આદિપુરુષ નો વિવાદ જારી, ફિલ્મ ના ડાયરેક્ટર ઓમ રાઉત સહિત અન્ય લોકો સામે નોંધાઈ FIR, જાણો સમગ્ર મામલો

adipurush poster controversy complaint filed against prabhas and kriti sanon
આદિપુરુષ નો વિવાદ જારી, ફિલ્મ ના ડાયરેક્ટર ઓમ રાઉત સહિત અન્ય લોકો સામે નોંધાઈ FIR, જાણો સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ફિલ્મ ‘આદિપુરુષ’ ફરી મુશ્કેલીમાં છે. હાલમાં જ તેનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું, જે હવે વિવાદમાં આવી ગયું છે. ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત, નિર્માતા ભૂષણ કુમાર અને કલાકારોના નામે મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોતાને સનાતન ધર્મના ઉપદેશક ગણાવતા સંજય દીનાનાથ તિવારીએ આ ફરિયાદ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મના પોસ્ટરથી હિન્દુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

 

પોસ્ટર પર વિવાદ

મુંબઈ હાઈકોર્ટ ના બે એડવોકેટ દ્વારા આદિપુરુષના નવા પોસ્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ નિર્માતાએ હિન્દી ધાર્મિક પુસ્તક “રામચરિતમાનસ” ના પાત્રને અયોગ્ય રીતે દર્શાવ્યું છે. બોલિવૂડ ફિલ્મ ‘આદિપુરુષ’ના નવા રિલીઝ થયેલા પોસ્ટરમાં હિન્દુ ધર્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. ભારતીય દંડ સંહિતાની કલમ 295 (A), 298, 500, 34 હેઠળ એફઆઈઆર નોંધવાની માંગ સાથે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથ રામચરિતમાનસ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવન ચરિત્ર પર બોલિવૂડ ફિલ્મ ‘આદિપુરુષ’ બનાવવામાં આવી છે. સનાતની ધર્મ ઘણા યુગોથી આ પવિત્ર ગ્રંથ “રામચરિતમાનસ” ને અનુસરે છે. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી અને “રામચરિતમાનસ”માં ઉલ્લેખિત તમામ પૂજનીય પાત્રોનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ફરિયાદીએ જણાવ્યું કે બોલિવૂડ ફિલ્મ આદિપુરુષના રિલીઝ પોસ્ટરમાં રામાયણના તમામ કલાકારોને જનોઈ પહેર્યા વિના દર્શાવવામાં આવ્યા છે. જે ખોટું છે.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

કાયદો અને વ્યવસ્થા બગડવાની ચેતવણી

તેમજ,રિલીઝ થયેલા પોસ્ટરમાં, કૃતિ સેનનને સિંદૂર વગરની અપરિણીત મહિલા તરીકે બતાવવામાં આવી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે તેને એક અપરિણીત મહિલા તરીકે બતાવવામાં આવી રહી છે. ફરિયાદીનું કહેવું છે કે બોલિવૂડના ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો અને કલાકારોએ જાણી જોઈને આવું કર્યું છે. આમ કરીને તેઓ સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છે. આ ખૂબ જ નિંદનીય છે. આદિપુરુષના પોસ્ટરમાં હિન્દુ ધર્મનું અપમાન થયું છે. જેના કારણે ભવિષ્યમાં ભારતના વિવિધ રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા માટે ચોક્કસપણે ખતરો ઉભો થઈ શકે છે તમને જણાવી દઈએ કે તાજેતરમાં આદિપુરુષનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં લીડ સ્ટાર્સ પ્રભાસ, કૃતિ સેનન, સની સિંહ અને દેવદત્ત જોવા મળ્યા હતા. જોકે પોસ્ટર ચાહકોને વધારે પ્રભાવિત કરી શક્યું નથી. યુઝર્સે તેની ખૂબ મજાક ઉડાવી અને તેને કાર્ટૂન ફિલ્મ ગણાવી હતી.

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!