Ayodhya: સ્પાઈજેટ એરલાઈન્સની મોટી જાહેરાત.. હવે આ આઠ શહેરોમાંથી શરુ કરાશે અયોધ્યા માટે સીધી ફ્લાઈટ સેવા..

Ayodhya Big announcement of Spicejet Airlines.. Now direct flight service to Ayodhya will be started from these eight cities.. Know
Ayodhya Big announcement of Spicejet Airlines.. Now direct flight service to Ayodhya will be started from these eight cities.. Know

News Continuous Bureau | Mumbai 

Ayodhya: ઘણી એરલાઈન્સે દેશના અલગ-અલગ શહેરોમાંથી અયોધ્યા માટે ફ્લાઈટની ( flights ) જાહેરાત કરી છે. હવે આ યાદીમાં સ્પાઈસ જેટનું ( SpiceJet ) નામ પણ જોડાઈ ગયું છે. શુક્રવારે સારા સમાચાર આપતા, કંપનીએ કુલ આઠ રૂટ પર ફ્લાઇટ સેવાઓ ( Flight services ) શરૂ કરવાની જાહેરાત કરી છે. દિલ્હી, અમદાવાદ, જયપુર, પટના, દરભંગાથી અયોધ્યા વચ્ચે ફ્લાઈટ્સ ઓપરેટ થશે. અગાઉ, એરલાઈન્સે ચેન્નાઈ, મુંબઈ અને બેંગલુરુથી સીધી ફ્લાઈટ સેવાઓની જાહેરાત કરી હતી. તમામ ફ્લાઈટ્સ 1 ફેબ્રુઆરી 2024ના રોજ ઓપરેટ થશે. 

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ( Ram Mandir Pran Pratistha ) કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સ્પાઈસ જેટે 21 જાન્યુઆરીએ દિલ્હી અને અયોધ્યા વચ્ચે વિશેષ ફ્લાઈટ ચલાવવાની જાહેરાત કરી દીધી હતી. 21 જાન્યુઆરીએ રામ મંદિરના કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહેલા ભક્તો માટે સ્પાઈસ જેટની વિશેષ ફ્લાઈટ ( Special flights )  દિલ્હી અને અયોધ્યા વચ્ચે ઉડાન ભરશે .

 ઈન્ડિગો ( Indigo ) અને એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ અયોધ્યા માટે ફ્લાઈટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી..

દેશની સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ અલગ-અલગ શહેરોમાંથી અયોધ્યા માટે ફ્લાઈટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. ઈન્ડિગોએ દિલ્હી, અમદાવાદ અને મુંબઈથી અયોધ્યા માટે ફ્લાઈટ ચલાવવાની જાહેરાત કરી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ દિલ્હી, મુંબઈ અને અમદાવાદથી અયોધ્યા વચ્ચે ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો : China Kabutar: જાસુસ હોવાની શંકામાં અટકાયત કરેલ આ ચાઈનીઝ કબૂતર મૂક્તિની આશમાં આટલા મહિનાથી છે પાંજરામાં કેદ.

દરમિયાન અકાસા એરલાઈન્સે પણ અયોધ્યા માટે ફ્લાઈટ ચલાવવાની જાહેરાત કરી છે. આ એરલાઈન્સ પુણેથી અયોધ્યા વાયા દિલ્હી વચ્ચે ફ્લાઈટનું સંચાલન શરૂ કરવા જઈ રહી છે. પૂણે અને અયોધ્યા વચ્ચેની આ ફ્લાઈટ 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે. એક અહેવાલ મુજબ, ફ્લાઈટ પૂણેથી સવારે 8.50 વાગ્યે ઉપડશે અને 12.55 વાગ્યે અયોધ્યા પહોંચશે.

By Bipin Mewada

Bipin Mewada, a seasoned journalist, boasts over 10 years of expertise in reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!