Chaitra Navratri 2025: જાણો ઘટસ્થાપનાનો સમય, મા શૈલપુત્રીની પૂજા, મંત્ર અને ભોગ

Chaitra Navratri 2025 Live: Know Ghatsthapana Time, Worship of Maa Shailputri, Mantras, and Offerings
Chaitra Navratri 2025 Live: Know Ghatsthapana Time, Worship of Maa Shailputri, Mantras, and Offerings

News Continuous Bureau | Mumbai 

Chaitra Navratri 2025: ચૈત્ર નવરાત્રી મા દુર્ગાની ઉપાસનાનો પર્વ છે, જેની શરૂઆત 30 માર્ચથી થશે અને 6 એપ્રિલ 2025ના રોજ સમાપ્ત થશે. જાણો ઘટસ્થાપનાનો સમય, વિધિ, પૂજા, મંત્ર, ભોગ વગેરે.  મા દુર્ગાની પૂજા-ઉપાસના માટે નવરાત્રીનો સમય ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે, એવી માન્યતા છે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન મા ધરતી પર વસે છે અને મા પોતાના ભક્તોની બધી મનોકામના પૂરી કરે છે.

 

ચૈત્ર નવરાત્રી ઘટસ્થાપનાનો સમય 

પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રીની શરૂઆત ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રીની શરૂઆત રવિવાર, 30 માર્ચ 2025થી થઈ રહી છે અને 6 એપ્રિલ 2025ના રોજ તે સમાપ્ત થશે. પહેલા દિવસે ઘટસ્થાપના કરવામાં આવે છે અને મા શૈલપુત્રીની પૂજા થાય છે. 30 માર્ચ 2025ના રોજ ઘટસ્થાપના માટે સવારે 06 વાગ્યાને 13 મિનિટથી લઈને સવારે 10 વાગ્યાને 22 મિનિટ સુધીનો સમય શુભ છે. આ ઉપરાંત અભિજીત મુહૂર્તમાં ઘટસ્થાપના માટે બપોરે 12 વાગ્યાને 01 મિનિટથી 12 વાગ્યાને 50 મિનિટનો સમય પણ શુભ રહેશે. આ બંને મુહૂર્તમાં ઘટસ્થાપના કરી શકાય છે.

 

 ચૈત્ર નવરાત્રી ઘટસ્થાપનાની વિધિ 

ઘટસ્થાપના માટે સૌથી પહેલા સવારે ઉઠીને સ્નાન કરી સાફ કપડા પહેરી લો, પછી મા દુર્ગાનું આહ્વાન કરો. હવે કલશ સ્થાપનાની તૈયારીઓમાં લાગી જાઓ. જે સ્થાપનામાં કલશ સ્થાપના કરવી છે, તેને સારી રીતે સાફ કરી લો. ઘટસ્થાપના અથવા કલશ સ્થાપના માટે શુદ્ધ માટીમાં જવ મિક્સ કરીને મા દુર્ગાની પ્રતિમાના બાજુમાં રાખો. તેના પર માટીનો કલશ રાખો અને તેમાં ગંગાજળ ભરી દો. હવે કલશમાં લવિંગ, હળદરની ગાંઠ, સુપારી, દુર્વા અને એક રૂપિયાનો સિક્કો નાખો.

આ સમાચાર પણ વાંચો : Hanuman ji Upay: હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો? આ અસરકારક ઉપાયો અપનાવો, તમારી મનોકામના જરૂર પૂર્ણ થશે

પૂજા વિધિ

પછી ઉપરથી 5 કેરીના પાન રાખીને કલશ પર માટીનું ઢાકણ લગાવો. ઉપર ચોખા, ઘઉં અને નાળિયેર રાખો. નાળિયેર રાખતા પહેલા તેમાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવીને લાલ રંગની ચુંદડી અથવા કોઈ કપડાથી લપેટો. કલશ સ્થાપના પછી મા દુર્ગા અને મા શૈલપુત્રીની પૂજા કરો. દેવીને સફેદ ફૂલ, સિંદૂર, કુમકુમ, અક્ષત, ભોગ વગેરે લગાવ્યા પછી ઘીનો દીવો પ્રગટાવો અને મંત્રોચ્ચાર કર્યા પછી આરતી કરો.

 

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!