ-16 માં ફેરફાર

1 એપ્રિલથી દેશમાં વર્ષ 1961 ના જૂના કાયદાને સ્થાને નવો ‘આયકર અધિનિયમ 2025’ લાગુ થશે. આ નવા કાયદા હેઠળ ટેક્સ ભરવાની પ્રક્રિયા વધુ આધુનિક અને સરળ બનાવવામાં આવી છે. હવે નોકરિયાત વર્ગને ITR ભરવા માટે ‘ફોર્મ 16’ નહીં મળે, પરંતુ તેના સ્થાને નવું ફોર્મ આપવામાં આવશે. તેમજ બિન-પગારદાર આવક માટે વપરાતા ‘ફોર્મ 16A’ નું નામ બદલીને હવે ‘ફોર્મ 131’ કરી દેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Petrol Diesel Crisis:મહારાષ્ટ્રમાં ‘ફ્યુઅલ કટોકટી’ની અફવા! પેટ્રોલ પંપો પર લાઈનો લાગતા જાલના પ્રશાસન એક્શનમાં.

 બેંકિંગ નિયમો: HDFC, PNB અને બંધન બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર

જો તમે HDFC, PNB અથવા બંધન બેંકના ગ્રાહક છો, તો એટીએમ (ATM) ના નિયમો ખાસ જાણી લેજો. HDFC બેંક હવે ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનમાં UPI વિડ્રોઅલને પણ ગણતરીમાં લેશે, જેના કારણે ફ્રી લિમિટ જલ્દી પૂરી થઈ શકે છે અને ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન પર ₹23 ચાર્જ લાગશે. PNB એ ડેબિટ કાર્ડની કેટેગરી મુજબ દૈનિક ઉપાડની મર્યાદા ઘટાડી છે. જ્યારે બંધન બેંકે જાહેરાત કરી છે કે જો ખાતામાં બેલેન્સ ઓછું હોવાને કારણે એટીએમ ટ્રાન્ઝેક્શન ફેલ થશે, તો ગ્રાહકે ₹25 પેનલ્ટી ચૂકવવી પડશે.

PAN કાર્ડ અને રેલવે ટિકિટ કેન્સલેશનના નિયમો સખત

પાન કાર્ડ મેળવવા કે અપડેટ કરવા માટે હવે માત્ર આધાર કાર્ડ પૂરતું નહીં રહે, અરજદારોએ વધારાના દસ્તાવેજો સબમિટ કરવા પડશે. બીજી તરફ, રેલવે મુસાફરો માટે ટિકિટ કેન્સલ કરાવવી હવે મોંઘી પડશે. નવા નિયમ મુજબ, ટ્રેન છૂટવાના 8 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવવા પર કોઈ રિફંડ મળશે નહીં, જે મર્યાદા પહેલા 4 કલાકની હતી. 8 થી 24 કલાક પહેલા કેન્સલેશન પર માત્ર 50% રિફંડ મળશે, જે મુસાફરો માટે આર્થિક ફટકો સાબિત થશે.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!