News Continuous Bureau | Mumbai
Sahitya Manch Zarukho: મુંબઈના ગુજરાતી સાહિત્ય ચાહકો માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઉપરા ઉપરી કાર્યક્રમ યોજી રહી છે. વ્યકતિને સંવેદનશીલ બનાવવામાં કવિતા મોટો ભાગ ભજવે છે. ‘ સાહિત્ય મંચ ‘ નામે યોજાયેલા સાહિત્ય અકાદમીના આ કાર્યક્રમમાં જાણીતા કવિઓ સંદીપ ભાટિયા, મુકેશ જોશી અને જ્યોતિ હિરાણી સાથે નવી પણ તેજસ્વી કલમો દિગંત મેવાડા અને પારુલ વોરા કાવ્યપાઠ કરશે.

સાહિત્ય અકાદમીના ( Kendriya Sahitya Akademi ) મુંબઈ કાર્યાલયના પ્રભારી ઓમ પ્રકાશ નાગર સ્વાગત વક્તવ્ય આપશે. સંયોજક સંજય પંડ્યા ( Gujarati Poet ) પરિચય આપશે અને આભારવિધિ કરશે.


આ સમાચાર પણ વાંચો: Men’s Hockey Junior Asia Cup 2024: ભારતીય પુરુષોની જુનિયર હોકી ટીમને મળી ઐતિહાસિક જીત.. જીત્યો ‘જુનિયર એશિયા કપ 2024’, PM મોદીએ પાઠવ્યા અભિનંદન.

આ કાર્યક્રમ ( Sahitya Manch Zarukho ) ૬ ડિસેમ્બર શુક્રવારે સાંજે ૭.૩૦ વાગ્યે સાઈબાબા મંદિર બીજે માળે,સાઈબાબા નગર,બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે . ૭ વાગ્યે આવનાર ભાવકો ચા કૉફી માણી શકશે.ઝરુખો ( શ્રી સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ) આ કાર્યક્રમની ( Zarukho ) સહયોગી સંસ્થા છે અને સર્વેને હાજરી આપવા નિમંત્રણ છે.


Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
