News Continuous Bureau | Mumbai
Gujarat Vidyapith: ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ગાંધીગ્રામ જીવન યાત્રા પ્રોગ્રામ અંતર્ગત અધ્યાપક અવનીબહેન ભટ્ટની આગેવાની હેઠળ કોલેજના વિદ્યાર્થીઓએ મહુવા તાલુકાના વડીયા ગામે જય કિસાન કૃષિ ફાર્મ ( Jai Kisan Agricultural Farm ) ખાતે પ્રાકૃતિક ખેતીના પંચસ્તરીય જંગલ મોડેલની મુલાકાત લિધી હતી.


જેમાં પ્રકાશભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી દ્વારા મૂલ્યવર્ધન કરીને જુદી જુદી પ્રોડક્ટ જેમ કે, કેળાની વેફર, ગોળની વેચાણ કરતા હોવાની વિગતો આપી હતી. મહુવા તાલુકાના ખેડુતો દ્વારા અથાગ મહેનત કરીને ગાય આધારિત ખેતી ( Organic Farming ) કરીને પોતાની સાથે લોકોના સ્વાસ્થ્ય અંગેનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે તે જાણીને વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ( Gujarat Vidyapith Students ) પ્રભાવિત થયા હતા

આ સમાચાર પણ વાંચો: UMI Conference and Exhibition Gandhinagar: ગાંધીનગરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા (યુએમઆઇ) કોન્ફરન્સ અને એક્સ્પો-2024નું આયોજન, આ ક્ષેત્રોના પ્રદર્શકો લેશે ભાગ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

