Bangladesh idols: બાંગ્લાદેશમાં હિન્દુઓની મૂર્તિઓની તોડફોડનું સત્ર યથાવત; ત્રણ મંડપોમાં મૂર્તિઓનું ખંડન, આટલા મંડપો અસુરક્ષિત

Bangladesh idols બાંગ્લાદેશમાં હિન્દુઓની મૂર્તિઓની તોડફોડનું સત્ર યથાવત
Bangladesh idols બાંગ્લાદેશમાં હિન્દુઓની મૂર્તિઓની તોડફોડનું સત્ર યથાવત

News Continuous Bureau | Mumbai
બાંગ્લાદેશમાં મહંમદ યુનૂસની વચગાળાની સરકાર આવ્યા પછી પણ ત્યાંના હિન્દુ સમુદાય પર અત્યાચાર ચાલુ હોવાનું જોવા મળી રહ્યું છે. આગામી નવરાત્રિની દુર્ગાપૂજા પહેલાં અનેક વિસ્તારોમાં મંદિરોની તોડફોડ થઈ રહી છે.બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન ડો. મહંમદ યુનૂસે અનેક વિસ્તારોની મુલાકાત લઈને ત્યાંના હિન્દુ સમુદાયને સુરક્ષાનું આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં બાંગ્લાદેશમાં શરૂ થયેલી મૂર્તિઓની તોડફોડ સુરક્ષા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. અત્યાર સુધીમાં જમાલપુર, ઝેનાઇદાહ અને સાતખીરા આ ત્રણ જિલ્લાના ત્રણ પૂજા મંડપોમાં મૂર્તિઓ પર હુમલો થયો છે.

તારીખ મુજબ હુમલાની ઘટનાઓ

Bangladesh idols વિવિધ જિલ્લાઓમાં સપ્ટેમ્બર મહિનામાં થયેલા હુમલાની વિગતો નીચે મુજબ છે:
૨૧ સપ્ટેમ્બર: સવારે જમાલપુર જિલ્લાના સરીશાબારી ઉપજિલ્લામાં સાત દુર્ગાપૂજાની મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી. પોલીસે હબીબૂર રહેમાનની ધરપકડ કરી.
૨૨ સપ્ટેમ્બર: ઝેનાઇદાહ જિલ્લાના શૈલકૂપા ઉપજિલ્લામાં ફુલહૌરી હરિતલા સાર્વજનીન પૂજા મંડપ પર હુમલો થયો. અહીંની મૂર્તિઓને નુકસાન પહોંચાડાયું. પોલીસે મોન્જર અલીની ધરપકડ કરી, જેમને માનસિક રીતે બીમાર ગણાવવામાં આવે છે.
૨૪ સપ્ટેમ્બર: સાતખીરા જિલ્લામાં મૂર્તિઓની વિટંબણા કરવામાં આવી અને કપડાં ફાડી નાખવામાં આવ્યા. પોલીસે એક વ્યક્તિની ધરપકડની પુષ્ટિ કરી; પરંતુ વિગતો જણાવી નહોતી.
જુલાઈ મહિનાથી અત્યાર સુધીમાં આઠ જિલ્લામાં આઠ ઘટનાઓની નોંધ થઈ છે. મહાલયા પછી ૩ સ્થળોએ નવા હુમલા થયા.

આ સમાચાર પણ વાંચો : China Internet Censorship: ચીનનું ‘નકારાત્મક ભાવનાઓ’ સામે અભિયાન શરૂ; સાયબરસ્પેસ પ્રશાસન દ્વારા આટલા મહિના માટે ‘ખરાબ વાઇબ્સ’ પર કડક કાર્યવાહી

પરંપરા ખંડિત અને મંડપ અસુરક્ષિત

કુમિલ્લાના રહેવાસી નંદિતા કુમાર સાહાએ ભય વ્યક્ત કર્યો છે. તેઓ જણાવે છે કે, ગયા વર્ષે તેમના ઘરે હુમલો થયો હતો, તેથી આ વખતે તેમના પરિવારે ગામમાં પૂજા ન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, “અમારા પરિવારમાં સદીઓથી આ પરંપરા છે, પરંતુ ડરના કારણે અમે અટક્યા છીએ.” આમ, બાંગ્લાદેશની અસ્થિરતાને કારણે ત્યાંના હિન્દુઓની ધાર્મિક પરંપરાઓ ખંડિત થઈ રહી છે.દરમિયાન, સનાતની જાગરણ જોત નામની સંસ્થાએ જણાવ્યું છે કે, આ વખતે દેશભરમાં ૭૦૦ થી વધુ મંડપો જોખમમાં છે. સાતખીરા જિલ્લો સૌથી સંવેદનશીલ છે, જ્યાં ૫૫ મંડપોની ઓળખ કરવામાં આવી છે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!