Disha Salian suicide case: ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યની મુશ્કેલી વધશે, ફરી ખુલશે દિશા સાલિયાન કેસ, હવે આ ટીમ કરશે તપાસ..

Disha Salian suicide case SIT to investigate Shiv Sena leader Aaditya Thackeray
Disha Salian suicide case SIT to investigate Shiv Sena leader Aaditya Thackeray

News Continuous Bureau | Mumbai

Disha Salian suicide case : શિવસેના (Shivsena) ઠાકરે જૂથના નેતા અને ધારાસભ્ય આદિત્ય ઠાકરે (Aditya Thackeray) ની મુશ્કેલીઓ વધી શકે છે. શિંદે સરકાર SIT મારફતે દિશા સાલિયાન આત્મહત્યા કેસ (Disha Salian suicide case)ની તપાસ કરશે. ડીઆઈજી રેન્કના અધિકારીઓ આ SITની કામગીરીનું નિરીક્ષણ કરશે. તમને જણાવી દઈએ કે ઘણા ધારાસભ્યોએ દિશા સાલિયાન કેસમાં ઠાકરેની તપાસ કરવાની માંગ કરી છે. આ કેસમાં ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) ગયા શિયાળુ સત્ર દરમિયાન SIT તપાસ (Investigation) ના આદેશ આપ્યા હતા. અને હવે એક SITની રચના કરવામાં આવી રહી છે જે આ મામલાની તપાસ કરશે.

દિશા સાલિયાન મૃત્યુ કેસમાં વિપક્ષે આદિત્ય ઠાકરે પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમની તપાસની પણ માંગણી કરી હતી. દિશા સાલિયાનનું મૃત્યુ થયું ત્યારે આદિત્ય ઠાકરે ક્યાં હતા? એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેથી હવે આદિત્ય ઠાકરેની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે. SITની આ તપાસમાં ઘણા પુરાવાઓ બહાર આવશે તેવી માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે.

આદિત્ય ઠાકરે વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે

આદિત્ય ઠાકરે વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. રાશિદ ખાન પઠાણે અરજી દાખલ કરીને સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનના મૃત્યુ કેસમાં આદિત્ય ઠાકરેની અટકાયત કરીને તેની સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી છે. આદિત્ય ઠાકરેના વકીલોએ આ કેસમાં કેવિયેટ દાખલ કરી છે. કોર્ટ કોઈ નિર્દેશ આપે તે પહેલા આદિત્યની બાજુ સાંભળવા માટે કેવિએટની વિનંતી કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Jaya Bachchan: જયા બચ્ચનની માતા ઈન્દિરા ભાદુરીની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ, કરાવશે આ સર્જરી..

આ મુદ્દો ગૃહમાં ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે

ભાજપ (BJP) ના નેતાઓએ સાલિયાનના મૃત્યુની તપાસની માંગ કરી હતી. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે એકવાર ગૃહમાં કહ્યું હતું કે, મામલો પહેલેથી જ મુંબઈ પોલીસ પાસે છે. જેની પાસે પુરાવા છે તેઓ રજૂ કરી શકે છે. તેની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવશે.” શાસક ગઠબંધનના ધારાસભ્યોએ સાલિયાનના મૃત્યુની તપાસ માટે એસઆઈટીની રચનાની માંગ કરી હતી. આ મામલો સૌપ્રથમ ગૃહમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથના ધારાસભ્ય ભરત ગોગાવલે (Bharat Gogavale) એ ઉઠાવ્યો હતો અને ભાજપના ધારાસભ્ય નીતીશ રાણે (MLA Nitish Rane) પણ તેમની સાથે જોડાયા હતા. અત્યાર સુધી SIT તપાસ પર આદિત્ય ઠાકરે તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

દિશા સાલિયાન મૃત્યુ કેસ શું છે?

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન 2020 ના રોજ અવસાન થયું. સુશાંતના મૃત્યુના પાંચ દિવસ પહેલા તેની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનનું અવસાન થયું હતું. તેના શંકાસ્પદ મૃત્યુની ઘટના 9 જૂન, 2020 ના રોજ પ્રકાશમાં આવી હતી. મુંબઈના મલાડમાં એક ઈમારતના 14મા માળેથી પડી જવાથી તેનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે. બાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેનું મૃત્યુ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસ સાથે સંબંધિત હતું. આ મામલામાં હવે આદિત્ય ઠાકરેની મુશ્કેલીઓ વધી રહી છે.

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!