Pahalgam Attack: પહલગામ હુમલાનો ભારતે કર્યો પર્દાફાશ, પાકિસ્તાની નાગરિકો જ હતા આતંકવાદી

પહલગામ હુમલાનો ભારતે કર્યો પર્દાફાશ, પાકિસ્તાની નાગરિકો જ હતા આતંકવાદી
પહલગામ હુમલાનો ભારતે કર્યો પર્દાફાશ, પાકિસ્તાની નાગરિકો જ હતા આતંકવાદી

News Continuous Bureau | Mumbai

પહલગામમાં (Pahalgam) થયેલા આતંકવાદી હુમલા (terror attack) બાદ આખા દેશમાં રોષની લહેર જોવા મળી રહી છે. આ હુમલામાં આતંકવાદીઓએ (terrorists) હિન્દુ પ્રવાસીઓને (Hindu tourists) નિશાન બનાવ્યા હતા, જેમાં મહિલાઓની સામે જ પુરુષોને ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટનાના ભયાનક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (viral) થયા છે. તપાસમાં બહાર આવ્યું છે કે હુમલો કરતા પહેલા આતંકવાદીઓએ અનેક વખત વિસ્તારની રેકી (reccy) કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) અમિત શાહ (Amit Shah)એ ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પીડિતોને મળ્યા હતા. હવે સુરક્ષા એજન્સીઓએ (security agencies) પુષ્ટિ કરી છે કે આ હુમલા પાછળ પાકિસ્તાનનો (Pakistan) હાથ છે.

પાકિસ્તાની નાગરિકોના પુરાવા મળ્યા

સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઠાર થયેલા ત્રણેય આતંકવાદીઓ (terrorists) પાકિસ્તાની નાગરિકો (Pakistani nationals) હતા તે વાત હવે સ્પષ્ટ થઈ ગઈ છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ (Indian security agencies) આતંકવાદીઓની ઓળખ સ્થાપિત કરવા માટે પુરાવા (evidence) એકત્ર કર્યા છે, જેમાં પાકિસ્તાન સરકાર દ્વારા જારી કરાયેલા દસ્તાવેજો (documents) અને બાયોમેટ્રિક ડેટા (biometric data)નો પણ સમાવેશ થાય છે. આ પુરાવા મળ્યા બાદ પાકિસ્તાનનો (Pakistan) ચહેરો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઘાડો પડી ગયો છે

આ સમાચાર પણ વાંચો: Russia Statement Tariff War: ‘કોઈ પણ ટૅરિફ યુદ્ધ કે પ્રતિબંધો ઇતિહાસ બદલી શકે નહીં’, અમેરિકાની ધમકી પર રશિયા નું સ્પષ્ટ નિવેદન

ઓપરેશન મહાદેવ અને વળતો પ્રહાર

પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા (terror attack)માં 26 લોકોના જીવ ગયા હતા. આ હુમલા બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓને (terrorists) પકડવા માટે ‘ઓપરેશન મહાદેવ’ (Operation Mahadev) શરૂ કર્યું હતું. 28 જુલાઈના રોજ શ્રીનગર (Srinagar) નજીક દચીગામ (Dachigam)ના જંગલમાં થયેલી અથડામણમાં આ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba – LeT)ના સભ્યો હોવાનું બહાર આવ્યું છે. આતંકવાદીઓ દચીગામ-હારવાન (Dachigam-Harwan)ના વન વિસ્તારમાં છુપાયા હતા. આ હુમલા બાદ વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી (Narendra Modi)એ વિદેશ પ્રવાસ ટૂંકાવીને તાત્કાલિક ભારત પરત ફર્યા હતા.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!