324
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મુંબઈમાં આવતીકાલે સરકારી તેમજ મુંબઈ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.
પ્રાપ્ત જાણકારી મુજબ કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન દ્વારા નાગરિકોને રસી આપવા માટે ખાસ સત્રો હાથ ધરવામાં આવી રહ્યા છે.
તેને ધ્યાનમાં રાખીને, વહીવટી અને તકનીકી જરૂરિયાતોને પહોંચી વળવા માટે મુંબઈમાં રાજ્ય સરકાર અને બીએમસી દ્વારા સંચાલિત કેન્દ્રો પર રસીકરણ થશે નહીં.
કોર્પોરેશન પાસે કોવિડ રસીનો પૂરતો સ્ટોક છે. રસીકરણ અભિયાન શનિવાર, 11 સપ્ટેમ્બર, 2021 ના રોજ ફરી શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં કુલ 401 રસીકરણ કેન્દ્રો છે, જેમાં BMC ના 283, મહારાષ્ટ્ર સરકારના 20 કેન્દ્રો અને 98 ખાનગી કેન્દ્રોનો સમાવેશ થાય છે.
You Might Be Interested In