Railway News : ગાંધીધામ-વિશાખાપટ્ટનમ અને ઓખા-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

Railway News : દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝન પર કાઝીપેટ-વિજયવાડા સેક્શનમાં નોન ઇન્ટરલોકિંગ કામ ને કારણે ગાંધીધામ - વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રુટ પર દોડશે.

by Dr. Mayur Parikh
Bharat Gaurav Trains Bharat Gaurav trains undertake 172 trips carrying over 96000 tourists in 2023

News Continuous Bureau | Mumbai

આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

 

  1. 28 એપ્રીલ, 5 અને 19 મે ના રોજ ગાંધીધામ થી ચાલતી ટ્રેન નં 20804 ગાધીધામ – વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વર્ધા – બડનેરા – બલ્લારશાહ – વિજયવાડા – વિશાખાપટ્ટનમ ના સ્થાને તેના ડાયર્વટ કરાયેલ માર્ગ વાયા વર્ધા – નાગપુર – રાયપુર – ટિટિલાગઢ – રાયગઢ – વિજયનગરમ – વિશાખાપટ્ટનમ ના માર્ગ પર દોડશે. આ ટ્રેન ચંદ્રપુર-બલ્હારશાહ – સિરપુર કાગઝનગર – રામગુંડમ – વારંગલ – ખમ્મમ – વિજયવાડા – એલુરુ – રાજમડ્રી – સામલકોટ – દુવ્વાડા સ્ટેશનો પર નહીં જાય.
  2. 2, 9 અને 16 મે ના રોજ વિશાખાપટ્ટનમ થી ચાલતી ટ્રેન નં 20803 વિશાખાપટ્ટનમ – ગાધીધામ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વિશાખાપટ્ટનમ – વિજયવાડા – બલ્હારશાહ – બડનેરા – વર્ધા ના સ્થાને તેના ડાયર્વટ કરાયેલ માર્ગ વાયા વિશાખાપટ્ટનમ – વિજયનગરમ – રાયગઢ – ટિટલાગઢ – રાયપુર – નાગપુર – વર્ઘા ના માર્ગ પર દોડશે. આ ટ્રેન દુવ્વાડા – સામલકોટ – રાજમુડ્રી – એલુરુ – વિજયવાડા – ખમ્મમ – વારંગલ – રામગુંડમ – સિરપુર કાગઝનગર – બલ્હારશાહ – ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.
  3. 1, 8 અને 15 મે ના રોજ ઓખા થી ચાલતી ટ્રેન નં 20820 ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વર્ધા – બલ્હારશાહ – વિજયવાડા – વિશાખાપટ્ટનમ – ખુર્દા રોડ ના સ્થાને તેના ડાયર્વટ કરાયેલ માર્ગ વાયા વર્ધા – નાગપુર – રાયપુર – ટિટિલાગઢ – રાયગઢ – વિજયનગરમ – ખુર્દા રોડ ના માર્ગ પર દોડશે.  આ ટ્રેન ચંદ્રપુર -બલ્હારશાહ – સિરપુર કાગઝનગર – મંચિર્યાલ – રામગુંડમ – વારંગલ – વિજયવાડા – એલુરુ – રાજામુડ્રી – સામલકોટ – અનકાપલ્લી -વિશાખાપટ્ટનમ સ્ટેશનો પર જશે નહીં.
  4. 28 એપ્રીલ , 5 અને 19 મે ના રોજ પુરી થી ચાલતી ટ્રેન નં 20819 પુરી – ઓખા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ ખુર્દા રોડ – વિશાખાપટ્ટનમ – વિજયવાડા – બલ્હારશાહ – વર્ધા ના સ્થાને તેના ડાયર્વટ કરાયેલ માર્ગ વાયા ખુર્દા રોડ – વિજયનગરમ – રાયગઢ – ટિટિલાગઢ – રાયપુર – નાગપુર – વર્ધા ના માર્ગ પર દોડશે. આ ટ્રેન વિશાખાપટ્ટનમ – અનકાપલ્લી – સામલકોટ – રાજમંડ્રી – એલુરુ – વિજયવાડા – વારંગલ – રામગુંડમ – મંચિર્યાલ – સિરપુરકાગઝનગર – બલ્હારશાહ – ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.

ટ્રેનોના સ્ટોપેજ, રચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More