News Continuous Bureau | Mumbai
Atal Innovation Mission: અટલ ઇનોવેશન મિશન (એઆઈએમ) એ લા ફાઉન્ડેશન ડસૉલ્ટ સિસ્ટમ ઈન્ડિયાની ( La Fondation Dassault Systemes India ) સાથે મળીને પૂણેમાં આયોજિત ગ્રાન્ડ ફિનાલે દરમિયાન એઆઈએમના વિદ્યાર્થી સાહસિકતા કાર્યક્રમ (એસઇપી) સીઝન – 2023-24 દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ માટેના તેના ફ્લેગશિપ પ્રોગ્રામ ‘મેડ ઇન 3ડી – સીડ ધ ફ્યુચર એન્ટરપ્રિન્યોર્સ’ના સમાપનની ઉજવણી કરી. આ કાર્યક્રમે યુવા મગજમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત આઠ મહિનાની સફરના સમાપનને ચિહ્નિત કરે છે.

આ પ્રોગ્રામની ( Made in 3D – Seed the Future Entrepreneurs ) સીઝન 2023-24માં વિદ્યાર્થીઓને ( AIM students ) કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ( Agricultural Science Centres ) સાથે જોડવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું, જેના પરિણામે ગ્રામીણ ઇકોસિસ્ટમ થીમ પર કેન્દ્રિત પ્રોજેક્ટ્સની નોંધપાત્ર સંખ્યા જોવા મળી હતી. ભારતભરની 140 શાળાઓમાંથી, ટોચની 12 ટીમોએ પ્રોડક્ટ ડિઝાઇનમાં નોંધપાત્ર નવીનતા દર્શાવી હતી અને તેમની સ્ટાર્ટ-અપ પિચમાં ફાઇનાન્સ, બિઝનેસ અને માર્કેટિંગ વ્યૂહરચનાઓની ઊંડી સમજણ દર્શાવી હતી.
અટલ ઈનોવેશન મિશન, નીતિ આયોગના મિશન ડિરેક્ટર ડૉ. ચિંતન વૈષ્ણવ, ડસૉલ્ટ સિસ્ટમ્સ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર દીપક એનજી, ડસૉલ્ટ સિસ્ટમ્સ સોલ્યુશન લેબના સીઈઓ સુદર્શન મોગસાલે અને અક્ષરા ઈન્ટરનેશનલ સ્કૂલ, પૂણેના ટેક્નોલોજી સલાહકાર જયેશ રાઠોડ સહિતના પ્રતિષ્ઠિત મહાનુભાવોએ સન્માન સમારંભમાં પોતાની ઉપસ્થિતિથી આ કાર્યક્રમની શોભા વધારી હતી. ડૉ. ચિંતન વૈષ્ણવે ભારતીય શિક્ષણના લેન્ડસ્કેપમાં નવીનતાના મહત્વ અને ભવિષ્યના સંશોધકો અને ઉદ્યોગ સાહસિકોને પોષવામાં કાર્યક્રમની સુસંગતતા પર પ્રકાશ પાડતું પ્રેરણાદાયી સંબોધન આપ્યું હતું.

મહારાષ્ટ્રના ચિખલી ગામની શ્રી દાદા મહારાજ નાટેકર વિદ્યાલયના વિદ્યાર્થીએ પ્રતિષ્ઠિત પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પૂણેની ઓર્કિડ સ્કૂલે બીજું સ્થાન મેળવ્યું, જ્યારે દિલ્હીના ધૌલા કુંવા સ્થિત સ્પ્રિંગડેલ્સ સ્કૂલે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ સફળતાઓ ભારતની નવી પેઢીના સંશોધકો અને ઉદ્યોગ સાહસિકોને પોષિત કરવામાં કાર્યક્રમની પરિવર્તનકારી અસરને રેખાંકિત કરે છે.
આ સમાચાર પણ વાંચો: Lok Sabha election result : RSS નેતા ઈન્દ્રેશ કુમારે ભાજપ પર સાધ્યું નિશાન, કહ્યું – -જે અહંકારી બન્યા તેમને 241 પર રોક્યા’; જુઓ વિડીયો
આ કાર્યક્રમમાં ભારતભરમાં શાળાના વિદ્યાર્થીઓમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાની માનસિકતા સ્થાપિત કરવા માટે એઆઈએમ, નીતિ આયોગ અને લા ફાઉન્ડેશન ડસૉલ્ટ સિસટમ્સ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવે છે. એઆઈએમ દ્વારા આયોજિત એટીએલ મેરેથોનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમોને આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે નામાંકિત કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં પસંદગીની શાળાઓ એક સ્યુડો સ્ટાર્ટઅપ બનાવવા માટે છ વિદ્યાર્થીઓ અને એક શિક્ષકની ટીમ બનાવે છે. એક સ્ટાર્ટઅપ તરીકે, વિદ્યાર્થીઓએ તેમની આસપાસના પડકારોને સંબોધવા, 3ડી ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેને ડિઝાઇન કરવા, તેનું ઉત્પાદન કરવા અને એક માર્કેટિંગ ઝુંબેશ બનાવવાની હોય છે જેમાં પ્રોડક્ટ બ્રોશર, પ્રોડક્ટ એડવર્ટાઈઝમેન્ટ વીડિયો અને કિંમત નિર્ધારણ વ્યૂહરચના હોય છે.
2023ની સીઝનમાં જ, 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 140 શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં યુવા ઉદ્યોગ સાહસિકોને પોષણ અને વિદ્યાર્થીઓમાં નવીનતા માટેના જુસ્સાને પ્રજ્વલિત કરવામાં કાર્યક્રમની વ્યાપક અસર દર્શાવવામાં આવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
