Rajnath Singh on Pakistan : ‘… તો ત્યાં ઘૂસીને આતંકવાદીઓનો ખાત્મો કરીશું’, રક્ષામંત્રીના નિવેદનથી ગભરાયું પાકિસ્તાન..

Rajnath Singh on Pakistan If a terrorist flees to Pakistan, we'll kill him there Defence minister Rajnath Singh
Rajnath Singh on Pakistan If a terrorist flees to Pakistan, we'll kill him there Defence minister Rajnath Singh

  News Continuous Bureau | Mumbai 

Rajnath Singh on Pakistan : આતંકવાદને ખતમ કરવામાં ભારત હંમેશા આગળ રહ્યું છે. ભારતે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ આતંકવાદનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. તાજેતરમાં જ ભારતે ફરી એકવાર આતંકવાદના મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન આતંકવાદ પર બોલતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ કર્યું હતું કે ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાનો પ્રયાસ કરનારાઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં. ભલે તેઓ પાકિસ્તાનમાં છુપાયેલા હોય.

આ નિવેદનથી પાકિસ્તાન ઉશ્કેરાઈ ગયું

રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ ચલાવી રહેલા આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે. જો આતંકવાદીઓ છુપાઈને પાકિસ્તાન ભાગી જાય તો પણ ભારત ત્યાં ઘૂસીને તેમને મારી નાખશે. રાજનાથ સિંહના આ નિવેદનથી પાકિસ્તાન એટલુ નારાજ થઈ ગયું છે કે તે ઉશ્કેરાઈ ગયું છે. તેમણે રક્ષા મંત્રી રાજનાથના નિવેદનને ભડકાઉ ગણાવી તેની નિંદા કરી છે.

અહેવાલમાં કરાયો આ દાવો 

હકીકતમાં, એક ટીવી ઇન્ટરવ્યુમાં રાજનાથ સિંહને પૂછવામાં આવ્યું હતું કે બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ 2019 પછી પાકિસ્તાનમાં ઘૂસીને દુશ્મનોને ખતમ કરી દીધા છે. આ અંગે તમે શું કહેશો? જેના જવાબમાં રાજનાથ સિંહે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને મારવાની વાત કરી હતી. ગાર્ડિયનના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતે તેના મિશનને પાર પાડવા માટે પાકિસ્તાનના સ્થાનિક ગુનેગારોની મદદ લીધી હતી.

આંતરરાષ્ટ્રીય સમુદાયે ભારતને જવાબદાર ઠેરવવું જોઈએઃ પાકિસ્તાન

આ સાથે જ રક્ષા મંત્રીના નિવેદનથી નારાજ પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને ભારત પર અનેક આરોપો લગાવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન ભારતના ગુપ્ત ઓપરેશનને લઈને મીડિયાના ખુલાસા પર પ્રતિક્રિયા આપતા ભારતીય સંરક્ષણ પ્રધાન દ્વારા આપવામાં આવેલા નિવેદનની નિંદા કરે છે. 25 જાન્યુઆરી, 2024ના રોજ, ઈસ્લામાબાદે પાકિસ્તાનમાં થઈ રહેલી હત્યાઓમાં ભારતની સંડોવણીના પુરાવા પણ આપ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ, મનીષ સિસોદિયાને વધુ એક ઝટકો, કોર્ટે આ તારીખ સુધી ન્યાયિક કસ્ટડી વધારી.. જાણો વિગતે..

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાનમાં ઘૂસીને લોકોને ‘આતંકવાદી’ નામ આપીને મારી નાખવાની વાત કરવી એ ભારતની અપરાધતાનો પુરાવો છે. ભારત સ્વીકારી રહ્યું છે કે તે આવા કૃત્યની તૈયારી કરી રહ્યું છે.” પાકિસ્તાને વધુમાં કહ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ભારતને તેના જઘન્ય અને ગેરકાયદેસર પગલાં માટે તાત્કાલિક જવાબદાર ઠેરવવું અત્યંત મહત્વપૂર્ણ છે.”

પાકિસ્તાન પોતાની સુરક્ષા માટે મક્કમ  

પોતાની સુરક્ષા પર ભાર મૂકતા પાકિસ્તાને કહ્યું કે, ઇસ્લામાબાદ તેની સાર્વભૌમત્વ વિરુદ્ધ કોઈપણ હુમલા સામે રક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છે. ભારતની વર્તમાન સરકાર લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જગાડીને ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે આવા નિવેદનો કરતી રહે છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આવી દૂરંદેશી અને બેજવાબદારીભર્યું વર્તન ન માત્ર પ્રાદેશિક શાંતિને નુકસાન પહોંચાડે છે પરંતુ એકબીજા સાથે વાતચીતની શક્યતાઓને પણ અવરોધે છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શું કહ્યું?

પાકિસ્તાનમાં થઈ રહેલી હત્યાઓ અંગેના પ્રશ્નના જવાબમાં રક્ષા મંત્રીએ કહ્યું, જો આપણા પાડોશી દેશનો કોઈ આતંકવાદી આપણા ભારતની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે અથવા ભારતમાં આતંકવાદી કૃત્યો કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, જો તે પાકિસ્તાન ભાગી જશે તો પણ અમે પાકિસ્તાનમાં ઘૂસીને તેને મારી નાખીશું. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભારત પાસે સરહદ પારના આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની શક્તિ છે.

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!